SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૧૯ ૪૩ સંજ્વલન ક્રોધાદિ ચાર કષાયમાંનો ૧ કષાય અને ત્રણ વેદમાંનો ૧ વેદ એમ બે પ્રકૃતિનું એક જ ઉદયસ્થાનક હોય છે. ત્યાં જ કષાય x ૩ વેદ = ૧૨ ઉદયભાંગા થાય છે. ચોવીસી ન હોવાથી ઉદયપદ કહેવાતાં નથી. કારણ કે ૧ ચોવીસીના કોઇપણ એક ભાંગે એકસાથે એક જીવને ઉદયમાં આવેલી પ્રકૃતિઓ, તે ઉદયપદ કહેવાય છે. અહીં ચોવીસી ન હોવાથી આ વ્યાખ્યા લાગુ પડતી નથી. પરંતુ બારે ભાંગે બે બે પ્રકૃતિઓ ઉદયમાં હોવાથી ૧૨ ૪ ૨ = ૨૪ ઉદયપદવૃંદ થાય છે. આ પ્રમાણે પાંચના બંધે ૧ બંધમાંગો, બે પ્રકૃતિનું ૧ ઉદયસ્થાનક, તેના ૧૨ ઉદયભાંગા અને ૨૪ ઉદયપદવૃંદ હોય છે. મે ૧૮ છે. इत्तो चउ बंधाइ, इक्किक्कुदया हवंति सव्वे वि । बंधोवरमे वि तहा, उदयाभावे वि वा हुज्जा ॥ १९ ॥ एतस्माच्चतुर्बन्धादय, एकैकोदया भवन्ति सर्वेऽपि । बन्धोपरमेऽपि तथा, उदयाभावेऽपि वा भवेत् ॥ १९ ॥ ગાથાર્થ - આ (પાંચના) બંધથી આગળ ચારનો બંધ વગેરે (૪ - ૩ - ૨ - ૧ આમ) ચારે બંધસ્થાનકો એક એક પ્રકૃતિના ઉદયવાળા છે તથા દસમા ગુણસ્થાનકે બંધનો ઉપરમ (વિરામ) થવા છતાં પણ ઉદય હોય છે અને અગિયારમા ગુણસ્થાનકે ઉદયનો અભાવ હોવા છતાં પણ સત્તા હોય છે. તે ૧૯ / વિવેચન - બંધને આશ્રયી નવમા ગુણસ્થાનકના પાંચ ભાગ કર્યસ્તવાદિમાં જણાવેલા છે. ત્યાં પ્રથમ ભાગના ચરમ સમયે પુરુષવેદનો બંધ વિચ્છેદ થાય છે. તે જ સમયે વેદનો ઉદય પણ ટળી જાય છે. “પુરુષવેલી ૪ યુપત્ વન્યો વ્યવસ્થિત' આવું ટીકાકારનું વચન છે. તથા “રવિવંથ વેલો પુસિવંધે ય જુવં પિ દિલમેવ ૩યાઈ નઝ્મતિ' આવું ચૂર્ણિકારનું વચન છે. તેથી પુરુષવેદનો બંધવિચ્છેદ થાય ત્યારે વેદનો ઉદય પણ વિચ્છેદ થતો હોવાથી નવમા ગુણઠાણાના બીજા ભાગે ચારના બંધે ૧ સંજ્વલન કષાયનો જ ઉદય હોય છે. તેના ક્રોધ - માન - માયા - લોભને આશ્રયી ચારના બંધે એકના ઉદયના ચાર ઉદયભાંગા થાય છે. કારણ કે કોઈ જીવે ક્રોધના ઉદયે શ્રેણીનો પ્રારંભ કર્યો હોય, કોઈ જીવે માનના ઉદયે શ્રેણીનો પ્રારંભ કર્યો હોય, એમ ચાર પ્રકારનો ઉદય સંભવી શકે છે. માટે ચારના બંધે એકના ઉદયે ૪ ઉદયભાંગા થાય છે. અહીં કોઈક આચાર્યો પુરુષવેદનો બંધવિચ્છેદ થવા છતાં પણ તેની સાથે જ વેદનો ઉદયવિચ્છેદ થઈ જાય એમ માનતા નથી. પરંતુ બંધવિચ્છેદ થયા પછી ચારના બંધે પ્રારંભમાં કેટલોક કાલ વેદનો ઉદય હોય છે એમ માને છે. તેઓના મતે ચારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy