SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ માર્ગણામાં નામકર્મના બંધસ્થાન આદિનો વિચાર ગતિમાર્ગણા નરકગતિ : આ જીવો માત્ર પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય પ્રાયોગ્ય જ બંધ કરે છે. માટે પર્યાપ્ત પં. તિ. અને પર્યાપ્ત મનુ. પ્રાયોગ્ય ૨૯ નો બંધ તેમજ ઉદ્યોત સહિત પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ નો બંધ અને જિનનામની સત્તાવાળા નારકો જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ નો બંધ કરી શકે છે. માટે નરકગતિમાં ૨૯ અને ૩૦ આ બે જ બંધ સ્થાનો હોય છે. ૨૩ આદિ પ્રથમનાં ૩ બંધસ્થાનો એકેન્દ્રિય, વિકસેન્દ્રિય તેમજ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ તથા અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય હોવાથી આ જીવો બાંધતા નથી. વળી નારકીના જીવો દેવ અને નરક પ્રાયોગ્ય બંધ કરતા ન હોવાથી ૨૮નું બંધસ્થાન પણ ન હોય, તેમજ ૩૧ અને ૧ નું બંધસ્થાન પણ મનુષ્યગતિમાં જ હોવાથી આ છે બંધસ્થાનો અહીં ઘટતાં નથી. બંધભાંગા : પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ર૯ના બંધના ૪૬૦૮ એમ (૯૨૧૬) બાણું સો સોળ, ૩૦ના બંધના પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ યોગ્યના ૪૬૦૮ અને જિનનામ સહિત મનુષ્ય યોગ્યના ૮ એમ (૪૬૧૬) બેંતાલીસસો સોળ-એમ બન્ને બંધસ્થાનના મળી કુલ બંધભાંગા (૧૩૮૩૨) તેર હજાર આઠસો બત્રીશ હોય છે. ઉદયસ્થાન તથા ઉદયભાંગ : નારકને પોતાનાં ૨૧ - ૨૫ - ૨૭ - ૨૮ અને ૨૯ આ ૫ ઉદયસ્થાન અને દરેક ઉદયસ્થાનનો એક-એક ભંગ હોવાથી ઉદયભાંગા ૫ હોય છે. સત્તાસ્થાન : જિનનામ અને આહારક ચતુષ્ક ઉભયની સત્તાવાળો જીવ નરકમાં જતો નથી તેથી ૯૩નું સત્તાસ્થાન ન ઘટે. ૯૨ - ૮૯ અને ૮૮ એમ સામાન્યથી ૩ સત્તાસ્થાન હોય છે. ૨૯ના બંધનો સંવેધ : અહીં મનુષ્ય પ્રાયોગ્ય ર૯ના બંધે પોતાના પાંચે ઉદયસ્થાન અને પાંચે ઉદયભાંગામાં ૯૨, ૮૯, ૮૮ એમ સામાન્યથી ત્રણ સત્તાસ્થાનક અને દરેક ઉદયસ્થાને ૩ - ૩ હોવાથી ઉદયસ્થાન તથા ઉદયભાંગા ગુણિત સત્તાસ્થાન ૧૫ હોય છે. પરંતુ તિર્યંચ પ્રાયોગ્ય ૨૯ના બંધે ૮૯ વિના પાંચે ઉદયભાંગે બે જ સત્તાસ્થાન હોય છે એટલું વિશેષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy