SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ‘‘નમો અરિહંતાણ-નમો સિદ્ધાણં'’ ગણનારને અરિહંત કે સિદ્ધ થવું છે ? એ માટે સાધુપણાનો ખપ છે ? એ લક્ષ્ય વિના બીજા જ ધ્યેયથી ગણનારા મિથ્યાત્વી છે. ܀܀܀ સંયમ એટલે : મળેલા સુખને છોડવું, આવે તો લેવું નહિ. ભવિષ્યમાં ઇચ્છવું નહિ, દુઃખ મજેથી ભોગવવું. સંયમ કેમ સારું ઃ હિંસા કરવી નહિ, ખોટું બોલવું નહિ, ચોરી કરવી નહિ, સુખનો ભોગવટો નહિ, પરિગ્રહનો સંગ્રહ નહિ. “આપણે બધાએ અહીંથી, બધું મૂકીને જવાનું છે.’” એ વાતની બરાબર પ્રતીતિ થાય તો જીવનની સાર્થકતાનું બારઆની કામ થઇ જાય. કોઇ પણ જીવ જગતમાં એકની એક સ્થિતિમાં સદાને માટે રહી શકતો નથી, એને મરવાનું જ છે. ܀܀܀ ધર્મોપદેશ માટે લાયક કોણ ? જે માણસ સુખ અને સુખના સાધન પૈસાને ભૂંડો ગણે, પૈસા માટે અનીતિના આચરણને અતિભૂંડું ગણે અને નીતિના ઉદ્યમથી જે મળે, તેમાં સંતોષ માને, તે જ માણસ ધર્મોપદેશ માટે લાયક. ܀܀܀ પોતાના માલિક-સ્વજન-મિત્ર-ભલો માણસ-વિશ્વાસુ વગેરેના વિશ્વાસનો ભંગ ન કરવો એનું નામ નીતિ અને એનાથી ઊલટી અનીતિ. 51 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy