SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. ગાથા : ૧૪-૧૫ છઠ્ઠો કર્મગ્રંથ વિવેચન - એકી સાથે જે પ્રકૃતિઓ સત્તામાં હોય તેને સત્તાસ્થાનક કહેવાય છે. મોહનીયકર્મનાં કુલ ૧૫ સત્તાસ્થાનકો છે. સમ્યકત્વ પામેલા જીવો સમ્યકત્વના પ્રતાપે મિથ્યાત્વમોહનીય કર્મનાં દલિકોને શુદ્ધ કરીને ત્રિપુંજીકરણ કરે છે. ત્યારથી એક મિથ્યાત્વમોહનીયને બદલે સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય એમ ૩ પ્રકૃતિઓ દર્શનમોહનીયની સત્તામાં ગણાય છે. આવા જીવોને મોહનીયકર્મની ૨૮ની સત્તા હોય છે. તે જીવો સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે જ્યારે આવે છે ત્યારે પ્રથમ સમયથી જ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉવલના કરે છે. (તે બન્ને પ્રકૃતિનાં દલિકો ઉદ્ગલના સંક્રમ વડે મિથ્યાત્વમોહનીયમાં નાખે છે.) પલ્યોપમનો એક અસંખ્યાતમો ભાગ કાલ જાય ત્યારે સમ્યકત્વ મોહનીય સંપૂર્ણપણે ઉકેલાઈ જાય છે. (મિથ્યાત્વમોહનીયમાં સંક્રમી જાય છે.) સમ્યકત્વમોહનીય સંપૂર્ણ ન સંક્રમે ત્યાં સુધી ૨૮ની સત્તા અને ઉવલના સમાપ્ત થયા પછી ર૭ની સત્તા હોય છે તથા મિશ્રમોહનીયની પણ ઉવલના મિથ્યાત્વગુણસ્થાનકના પ્રથમ સમયથી શરુ કરેલી છે. પરંતુ પલ્યોપમના બે અસંખ્યાતમા ભાગ જાય ત્યારે ઉવલના પુરી થાય છે. એટલે સમ્યકત્વ મોહનીય ઉવેલાયે છતે જે ૨૭ની સત્તા છે તે જ મિશ્રમોહનીયની ઉર્વલના પુરી થાય ત્યારે ૨૬ની સત્તા બને છે અથવા અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવ કે જેણે ત્રિપુંજીકરણ કર્યું જ નથી તેવા જીવને પણ ૨૬ની જ સત્તા હોય છે. તથા ૪ થી ૭ ગુણસ્થાનકમાં વર્તતા જીવો જ્યારે ક્ષાયિક સમ્યકત્વ પામવાની શરુઆત કરે છે, ત્યારે સૌથી પ્રથમ અનંતાનુબંધી ચાર કષાયોનો ક્ષય કરે છે. તે ક્ષય ન થાય ત્યાં સુધી ૨૮ની સત્તા, અનંતાનુબંધી ચાર કષાયોનો ક્ષય અથવા વિસંયોજના કર્યા પછી ૨૪ની સત્તા, મિથ્યાત્વ મોહનીયનો ક્ષય કર્યા પછી ર૩ની સત્તા, મિશ્રમોહનીયનો ક્ષય કર્યા પછી ૨૨ની સત્તા અને સમ્યકત્વ મોહનીયકર્મનો ક્ષય કર્યા પછી ૨૧ની સત્તા હોય છે. ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણસ્થાનકના પ્રારંભમાં અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ૪+૪=૮ કષાયોનો ક્ષય કરવાથી ૧૩ની સત્તા, ત્યારબાદ નપુંસકવેદનો ક્ષય કરવાથી ૧૨ની સત્તા, સ્ત્રીવેદનો ક્ષય કરવાથી ૧૧ની સત્તા, હાસ્યષકનો ક્ષય કરવાથી પાંચની સત્તા અને ત્યારબાદ પુરુષવેદ, સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભનો ક્રમશઃ ક્ષય થવાથી અનુક્રમે ચાર-ત્રણ-બે અને એકની સત્તા થાય છે. આ પ્રમાણે મોહનીયકર્મનાં ૨૮-૨૭-૨૬-૨૪-૨૩-૨૦-૨૧-૧૩-૧૨-૧૧-૫-૪-૩-૨-૧ કુલ ૧૫ સત્તાસ્થાનો છે. મોહનીયકર્મમાં બંધસ્થાનક ૧૦, ઉદયસ્થાનક ૯ અને સત્તાસ્થાનક ૧પ છે. તે ત્રણેના પરસ્પર ભાંગાઓના વિકલ્પો ઘણા થાય છે. જે જાણવા જેવા છે. હવે પછીની ગાથાઓમાં તે સઘળી વાત કહેવાશે. | ૧૪-૧૫ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy