SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ છટ્ટો કર્મગ્રંથ ગાથા : ૧૧ ૨૩ સાગરોપમ પ્રમાણ કાલ જાણવો. કારણ કે દેવ નારકીના જીવો પોતાના ભવના ૬ માસ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તથા ૧ થી ૪ ગુણસ્થાનક સમજવાં. શેષ ગુણસ્થાનકો નરકમાં સંભવતાં જ નથી. (૨) ‘તિર્યંચાયુષ્યનો બંધ, નરકાયુષ્યનો ઉદય, નરક - તિર્યંચાયુષ્યની સત્તા’ - નરક ગતિમાં આયુષ્યકર્મનો આ બીજો ભાંગો છે. પરભવનું તિર્યંચ આયુષ્ય બંધાતું હોય ત્યારે બધ્યમાનાવસ્થાકાલે આ ભાંગો સંભવે છે. આ ભાંગે મિથ્યાત્વ અને સાસ્વાદન એમ બે જ ગુણસ્થાનક હોય છે. કારણ કે તિર્યંચાયુષ્યનો બંધ બે ગુણસ્થાનક સુધી જ થાય છે. તેનો કાલ અંતર્મુહૂર્ત માત્ર છે. (૩) ‘મનુષ્યાયુષ્યનો બંધ, નરકાયુષ્યનો ઉદય, નરક-મનુષ્યાયુષ્યની સત્તા' નરકગતિમાં આયુષ્યકર્મનો આ ત્રીજો ભાંગો છે. પરભવનું મનુષ્ય આયુષ્ય બંધાતું હોય ત્યારે જ બધ્યમાનાવસ્થાકાલે આ ભાંગો સંભવે છે. મિથ્યાત્વ સાસ્વાદન અને અવિરતસમ્યગ્દષ્ટિ (૧ ૨ - ૪) આમ ત્રણ ગુણસ્થાનકે આ ભાંગો હોય છે. અંતર્મુહૂર્ત કાલ છે. (૪) ‘અબંધ, નરકાયુષ્યનો ઉદય, નરક તિર્યંચાયુષ્યની સત્તા' નરકગતિમાં આ ચોથો ભાંગો તિર્યંચ આયુષ્ય બાંધી લીધા પછીના કાલે હોય છે ૧ થી ૪ ગુણસ્થાનક હોય છે અને અંતર્મુહૂર્ત ન્યૂન ૬ માસનો કાલ હોય છે. (૫) ‘અબંધ, નરકાયુષ્યનો ઉદય, નરક મનુષ્યાયુષ્યની સત્તા' નરકગતિમાં પાંચમો ભાંગો મનુષ્યાયુષ્ય બાંધી લીધા પછીના કાલે હોય છે. અને અંતર્મુહૂર્ત ન્યૂન ૬ માસનો કાલ હોય છે. ૧ થી ૪ ગુણસ્થાનક હોય છે કારણ કે મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધી લીધા પછી તે જીવ મિથ્યાત્વે અને અવિરતે આવજા કરી શકે છે. તેથી ચારે ગુણસ્થાનક સંભવી શકે છે. આ - - નરકાયુષ્યના ઉદયવાળા નરકગતિમાં જેવી રીતે પાંચ ભાંગા કર્યા તેવી જ રીતે દેવાયુષ્યના ઉદયવાળા દેવગતિમાં પણ પાંચ ભાંગા થાય છે. (૧) ‘અબંધ, દેવાયુષ્યનો ઉદય, દેવાયુષ્યની સત્તા' આયુષ્ય બંધની પૂર્વાવસ્થામાં આ ભાંગો હોય છે. (૨) ‘તિર્યંચાયુષ્યનો બંધ, દેવાયુષ્યનો ઉદય, દેવ-તિર્યંચ આયુષ્યની સત્તા’ આ ભાંગો બધ્યમાનાવસ્થામાં હોય છે અને અંતર્મુહૂર્ત હોય છે. (૩) ‘મનુષ્યાયુષ્યનો બંધ, દેવાયુષ્યનો ઉદય, દેવ - મનુષ્ય આયુષ્યની સત્તા’ ભાંગો પણ બધ્યમાનાવસ્થાકાલે અંતર્મુહૂર્ત માત્ર હોય છે. Jain Education International For Private & Personal Use Only = (૪) ‘અબંધ, દેવાયુષ્યનો ઉદય, દેવ - તિર્યંચાયુષ્યની સત્તા' તિર્યંચાયુષ્ય બંધાયા પછી જીવનપર્યંત દેવોને આ ભાંગો હોય છે. આ www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy