________________
33
સ્નાત્ર પૂજા સાથે તવ તસ ખોળે ઢવી અરિહાને, સોહમપતિ મનરંગે, વૃષભ રૂપ કરી શૃંગ જળ ભરી, હવણ કરે પ્રભુ અંગે; પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રોલે, મંગળદીવો આરતી કરતાં, સુરવર જય જય બોલે. પ. ભેરી મુંગળ તાલ બજાવત, વળિયા જિન કર ધારી, જનનીઘર માતાને સોંપી, એસીપરે વચન ઉચ્ચારી; પુત્ર તુમારો, સ્વામી હમારો, અમ સેવક આધાર; પંચ ધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણ હાર. ૬. બત્રીસ કોડી કનક મણિ માણેક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે;
તે પ્રમાણે ઇશાનંદ્રની માગણીથી સૌધર્મેન્દ્ર તેના ખોળામાં પ્રભુને બેસાડી પોતે વૃષભનું રૂપ કરી, શિંગડામાં જળ ભરી તે વડે પ્રભુને અંગે ન્યવણ કરે છે. પછી કેશર વગેરે પૂજા કરી, પુષ્પો ચડાવી, આરતીમંગળદીવો ઉતારે છે, તે વખતે દેવો જયજય શબ્દ બોલે છે.પ.
ત્યારપછી ભગવંતને હાથમાં ધારણ કરી, ભેરી ભુંગળ વગેરે વાજિંત્ર વગાડતા, તાલી પાડતા વાજતે ગાજતે માતા પાસે ઘરે આવી માતાને પ્રભુ સોંપી આ પ્રમાણે વચન કહે છે, “આ તમારો પુત્ર છે, અમારા સ્વામી છે. અમે તેમના સેવકો છીએ, આ પ્રભુ અમારા આધાર છે. એમ કહી પ્રભુને રમાડવા માટે રંભા વગેરે પાંચ ધાવમાતા મૂકે છે. ૬.
તિર્ય%ાંભક દેવો પરમાત્માના ઘરમાં બત્રીશ ક્રોડ સોનૈયા મણિ, માણેક અને વસ્ત્ર વગેરેની વૃષ્ટિ કરે છે, દેવતાઓ પોતાનો હર્ષ પૂર્ણ કરવા નંદીશ્વરદ્વીપે જાય છે. ત્યાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરી પોત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org