SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૨૮ ૭૯ - ૨૫ - ૨૬ - ૨૭ના ઉદયમાં એકેન્દ્રિય જીવોને અનુક્રમે ૫ + ૧૧ + ૭ + ૧૩ + ૬ = ૪૨ ઉદયભાંગા થાય છે. વિક્લેન્દ્રિયને ૬ ઉદયસ્થાનક અને ૬૬ ઉદયભાંગા - બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવોને ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એમ ૬ ઉદયસ્થાનક હોય છે. ત્યાં ૨૧ પ્રકૃતિનો ઉદય વિગ્રહ ગતિમાં હોય છે. પ્રકૃતિઓ એકેન્દ્રિયની જેમ હોય છે. છતાં યથાયોગ્ય તેમાં ફેરફાર કરવાનો હોય છે. જેમ કે એકેન્દ્રિય જાતિને બદલે બેઇન્દ્રિયાદિ જાતિ, સ્થાવરને બદલે ત્રસ, બાદર - સૂક્ષ્મમાંથી એકને બદલે માત્ર બાદર જ, વગેરે ફેરફારો આપણી બુદ્ધિથી સમજી લેવા. તે ૨૧ પ્રકૃતિઓ આ પ્રમાણે છે (૭) દૌર્ભાગ્ય (૮) અનાદેય (૯) યશ અયશમાંથી ૧ આ નવ તથા ૧૨ ધ્રુવોદયી. એમ ૨૧નો ઉદય વિગ્રહગતિમાં હોય છે. આ ૨૧નો ઉદય વિગ્રહગતિમાં હોય છે. બેઇન્દ્રિય જીવોને બેઇન્દ્રિય જાતિનો ઉદય, તેઇન્દ્રિય જીવોને તેઇન્દ્રિય જાતિનો ઉદય અને ચઉરિન્દ્રિય જીવોને ચઉરિન્દ્રિય જાતિનો ઉદય હોય છે. પર્યાપ્ત સાથે યશ અને અયશના ઉદયના ૨ ભાંગા અને અપર્યાપ્ત સાથે માત્ર અયશના ઉદયનો ૧ મળીને કુલ ૩ ઉદયભાંગા ૨૧ના ઉદયે બેઇન્દ્રિય જીવોને હોય છે. (૧) પર્યાપ્ત-યશ, (૨) પર્યાપ્ત-અયશ, (૩) અપર્યાપ્તઅયશ આમ ૩ ભાંગા જાણવા. (૧) તિર્યંચ ગતિ (૨) બેઇન્દ્રિયાદિ જાતિ (૩) તિર્યંચાનુપૂર્વી Jain Education International (૪) ત્રસ (૫) બાદર (૬) પર્યાપ્ત અપર્યાપ્તમાંથી ૧ વિગ્રહગતિ સમાપ્ત કરીને ઉત્પત્તિસ્થાનમાં આવે ત્યારે પ્રથમ સમયથી જ આનુપૂર્વીનો ઉદય ટળી જાય છે અને શરીર સંબંધી ૬ પ્રકૃતિઓ ઉદયમાં શરુ થાય છે. આહાર લેવાના કારણે અને શરીર રચનાના પ્રારંભના કારણે (૧) ઔદારિક શરીર, (૨) ઔદા. અંગોપાંગ, (૩) છેવટ્ટુ સંઘયણ, (૪) હુંડક સંસ્થાન, (૫) ઉપઘાત અને (૬) પ્રત્યેક નામકર્મ - આ ૬ પ્રકૃતિ ઉમેરતાં ૨૬નું ઉદયસ્થાન બને છે. ત્યાં પણ પર્યાપ્ત અપર્યાપ્ત અને યશ-અયશ આ બે જ પ્રતિપક્ષી હોવાથી પર્યાપ્તની સાથે યશ - અયશના ૨ અને અપર્યાપ્તની સાથે અયશનો ૧ એમ ત્રણ જ ઉદયભાંગા બેઇન્દ્રિય જીવોમાં ૨૬ના ઉદયના થાય છે. બેઇન્દ્રિયાદિ જીવો માત્ર બાદર અને પ્રત્યેક જ હોવાથી ત્યાં સૂક્ષ્મ અને સાધારણનો ઉદય હોતો નથી. – - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy