SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખને આપનારાં કર્મ ખરાબ છે. સુખને આપનારાં કર્મ મહાખરાબ છે. પાપ કરાવનારાં કર્મ ખરાબમાં ખરાબ-મહાખરાબ છે. દુનિયાનું સારું મળે એ પુણ્યોદય છે, પણ દુનિયાનું સારું જોઇએ, એ મહાપાપોદય છે.” એ વાત ન સમજાય ત્યાં સુધી મિથ્યાત્વ અને કષાયોનું જોર ઘટે નહિ. ચક્રવર્તીને ચક્રવર્તિપણામાં પણ “મારો મહાપાપોદય ચાલી રહ્યો છે.” એવું ભાન ન હોય તો, એ પણ અજ્ઞાન અને મૂર્ખ છે. સુખ સારું લાગે છે', એ ભૂંડું નથી લાગતું એ મિથ્યાત્વ. સુખ સારું લાગે છે-એ અવિરતિ. સુખ મેળવવાની મહેનત અને ધાંધલ-એ કષાય. મળ્યા પછી ઉન્માદ થાય-એ સંન્નિપાત છે. મોક્ષની ઇચ્છાથી ધર્મક્રિયા કરે એ જ આરાધક છે, તે સિવાયની આરાધના કરનારો આરાધક નથી પણ મહાવિરાધક છે. જેનું પરિણામ ખરાબ હોય તે વિરાધના જ છે. મોક્ષાર્થે જ ધર્મક્રિયા કરનારો શુલપાક્ષિક કહેવાય. માન મળે પુણ્યથી, પણ માન લેવાનું મન થાય એ પાપોદય અને માન લેવા માટેની ધાંધલ એ મહાપાપોદય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy