SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ છ કર્મનું બાસઢિયું-ભવ્યમાર્ગણા ૩૧૫ નરકાયુષ્યના બંધનો ૧ - ૧ એમ કુલ ૭ ભાંગા ઓછા કરતાં સામાન્યથી ૨૧ ભાંગા સંભવે છે. ૬ - ૭ - ૮ મા દેવલોકના દેવોને શુક્લલેશ્યા પણ છે અને તિર્યંચપ્રાયોગ્ય બંધ પણ કરે છે. તે વાતને ધ્યાનમાં રાખીને તિર્યંચગતિના ૮, મનુષ્યગતિના ૮, અને દેવગતિના પ, મળીને ૨૧ ભાંગા આયુષ્યકર્મના સંભવે. પરંતુ ત્રીજા કર્મગ્રંથની ગાથા ૨૨માં “ફનોમવડ નિરવારવિણુ સુદA” જે પાઠ છે તેને આધારે શુક્લલેશ્યામાં વર્તતા જીવો તિર્યંચાયુષ્ય પણ ન બાંધે એ વાતને ધ્યાનમાં લઈએ તો તિર્યંચગતિ અને મનુષ્યગતિમાંથી તિર્યંચાયુષ્યના બંધનો ૧ - ૧ ભાગો, તથા દેવગતિમાંથી બંધકાલનો તિર્યંચાયુષ્યના બંધનો ૧, અને બંધકાલ પછીનો દેવ-તિર્યંચની સત્તાવાળો ૧ એમ કુલ ૪ ભાંગા વધારે ઓછા કરવા, જેથી તિર્યંચગતિના ૭, મનુષ્યગતિના ૭ અને દેવગતિના ૩ મળીને ૧૭ ભાંગા આયુષ્યકર્મના હોય છે. એમ પંચસંગ્રહના ત્રીજા ભાગરૂપ સપ્તતિકા સંગ્રહના વિવેચનમાં પૂજ્ય પુખરાજજી સાહેબ કૃત વિવેચનમાં ૬૨ માર્ગણામાં આયુષ્યકર્મના યંત્રમાં લખ્યું છે. અને મહેસાણા પાઠશાળા તરફથી પ્રકાશિત થયેલ તથા પંડિતવર્ય શ્રી રસિકભાઈ તરફથી પ્રકાશિત થયેલ વિવેચનમાં ૨૧ અને ૧૬ ભાંગા લખેલ છે. ૨૧ પૂર્વની જેમ જાણવા અને શુક્લલેશ્યાવાળા તિર્યચ-મનુષ્યો દેવાયુષ્ય જ બાંધે અને દેવો મનુષ્યાયુષ્ય જ બાંધે એમ સમજીને તિર્યંચગતિના ૬, મનુષ્યગતિના ૬, અને દેવગતિના ૪, મળીને ૧૬ ભાંગા કહ્યા છે. તત્ત્વ કેવલિગમ જાણવું. ગોત્રકર્મમાં પહેલો અને છેલ્લો ભાંગો છોડી દઈને બાકીના પાંચ ભાંગા હોય છે. અંતરાયકર્મના બન્ને ભાંગ હોય છે. (૫૧-૫૨) ભવ્ય-અભવ્ય માર્ગમાં : ભવ્યમાર્ગણામાં ૧ થી ૧૪ ગુણસ્થાનક હોવાથી મૂલકર્મના સાતે સાત, તથા છ કર્મના પણ સર્વે ભાંગા ઘટે છે. અહીં કેવલી ભગવાનને ભવ્ય તરીકે ગણેલા છે એમ જાણવું. અભવ્ય માર્ગણામાં ફક્ત પહેલું એક જ ગુણસ્થાનક છે તેથી મૂલકર્મના ૮ - ૮ - ૮ તથા ૭ - ૮ - ૮ વાળા ૨ ભાંગા, જ્ઞાનાવરણીયનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાગો, દર્શનાવરણીયના નવના બંધના ૨ ભાંગા, વેદનીયના સાતા-અસાતાના બંધના ૪ ભાંગા, આયુષ્યકર્મના અઠ્યાવીસે ભાંગા, ગોત્રકર્મના છેલ્લા અબંધના ૨ છોડીને પાંચ ભાંગા, અને અંતરાયકર્મનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો સંભવે છે. (૫૩) ઉપશમ સમ્યકત્વ માર્ગણા : આ માર્ગણામાં ૪ થી ૧૧ ગુણસ્થાનક હોય છે. તથા ઉપશમ સમ્યકત્વમાં વર્તતા જીવો પર-ભવનું આયુષ્ય બાંધતા નથી. આ બે વાતને ધ્યાનમાં રાખવી. મૂલકર્મના ૭ - ૮ - ૮ વાળો ૬ - ૮ - ૮ વાળો, અને ૧ - ૭ - ૮ વાળો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy