SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) આ માર્ગણામાં સ્ત્રીવેદનો ઉદય ન હોવાથી ૮ ષોડશક, ૧૨૮ ઉદયભાંગા, ૪૪ ઉદયપદ, ૭૦૪ ઉદયપદવૃંદ અને આ બે ગુણઠાણે સંભવતાં ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ એમ કુલ પાંચ સત્તાસ્થાન હોય છે. (૩૭) સૂમસપરાય ચારિત્રમાર્ગણા : દશમું એક જ ગુણસ્થાનક, અબંધ, ૧નો ઉદય, ૧ ઉદયભાંગો, ઉપશમશ્રેણીમાં ૨૮ - ૨૪ - ૨૧ અને ક્ષપકશ્રેણીમાં ૧ એમ કુલ ૪ સત્તાસ્થાનક જાણવાં. (૩૮) યથાવાત ચારિત્ર માર્ગણા : ૧૧ થી ૧૪ કુલ ૪ ગુણસ્થાનક છે. પરંતુ માત્ર ૧૧મા ગુણઠાણે ઉપશમશ્રેણીમાં ૨૮ - ૨૪ - ૨૧ એમ ૩ સત્તાસ્થાનક હોય છે. શેષ ગુણસ્થાનકમાં યથાખ્યાત હોય છે પણ મોહનીયકર્મ હોતું નથી. (૩૯) દેશવિરતિ ચારિત્ર માર્ગણા : પાંચમું માત્ર એક ગુણસ્થાનક છે. તેની જેમ અહીં સઘળું જાણવું. ૧૩નો ૧ બંધ, ૨ બંધભાંગા, ૫ - ૬ - ૭ - ૮ ચાર ઉદયસ્થાનક, ૮ ચોવીશી, ૧૯૨ ઉદયભાંગા, પ૨ ઉદયપદ, ૧૨૪૮ પદવૃંદ અને ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ કુલ પાંચ સત્તાસ્થાનક સંભવે છે. (૪૦) અવિરતિ માણા : ૧ થી ૪ ગુણસ્થાનક, ૨૨ - ૨૧ - ૧૭ એમ ૩ બંધસ્થાનક, ૬ - ૪ - ૨ = ૧૨ બંધભાંગા, ૧૦ - ૯ - ૮ - ૭ - ૬ એમ પાંચ ઉદયસ્થાનક, ૨૨ના બંધે ૮, ૨૧ના બંધે ૪, ૧૭ના બંધે ત્રીજે ગુણઠાણે ૪ અને ચોથે ગુણઠાણે ૮, સર્વે મળીને કુલ ૨૪ ચોવીશી, પ૭૬ ઉદયભાંગા, ઉદયપદો ઉદયસ્થાનવાર અનુક્રમે ૧૦ + ૫૪ + ૮૦ + ૪૦ + ૬ = ૧૯૨ અને પદછંદો ૪૬૦૮ હોય છે. સત્તાસ્થાનક ૨૮ - ૨૭ - ૨૬ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧ મળીને કુલ ૭ હોય છે. ૧ થી ૪ ગુણઠાણાની જેમ સંવેધ જાણવો. (૪૧-૪૨) ચક્ષુદર્શન-અચક્ષુદર્શન માણા : આ બન્ને માર્ગણામાં ૧ થી ૧૨ ગુણસ્થાનક હોય છે અને મોહનીય કર્મ-બંધમાં ૯ સુધી, ઉદયમાં ૧૦ સુધી અને સત્તામાં ૧૧ સુધી જ હોય છે. તેથી મૂલ ગાથા ૧૨ થી ૨૫માં કહેલા સંવેધ પ્રમાણે જ સામાન્ય સંવેધ અહીં સમજી લેવો. (૪૩) અવધિદર્શન માર્ગણા : અવધિદર્શનમાં ૪ થી ૧૨ ગુણસ્થાનક છે અને અવધિજ્ઞાનની જેમ સંપૂર્ણપણે સંવેધ જાણવો. (૪૪) કેવલદર્શન માર્ગણા ઃ અહીં મોહનીયકર્મનાં બંધાદિ કંઈ હોતું નથી. ૧૩ - ૧૪ એમ બે જ ગુણસ્થાનક હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy