SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્ષક પાસે ભણનાર વિદ્યાર્થીના ભાવિજીવનને શિલ્પીની જેમ સારા ચિત્રકારની જેમ તૈયાર કરવાની શિક્ષકની જવાબદારી છે તેથી શિક્ષકે સારા માર્ગદર્શક બની શકે તેવો અનુભવ મેળવવો જરૂરી છે. (૨) આચાર શુદ્ધિ : બાળકોનું માનસ કોરી સ્લેટ જેવું હોય છે. બાળકો અનુકરણ કરવાના સ્વભાવવાળા હોય છે. તેથી શિક્ષકના આચરણની, સંસ્કારોની બાળકો ઉપર છાપ પડે છે. તેથી ઉત્તમ વિચારો સાથે શુદ્ધ આચરણ કરી વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરવું જોઈએ. દૂત્રાશ્રય મહાકાવ્યમાં કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય ભગવને પાટણના વિદ્વાનો વિષે જણાવેલ છે કે વિદ્યાર્થીઓના હૃદયને જીતતા કુટિલ આશયવાળાને મમતા અને પ્રેમથી સરળ આશયવાળા બનાવતા બધાને ખુશ કરતા સાહિત્ય, ન્યાય, વ્યાકરણાદિ સર્વ વિષયો વિદ્યાર્થીઓને સરળ પદ્ધતિથી અધ્યયન કરાવતા વિદ્વાનોએ સારી પ્રસિદ્ધિ મેળવી હતી. આશય એ છે કે શિક્ષકોમાં વિદ્યાર્થીઓને ઉપયોગી સર્વ વિષયોનું જ્ઞાન હોવું જોઈએ. (૩) નિઃસ્પૃહી જીવન : સમ્યગુજ્ઞાનના દાનનો ઘણો મહિમા છે. જ્ઞાનદાનને દાનોમાં શ્રેષ્ઠ દાન કહેલ છે. તેથી માનસિક પ્રસન્નતા સાથે શિક્ષકની સ્વીકારેલી જવાબદારીને નિઃસ્પૃહભાવે નિભાવવી જોઈએ. (૪) ક્રિયા રુચિ-જીવન : “જ્ઞાન-ક્રિયાભ્યાં મોટ” સૂત્રને યથાર્થ કરવા જ્ઞાન સાથે ક્રિયાનો સુભગ સમન્વય હોવો જરૂરી છે. શિક્ષક પોતે ક્રિયા રુચિવાળો હોય તે સ્વાભાવિક છે. પરંતુ બાળકોને ક્રિયા સૂત્રોનાં રહસ્યો સમજાવી ક્રિયાની પ્રત્યક્ષ તાલીમ આપવી જોઈએ. બાળકોને કથા સાંભળવાની રુચિ બહુ હોય છે. તેથી મહાપુરુષોનાં ચરિત્રો-કથાઓ કહી મહાપુરુષોના આદર્શો સમજાવવા જોઈએ. આ સાથે શિક્ષકે હંમેશાં સારા સાહિત્યનું વાંચન કરવું જોઈએ. સારા સાહિત્યના વાંચનથી બુદ્ધિની તેજસ્વિતા વધવા સાથે રજૂઆતની શૈલી પ્રાપ્ત થાય છે. આદર્શ શિક્ષક સમાજનો ઘડવૈયો છે. શિક્ષકે અધ્યાપનની જવાબદારી નિભાવવા સાથે પ્રસંગોપાત્ત સંઘના વહીવટમાં માર્ગદર્શન પ્રેરણા આપી સંઘનું નેતૃત્વ સંભાળવા તત્પર રહેવું જોઈએ. પરંતુ આ કાર્ય માટે મૌલિક દૃષ્ટિ વહીવટી સૂઝ બહુ જરૂરી છે. ઘણા સંઘો દરેક કાર્યોમાં શિક્ષકના પડતા બોલને અનુસરતા જોવામાં આવે છે. ધાર્મિક શિક્ષકની સજ્જતા યોગ્યતા અંગે વિચારણા કરતાં સમાજના આગેવાનોની પણ ધાર્મિક શિક્ષક સાથે વ્યવહારની ફરજો અંગે પણ વિચારવું જરૂરી છે. સમાજના આગેવાનોએ શિક્ષકની ફરજો, શિક્ષકની કાર્ય કરવાની શક્તિને બિરદાવીને સતત પ્રોત્સાહન આપવું જોઈએ. સમ્યગું જ્ઞાન આપનાર શિક્ષકને સમાજમાં મોભાદાર સ્થાન આપવું જોઈએ. ગુરુજી, સાહેબ સૌજન્ય : શ્રી ચીમનલાલ ભીખાચંદ, ધાનેરા ૧૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001098
Book TitleShatabdi Yashogatha
Original Sutra AuthorN/A
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1998
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy