SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રસ્તાવના ) સંસારવર્તી સર્વે જીવો કર્મોની પરતંત્રતામાં ફસાયેલા છે. અનાદિ કાળથી કર્મોનું જોર ઘણું જ તીવ્ર બન્યું છે. તેને તોડવા માટે મનુષ્યભવ, આર્યકુલ, જૈનધર્મની પ્રાપ્તિ એ પરમ સાધન છે. અન્ય કોઈ પણ ભવોમાં સુંદર સમજ, વિશિષ્ઠ બુદ્ધિમત્તા, પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયોની પ્રાપ્તિ શક્ય નથી. માટે જ માનવભવની ઘણી જ કિંમત છે. તેમાં પણ નિરોગી દેહ અને જૈનધર્મની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે. જૈન ધર્મમાં પૂર્વભવોનાં બાંધેલા કર્મોને ખપાવવાના અનેક ઉપાયો સમજાવ્યા છે. તેમાં “પરમાત્માની ભક્તિ” એ સૌથી શ્રેષ્ઠ સાધન ગણાવ્યું છે. આ આત્મા જ્યારે જ્યારે પ્રભુભક્તિમાં લીન થાય છે. ઓતપ્રોત બની જાય છે ત્યારે સંસારી તમામ ભાવો ભૂલી જાય છે. રાગ-દ્વેષનાં બંધનો તૂટી જાય છે. ભાવાવેશમાં આવેલા આ જીવો ભક્તિરસમાં આનંદવિભોર બની જાય છે. આ માટે અષ્ટાપદ પર્વત ઉપર બનેલ મંદોદરી અને રાવણ રાજાનું દૃષ્ટાન્ત પ્રખ્યાત છે. આ ભક્તિરસ કર્મક્ષયનું પ્રધાનતમ કારણ છે. નજીકના જ ભૂતકાળમાં થયેલા, મધુર રાગોમાં કાવ્યો બનાવનાર તરીકે સુપ્રસિદ્ધ એવા પરમ પૂજય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. તથા પૂ. વીરવિજયજી મ. સાહેબે વિવિધ રાગોમાં શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજાઓ બનાવી છે. આ રચના અલૌકિક છે. રાગ અને તાલ મનોહર છે. તેમાં શાસ્ત્રોના ઘણા ભાવો ટંકારાયા છે. અપૂર્વ જ્ઞાનરસ ભરેલો છે. મનન-ચિંતન અને એકાગ્રતાપૂર્વક આ પૂજાઓ ગાવા જેવી છે. ભણવા જેવી છે ભણાવવા જેવી છે અને સમજવા-સમજાવવા જેવી છે. આ પુસ્તકમાં મૂળપૂજાઓ સાથે તેના અર્થો પણ આપ્યા છે તથા દરેક પાનામાં ઉપર-ઉપરના અર્ધા ભાગમાં મૂળપૂજા અને તે જ પાનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy