SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ શ્રી વિધિ સંગ્રહ આત્માઓ અનશન કરી, શરીરની મમતાને ત્યાગ કરી એક્ષપદને પામ્યા છે, તે હું આ ક્ષેત્રમાં આવી શું છેડીશ? સરોવરનું પાણી શાંત પડે પછી નીચે પડેલી વસ્તુ દેખાય તે રીતે આપણે યાત્રા કરતાં બીજા વિચારે ને કાયે છેડીયે તે જ યાત્રાને આનંદ અને લાભ પામી શકાય, ત્યાગને આનંદ, ત્યાગની ઝાંખી આપણે આપણી વૃત્તિઓ અને ટે છેડીયે તે જ મલી શકે. કેટલાક ભાવિકે ઉપર જઈને નાના છોકરાને ભૂખ લાગી છે એમ કહી તેની સાથે પોતે પણ દહીં ઢેબરા ખાવા બેસી જાય છે. આ વાત પણ ચગ્ય નથી. શું આપણે પાંચ છ કલાક ખાવાને ત્યાગ ન કરી શકીયે? શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાએ જતાં યાત્રાળુઓને ઉપયેગી વિગત શ્રી ગિરિરાજની યાત્રાએ જતાં તલાટીએ તીર્થરાજની સન્મુખ ત્યવંદન કરવું. ત્યાં આજુબાજુ શ્રી આદિનાથ ભગવાનનાં પગલાં છે. સામે લાઈનબંધ દેરીઓમાં શ્રી આદિનાથ ભગવાન તથા પુંડરીકસ્વામીજી આદિનાં પગલાંઓ છે ને ત્યાંથી આગળ વધતાં શ્રી ગૌતમસ્વામીજી, શ્રી કુંથુનાથ ભગવાન આદિનાં પગલાં છે તેના દર્શન કરવાં. ઉઘાડે પગે વિવેકપૂર્વક શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાએ આગળ વધતાં બીજા વિસામાની સામે ભરત ચક્રવર્તિ, જેઓએ આ અવસર્પિ અણુમાં પહેલે સંઘ કાઢયે હતે તેમની પાદુકા છે. તેના દર્શન કરી આગળ વધતાં ત્રીજા વિસામે નવા કુંડથી ઉપર ચઢતાં જમણી બાજુએ દેરી છે. તેમાં શ્રી આદિનાથ, તથા શ્રી નેમનાથ પ્રભુના ગણધર શ્રી વરદત્તનાં પગલાં છે. ત્યાંથી ચેથા પછી પાંચમા વિસામે કુંડની જોડે ઊંચી દેરીમાં શ્રી બાષભદેવના પગલાંના દર્શન કરી હિંગરાજને હડે ચઢયા એટલે -નવા રસ્તે જતા નાકા પર દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનના પગલાં છે. જૂના રસ્તે આગળ વધતાં સમવસરણ આકારે ચેરા પર શ્રી મહાવીર સ્વામીજીના પગલાં છે. ત્યાં દર્શન કરી આગળ વધ્યા એટલે છાલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy