SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ગાથા : ૮ છઠ્ઠો કર્મગ્રંથ પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા (૫-૫-૫)' આમ એક જ સંવેધભાંગો ઘટે છે તથા ઉપશાન્તમોહે અને ક્ષીણમોહે બંધવિચ્છેદ થયેલ હોવાથી “અબંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા (૦-૫-૫)' આમ બીજો એક જ ભાંગો સંભવે છે. આ રીતે જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મમાં (૧) પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા (૫-૫-૫) અને (૨) અબંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા (૦-૫-૫) આમ બે જ સંવેધભાંગા થાય છે. તેરમે, ચૌદમે ગુણસ્થાનકે જ્ઞાનાવરણીયકર્મ અને અંતરાયકર્મનો બંધ - ઉદય અને સત્તા ન હોવાથી ત્યાં કોઈ ભાંગા થતા નથી. ૭ | હવે દર્શનાવરણીય કર્મના સંવેધભાંગા કહે છે. बंधस्स य संतस्स य, पगइठाणाणि तिण्णि तुल्लाणि । उदयट्ठाणाईं दुवे, चउ पणगं दंसणावरणे ॥ ८ ॥ बन्धस्य च सतश्च, प्रकृतिस्थानानि त्रीणि तुल्यानि । उदयस्थाने द्वे, चत्वारि पञ्च दर्शनावरणे ॥ ८ ॥ ગાથાર્થ - દર્શનાવરણીયકર્મમાં બંધનાં અને સત્તાનાં સ્થાનો (૯ - ૬ - ૪ આમ કુલ) ત્રણ તુલ્ય છે. પરંતુ ઉદયસ્થાનક ચાર અને પાંચનું એમ બે જ છે. / ૮ / વિવેચન - દર્શનાવરણીય કર્મમાં ૯નું, ૬નું અને ૪નું આમ ત્રણ બંધસ્થાનક છે અને આ જ ત્રણ સત્તાસ્થાનક છે. તેથી બંધસ્થાનક અને સત્તાસ્થાનક પરસ્પર તુલ્ય છે, તે આ પ્રમાણે - પહેલા અને બીજા ગુણસ્થાનકે દર્શનાવરણીયકર્મની નવે પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી અવશ્ય બંધાય જ છે. આ નવનું બંધસ્થાનક કહ્યું તે પહેલા - બીજા ગુણસ્થાનકે જ હોય છે. અભવ્યને આશ્રયી અનાદિ - અનંત, ભવ્યને આશ્રયી અનાદિ - સાન્ત અને સમ્યકત્વ પામીને પડેલાને આશ્રયી સાદિ - સાન્ત. તેનો જઘન્યકાલ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાલ દેશોન અપાઈપુદ્ગલ પરાવર્ત જાણવો. ત્રીજા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી થીણદ્વિત્રિક વિના ૬નું બંધ સ્થાનક જાણવું. આ બંધસ્થાનકનો જઘન્ય કાલ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાલ સાધિક બે છાસઠ સાગરોપમ પ્રમાણ જાણવો. અપૂર્વકરણના બીજા ભાગથી સૂમસંપરાય ગુણસ્થાનક સુધી નિદ્રાદ્ધિકનો પણ બંધવિચ્છેદ થયેલ હોવાથી ચક્ષુદર્શનાવરણીય આદિ ચાર (૪) પ્રકૃતિનું બંધસ્થાનક હોય છે. આ બંધસ્થાનકનો જઘન્ય કાલ ૧ સમય અને ઉત્કૃષ્ટ કાલ અંતર્મુહૂર્ત હોય છે. ઉપશમશ્રેણીમાં આઠમાના બીજા ભાગે આવ્યા પછી એક સમય માત્ર રહીને કાલ કરે અને સ્વર્ગલોકમાં જાય ત્યાં ચોથું ગુણસ્થાનક આવવાથી છનો બંધ કરે તેવા જીવને આશ્રયી ઉપશમશ્રેણીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy