SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વરકુંડલ 8 ૧૧૧ - તેને જીવતો આવવા જ કેમ દેશે? માટે આપ વીરસેનને આશા પાઠવી કે સિંધુણને ધર્મદ્વાર વાટે બહાર નીકળવા દે અને અહીં આવવા દે, તો આપની આજ્ઞાનું પાલન અમારે માટે પણ શક્ય બને. અમે પણ સિંધુણ પાસે અમારા માણસો મોકલીને, બધું છોડીને ચૂપચાપ અહીં આવતા રહેવાનું કહેવડાવી દઈએ. કુમારે વિરસેનના સેવકોને મધરાતે જ ફૂંક મારી દીધેલી કે હું આ નિર્ણય લેવાનો છું, ને તેની અધિકૃત માણસ દ્વારા જાણ કરીશ તેમ વીરસેનને કહી દેજો. એ જ વાત તેણે આ બે રાજાઓના દેખતાં પોતાના સેવકોને કહી કે વીરસેન પાસે જાવ ને કહો કે સિંધુણને ગઢમાંથી બહાર નીકળી અત્રે આવવા દે, કોઈ અવરોધ કે ઉપદ્રવ ન કરે. બધા સેવકો રવાના થયા, એ સાથે જ કુમારે બન્ને રાજાઓને આજ્ઞા કરી કે તમે બન્ને હવે મારી સાથે કુસુમપુર ચાલો. ત્યાં પહોંચીશું ત્યાં તો સિંધુષેણ પણ ત્યાં આવી જશે, એટલે બધી યોજના કરી લઈશું. બેય રાજાઓનો આજ્ઞા સ્વીકાર્યા સિવાય છૂટકો જ નહોતો. બન્ને કુમારની સાથે જ કુસુમપુર ગયા. કુમારના આગમન સાથે જ પ્રિય મિત્ર શ્રેષ્ઠીએ પોતાના જિનાલયમાં અષ્ટાલિકા મહોત્સવ પ્રારંભ્યો. પેલી બાજુ, વીરસેનને વજકુંડલનો અધિકૃત સંદેશો મળતાં જ તેણે બે રાજવીઓના માણસોને પખંડપુરમાં પ્રવેશ કરવાની રજા આપી, ને તે પછી સિંધર્ષણ અને તેનો પરિવાર ધર્મદ્વારે આવતાં તેને બહાર નીકળીને કુસુમપુર જવા માટેનો માર્ગ પણ મોકળો કરી આપ્યો. આમ, લોહીનું એક પણ ટીપું રેડાયા વિના તેનો વિજય થયો. પોતાનો લાડીલો કુમાર વિજયી થઈને પાછો આવ્યો, તેના હરખમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy