SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર અતિ જીવનાં ખામણું ૪૪૫ * ગર્ભજ, સંમૂર્ણિમ જલચર પચેદ્રિયના માં મચ્છ. કાચબા, સુસુમાર આદિ અનેક રૂપને ધારણ કરનાર મેં આડારને માટે જીવેને વિનાશ કર્યો હોય તેને પણ હું ખમાવું છું. ૧૦ વળી જલચર જીવના ભામાં ગયેલા મેં ઘણું પ્રકારના અને દેખીને ઘણીવાર છેદન-ભેદન કીધાં હશે તેને પણ હું ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું. ૧૧ ગર્ભજ-સંમર્ણિમ સર્વ પ્રમુખ ઉરપરિસર્પ, વાનર પ્રમુખ ભુજપરિસર્પ–કુતરા, બિલાડા પ્રમુખ સ્થલચર પચેંદ્રિય તિર્યંચના ભામાં મેં જે જીવેને છિન્ન ભિન્ન કરી દુઃખી કીધા અને ખાધા તેને પણ હું ખમાવું છું. ૧૨ આ જીવ ઘાતકાદિ અશુભકર્મથી શાલ, સિંહ, સંગ્ર, વાઘ, ચિત્તા, ગેંડા, રીંછ આદિ હિંસક શ્વાપદ જાતિમાં ઉત્પન્ન થયેલ મારા જીવે જે જીને છિન્નભિન્ન–વિનાશ કીધા તેને પણ હું ખમાવું છું. ૧૩ હલા, ગીધ, કુકડા, હંસ, બગલા, સારસ, કાગડા, બાજ, કાબરી, ચકલાદિ સંમૂર્ણિમ ગર્ભજ ખેચર પંચેન્દ્રિય ભવેને વિષે, મેં ભૂખને વશ થઈ કીમીય પ્રમુખ જીના ભક્ષણ કીધાં તેને પણ હું માનું છું. ૧૪ મનુષ્યના ભામાં રસેંદ્રિય લંપટ મુઢ પારધીની કીડા (શીકાર) ને કરનારા મેં જે જીવેને નાશ કીધે તેને પણ હું ખમાવું છું. ૧૫ વળી રસમાં ગૃદ્ધ થયેલા મેં શરીરની પુષ્ટિના લાભથી મધ, માંસ સેત (મધ) માખણ, અથાણું, વાસીરેટલી આદિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવાથી તેમાં રહેલા બેઈન્દ્રિયાદિક નો વિનાશ કીધે હેય તેને પણ હું માનું છું. ૧૬ વળી સ્પશેદ્રિયમાં લંપટ થયેલા મેં કન્યા, સધવા, કે વિધવારૂપ પરરી અને વેશ્યાદિકને વિષે ગમન કરવાથી જે જીવને દુખી અને વિનાશ કીધા હોય તેને પણ હું ત્રિવિધ મન વચન કાયાએ ખમાવું છું. ૧૭ વળી ચક્ષુઈદ્રિય, ધ્રાણેન્દ્રિય, શ્રોસેંદ્રિયના વશમાં પડેલા મેં જે છને દુઃખને વિષે પાડ્યા હોય તે જીવેને પણ હું ત્રિવિધ ત્રિવિધે અમાવું છું. ૧૮ . . . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy