SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વજ્રકુંડલ ૧૨૭ કામદેવ તરફ કોઈ પૂર્વના ઋણાનુબંધને લીધે ગાઢ આસક્તિ હતી. તે તો તને ખબર છે ને? હા મહારાજ! અને કામરિત ગર્ભવતી છે તેનો પણ તને ખ્યાલ છે ને? હા મહારાજ! હવે જો પોતાના અતિપ્રિય ભાઈનું આવું આકસ્મિક પણ અત્યંત દયાજનક મૃત્યુ જોઈને કામતિ શોક અને આઘાતની મારી કાંઈક અનિષ્ટકારક પગલું લઈ લે તો શું થાય ? તો તેમની ને ઉદરમાં ઉઝરતાં બાળકની હાલત બરબાદ થાય, મહારાજ! અને મને કામરતિ પ્રત્યે કેટલી પ્રીતિ છે તે તું જાણે છે ને? હા મહારાજ! અને એના ઉદરે પાકનારું બાળક જ મારા રાજ્યનું ભાવી વારસદાર ગણાય તે પણ તું સમજી શકે છે ને? હા મહારાજ! તો જો એ બે જીવોનું કાંઈ અનિષ્ટ થઈ જાય તો મારું ને મારા રાજ્યનું શું થાય, તે તું કલ્પી શકે છે ? હા મહારાજ! ભાઈ જિનમિત્ર! તું બધું સમજતો જ હોય, છતાં તને ફોડ પાડીને કહું કે સામાન્ય સંજોગોમાં, કામદેવને મૃત્યુ પામેલો જાણતાં ને જોતાં જ દેવી બેભાન થઈ જાત; કદાચ આઘાતના ઉદ્રેકમાં પ્રાણ પણ ત્યજી દેત. અને તો તેના ગર્ભમાં રહેલ બાળકનું પણ મૃત્યુ જ નીપજત. Jain Education International હવે એને ગર્ભ ઉત્તમ-સ્વપ્ને સૂચિત છે. અને સ્વપ્નના સંકેત પ્રમાણે એ બાળક પ્રતાપી સમ્રાટ રાજા થનારો છે. એણે બાળકના ગર્ભાવતારની રાત્રે પ્રચંડ તેજથી ઝળહળતા સૂર્યનાં દર્શન કર્યાં હતાં, એટલે આ બાળક સૂર્ય-સદેશ પ્રતાપી થનાર હોવા વિશે શંકા જ નથી. હવે જો આવાં માતા-પુત્રનાં મૃત્યુ આ રીતે થાય તો શું થાય? માટે મિત્ર, મેં આ ભજવું છું તે વેષ ભજવવાનો તત્ક્ષણ નિર્ણય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy