SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ * સમરું પલપલ સુવ્રત નામ તે જ દિવસે તેને પાછો શ્રીખેડપુર તરફ રવાના કરી દીધો. શ્રીખેડપુર એવા બિંદુ ૫૨ વસેલું નગર હતું કે ત્યાંથી કુસુમપુર છ યોજન થતું, તો પદ્મખંડપુર પણ છ યોજનના અંતરે જ હતું. અને અશ્વો તો પવનવેગી હતા. વળી બદલાતા પણ રહેતા. એટલે માધવ તે જ દહાડે સાંજ ઢળતાં તો વજ્રકુંડલ પાસે પહોંચી પણ ગયો. વજકુંડલે તેને આવકાર્યાં, ને તાબડતોબ પાછા આવવાનું કારણ જાણવા માગ્યું. માધવે વીરસેન સાથે ઘડેલી યોજના-અનુસાર નિવેદન કરતાં કહ્યું: મહારાજ! કુમાર વીરસેને આપને પ્રણામ અને વિનંતિપૂર્વક કહેવડાવ્યું છે કે અનંગદેવ અને મદનદેવ એ બન્ને રાજાઓ નજીક આવી પહોંચ્યા છે. મારો ઈરાદો એ છે કે જો વિના લડાઈએ જ કામ પતતું હોય તો વધું સારું. એટલે મેં એવું વિચાર્યું છે કે આપ મારી વહારે આવ્યા છો તેવી વાત કોઈ પ્રકારે હું તેમને પહોંચાડું. જો આપનું નામ સાંભળીને તે બન્ને ડરી જશે ને પાછા ચાલ્યા જશે કે સંધિ માટે હાથ લંબાવશે, તો તો વાત ત્યાં જ પતી જશે. અને તો આપ પણ કુસુમપુર જતાં રહેશો. પરુંત એ બન્ને, આપનું આગમન જાણ્યા પછી પણ, મારી સાથે યુદ્ધ કરવાનો આગ્રહ રાખશે, તો તેની જાણ હું આપને અર્ધી રાતે પણ ઉઠાડીને કરીશ. અને તો આપે આપના સૈન્યનો અર્ધો ભાગ મારા તરફ મોકલવો પડશે. આ આખું ચિત્ર સ્પષ્ટ થતાં હજી ચારેક દિવસ થાય. તો મારી વિનંતિ છે કે આપ ત્યાં સુધી શ્રીખેડપુરમાં જ સ્થિરતા કરો. વજ્રકુંડલે આ વ્યૂહરચનાને તે જ પળે સંમતિ આપી દીધી. એ સાથે જ માધવ ત્યાંથી પાછો વીરસેન પાસે જવા નીકળી ગયો. માધવ પાછો ફરતાં જ વીરસેને બે અત્યંત વિશ્વાસુ, નિર્ભય, વિવેકી અને સમયોચિત પાઠ ભજવવામાં એકદમ નિપુણ એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001173
Book TitleSamru Pal Pal Survrat Nam
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1999
Total Pages321
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, Tirthankar, & Munisuvrat Bhagwan Jivan Katha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy