SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ દીર્ઘદ્રષ્ટા સૂક્ષ્મ-તત્ત્વચિન્તક પરમશ્રદ્ધેય પંડિતપ્રવર શ્રી પ્રભુદાસભાઈ શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી સંસારચક્રમાં અનેકાનેક આત્માઓ જન્મ ધારણ કરી પોતાના કર્માનુસાર જીવન જીવી મૃત્યુ પામે છે. આ ઘટનાચક્ર અનાદિકાળથી ચાલતું આવ્યું છે. તેમાં સૂક્ષ્મ પ્રજ્ઞાશાલી શલાકાપુરુષ જેવા એટલે લોકભાષામાં આંગળીને વેઢે ગણાય એવા કોઈ વિરલ પુરુષ જ પાકતા હોય છે, તેમાંય આત્મિક જ્યોતને જલતી રાખી અન્ય અનેક આત્માઓને તેજોમય બનાવનાર તો કોઈક વિરલ જ હોય છે. આવા વિરલ પુરુષ આપણા પૂજ્ય પ્રભુદાસભાઈ છે. આજના આવા વિષમ વાતાવરણમાં ભારતીય સંસ્કૃતિ શ્રીસંઘ સુવ્યવસ્થાની અહાલેક જગાવનાર આ વીસમી સદીમાં વિરલ જ હોય તેવા શ્રી પ્રભુદાસભાઈએ વિ. સં. ૧૯૪૯માં રાજકોટ સમઢીયાળા પાસે ખેઇડી ગામમાં જન્મ ધારણ કરેલ અને ત્યાર પછી તેમને પિતાની સાથે સમઢીયાળા ગામમાં રહેવાનું થયું. બહુ કષ્ટ વેઠી ગુજરાતી અભ્યાસ માટે પણ નાના ગામડેથી પાંચ માઈલ ચાલતા અભ્યાસનાં સાધનો તથા ખાનપાનની થેલી લઈ જવું પડતું અને સાંજે પાછા આવી જવાનું. વિ. સં. ૧૯૬૩માં શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં પ્રવેશ પામી જૈિન તત્ત્વજ્ઞાન, પ્રકરણો, તેમ જ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, ત્યાં ગુરુ ભગવંતોનો પરિચય, શાસ્ત્રશ્રવણ તેમ જ જૈનેતર સાહિત્યનું પણ વાંચન-મનન-પરિશીલન ઘણું કર્યું. પ્રારંભમાં અનેકવિધ વિચારણાઓમાં તલ્લીન રહેતા, તેમાં ચરખા ચલાવે, ખાદીધારી થયા. પાટણ અને રાધનપુરની બોર્ડિંગ ચલાવી ન્યાય, નીતિ, અને દેશની પરતંત્રતાને લગતા વિચારો ધરાવે. એમ કરતાં એક વખત બ્રિટિશ સરકારે મોહનદાસ કરમચંદ ગાંધીને પકડ્યા, તેમને કેમ પકડ્યા, કયા ધોરણે, કયા કારણસર ? આવા બધા વિચારો આવતાં તેઓશ્રીના મગજમાં વીજળીનો ચમકારો થાય તેમ ચમકારો થયો કે, આ બધું ભારતીય આર્યપ્રજાની શાંતિ, સુખાકારી, નૈતિકતા, સંસ્કૃતિ, એક સંપી પરસ્પરનું વાત્સલ્ય આ બધાંનો નાશ કરવાનું એક મહાન કાવતરું હોય એમ લાગ્યું. આ આકસ્મિક સંજોગોમાં મગજમાં કોઈ નવીન જ ચમકાર થતાં, ભારતની પ્રજાની ભયંકર પાયમાલી દેખાવા માંડી, ચરખો ચલાવવો, ખાદીધારીપણું, કાંતણ વગેરે ઊંચું મુકાઈ ગયું, ૫૨ સૌજન્ય : શ્રી દર્શન વિદ્યુત સામાયિક મંડળ, થરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy