SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૧ નામકર્મ-સમ્યકત્વમાર્ગણા સમ્યકત્વ માર્ગણા : - મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્રમાં બંધસ્થાનાદિક અનુક્રમે પહેલા-બીજા અને ત્રીજા ગુણસ્થાનક પ્રમાણે હોય છે. તેથી અહીં ફરીથી બતાવવામાં આવેલ નથી. ક્ષાયોપથમિક ઃ આ સમ્યકત્વ ૪ થી ૭મા સુધીનાં ૪ ગુણસ્થાનકમાં હોય છે. તેથી ૧ના બંધ વિના અવધિજ્ઞાન માર્ગણા પ્રમાણે ૨૮ થી ૩૧ સુધીનાં ૪ બંધસ્થાન અને ૧ના બંધના ૧ ભાંગા વિના ૩૪ બંધભાંગા અને ૨૧ તેમજ ૨૫ થી ૩૧ પર્યંતનાં ૮ ઉદયસ્થાન અને (૭૬૭૧) સાત હજાર છસો ઈકોતેર ઉદયભાંગા હોય છે. અને ૯૩ આદિ પ્રથમનાં ૪ સત્તાસ્થાનો છે. (અવધિજ્ઞાનની જેમ જાણવું.) ' ઉપશમ સમ્યકત્વ : આ સમ્યકત્વમાં અવધિજ્ઞાન પ્રમાણે ૨૮ આદિ ૫ બંધસ્થાન અને ૩૫ બંધભાંગા હોય છે. શતક ચૂર્ણિ વગેરે કેટલાએક ગ્રંથોમાં બતાવ્યા પ્રમાણે આ સમ્યકત્વ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી ૨૯ - ૩૦ અને ૩૧ આ ત્રણ ઉદયસ્થાનો હોય. ત્યાં ૨૯ના ઉદયના દેવોના સ્વરવાળા ૮ અને નારકનો ૧ એમ ૯, ૩૦ના ઉદયના સ્વરવાળા પંચેન્દ્રિય તિર્યંચના (૧૧૫૨) અગિયારસો બાવન અને મનુષ્યના (૧૧૫૨) અગિયારસો બાવન તેમજ ૩૧ના ઉદયના તિર્યંચના (૧૧૫૨) અગિયારસો બાવન એમ (૩૪૬૫) ચોત્રીશસો પાંસઠ ઉદયભાંગા હોય છે. આ સમ્યકત્વમાં કોઈપણ જીવો ઉત્તર વૈક્રિય તેમજ આહારક શરીર બનાવતા નથી. માટે મનુષ્ય અને તિર્યંચના ઉત્તર વૈક્રિયના તેમજ આહારકના અને દેવોના ઉદ્યોતવાળા ઉત્તર વક્રિયના ભાંગાઓ ઘટી શકે નહીં. પરંતુ દેવોને ઉદ્યોત સહિત વૈક્રિય શરીરમાં ૩૦નો ઉદય હોય છે. અને તેઓને ઉત્તર વૈક્રિય શરીરનો ઉત્કૃષ્ટ કાળ અર્ધમાસ હોવાથી તેમજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોના ઉત્તર વૈક્રિય શરીરનો કાળ પણ ઉત્કૃષ્ટથી ૪ મુહૂર્ત પ્રમાણ હોવાથી તે દરમ્યાન ઉપશમ સમ્યકત્વ પામે તો વૈક્રિય મનુષ્યના સ્વરવાળા ૨૯ના ૮ અને વૈક્રિય તિર્યંચના સ્વરવાળા ૨૯ના ૮ તથા ઉદ્યોત સહિત ૩૦ના ઉદયના ૮ તેમજ ૩૦ના દેવતાના ઉદયના ૮ એમ ૩૨ ભાંગા અધિક પણ ઘટે, માટે (૩૪૯૭) ચોત્રીશસો સત્તાણું ઉદયભાંગા પણ ઘટે છે. કોઈપણ જીવોને અપર્યાપ્ત અવસ્થામાં આ સમ્યકત્વ હોતું નથી. પરંતુ સપ્તતિકા ચૂર્ણિ વગેરે કેટલાએક ગ્રંથકારોના મતે ઉપશમ શ્રેણીમાં ઉપશમ સમ્યકત્વી કાળ કરી વૈમાનિક દેવોમાં જાય છે. તેથી તેઓના મતે તે દેવોની અપેક્ષાએ ૨૧ - ૨૫ - ૨૭ - ૨૮ આ ૪ ઉદયસ્થાનો અને પર્યાપ્ત અવસ્થાનાં ૨૯ આદિ ૩ એમ સાત ઉદયસ્થાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy