SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશબંધના ભાંગા, ૧૩૯ એહની ભાવના આ પ્રમાણે-જ્યાં સર્વ થકી ઘણા કર્મસ્કંધ રહે તે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરીએ; ત્યાંથી ઉતરતા થાવત સર્વથી થોડા રહે ત્યાં લગે તે સર્વે અનુકૃષ્ટ કહીએ; એ બે પ્રકાર માંહે સર્વ પ્રદેશબંધ આવ્યા. તથા જ્યાં સર્વથી થોડા પ્રદેશ બંધાય તે જઘન્ય પ્રદેશબંધ અને ત્યાંથી અનુક્રમે ચઢતાં ચાવત સર્વથી ઘણા કર્મ સ્કંધ બાંધે ત્યાં લગે સર્વ અજઘન્ય કહીએ; એ બે પ્રકાર માં પણ સર્વ પ્રદેશબંધ આવ્યા. ત્યાં ચાર દર્શનાવરણીય ક્ષેપક અને ઉપશામક સૂક્ષ્મસંપાયે ઉત્કૃષ્ટ ગવંત એક અથવા બે સમય લગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે; ઉત્કૃષ્ટ યોગની સ્થિતિ એટલીજ છે તે માટે, એમ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરીને ઉપશાન્તાવસ્થાએ અબંધક થઈને પડતા વળી એક અથવા બે સમય લાગે ઉત્કૃષ્ટ બંધ કરીને પછી અનુકૃષ્ટ બંધ કરે ત્યારે તે અનુકૂષ્ટ બંધ સાદિ ૧, એ અવસ્થા નથી પામ્યા તેને અનાદિ ૨, અભવ્યને ધ્રુવ ૩, ભવ્યને અધ્રુવ ૪. તથા નિદ્રા, પ્રચલા, ભય અને કુરછા એ ચારનો તો અવિરતાદિક અપૂર્વકરણ લગેના ઉત્કૃષ્ટ યોગી સમવિધ બંધકાળે એક અથવા બે સમયલશે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. એ અવિરતાદિક જ્યારે ઉત્કૃષ્ટ યોગ થકી અથવા બં ધોછેદ થકી પડીને અનુકૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યારે તે સાદિ ૧. એ અવસ્થા નથી પામ્યા તેને અનાદિ ૨, ધ્રુવ અધ્રુવ પૂર્વવત ૪. તથા અપ્રત્યાખ્યાનીય ૪ કષાયનો તો અવિરત સમ્યગ્દષ્ટિ ઉત્કટ ભેગી સંતવિધબંધક ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. ત્યાંથી પડતો અનુકૂષ્ટ બંધ કરે ત્યારે તે સાદિ ૧, તે ઉત્કટપણું નથી પામ્યા તેને અનાદિ ૨, ધ્રુવ, અઘુવ, પૂર્વવત ૪. એમ પ્રત્યાખ્યાનીય ૪ કષાયને દેશવિરતિએ કહેવો, સંજવલન ૪ કષાયને અનિવૃત્તિ બાદરે પુરુષવેદન બંધોછેદ કર્યા પછી પોતપોતાના બંધોછેદ અગાઉ એક અથવા બે સમય પર્યંત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, તે જ્યારે બંધાદ થકી. અથવા ઉત્કૃષ્ટ બંધ થકી પડતો અનુષ્ટ બંધ કરે તે સાદિ ૧, એ સ્થાનક પૂર્વે નથી જ પામ્યા તેને અનાદિ ૨, ઘવ અધવ પૂર્વવત ૪, તથા જ્ઞાનાવરણીય પ અને અંતરાય છે, એ દશેનો સૂમસંપરાયે ઉકગી એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, જ્યારે બંધ છેદ કરીને પડતો તથા ઉત્કૃષ્ટ બંધ થકી પણ પડતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy