SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ – ૨૩૪ ૨ સમરું પલપલ વત નામ – વરદત્ત : એ બધું હું ન જાણું. તમે તમારા કોઈ માણસને 1 મોકલીને રાજાને કહેવડાવો તો ભલે. હું તો ‘તમે નથી માનતા 1 એટલું કહીશ. સુદર્શને તે જ ક્ષણે પોતાના વિશ્વાસુ સારી નામના સેવકને રાજાજી પાસે મોકલ્યો ને પોતાની મસ્તકપીડાની વાત જણાવી, ન આવી શકવા બદલ ક્ષમા યાચી. વાસવદતે તેની વાત સ્વીકારી લીધી, પણ તે સાથે જ વરદત્ત દ્વારા સારી સાથે સુદર્શન માટે ભોજનનો થાળ તેમજ ચાર ઉત્તમ અશ્વો, વસ્ત્રો, આભૂષણો વગેરે પદાર્થો પણ પાઠવ્યા. સ્વીકાર કરી લીધા સિવાય સુદર્શન માટે કોઈ ઈલાજ નહોતો. મોડેથી વસંતશ્રી સાથે મોકલેલા વૃદ્ધ પુરુષોના મુખે રાજાને પણ જાણ થઈ કે વસંતશ્રીના સ્વયવર-લગ્નના સમયે જમાઈને જે ભેંટણાં આપવાનાં હતાં તે હજી અકબંધ છે, ને પાછા ફર્યા છે, એ વિધિ હવે પતાવવો ઘટે. તો બીજી બાજુ, એ જ સમયે વાસવદત્તની બીજી આઠ મહારાણીઓની કમલશ્રી વગેરે આઠ કન્યાઓએ પિતા સમક્ષ ભાવ પ્રદર્શિત કર્યો કે અમને પણ શ્રીવર્મકુમાર ગમી ગયા છે. અમને તેની સાથે જ પરણાવો. - શ્રીવર્મકુમારે હા-નાકાની ઘણી કરી, પણ છેવટે વસંતશ્રીની મદદથી તેને સહમત કરીને રાજાએ શુભ મુહૂર્તે વસંતશ્રી અને અન્ય આઠ કન્યાઓ – કુલ નવ કન્યાઓ સાથે શ્રીધર્મનાં લગ્ન રંગેચંગે કરાવ્યાં, ને કરિવારનો વિધિ પણ તે સમયે પતાવ્યો. લગ્ન-મહોત્સવ પછી કુમારે વાસવપુરમાં પણ ગુલMડપુરની જેમ જ તમામ જિનચૈત્યોમાં અગિયાર દિવસનો સ્નાત્રમહ તથા રથયાત્રામહ કરાવ્યો. દઢશ્રદ્ધા અને જિનભક્તિનો અપૂર્વ ઉલ્લાસ - આ બે તત્ત્વો જાણે કે તેના જીવનનું અમોઘ ચાલકબળ બની રહ્યાં હતા! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy