SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૭૫ ત્યારે ઉદયસમયથી એક આવલિકા બહારનાં પ્રથમ સ્થિતિમાં દલિકોને ઉદીરણાકરણ વડે આકર્ષીને ઉદયાવલિકામાં નાખે છે. તેને ઉદીરણા કહેવાય છે અને ૧૦૧ થી ૧૦૦૦ સમયવાળી અંતરકરણ ઉપરની બીજી સ્થિતિમાં રહેલ કર્મદલિકોને ઉદીરણા કરણ વડે આકર્ષીને ઉદયાવલિકામાં જે નંખાય છે તેને ઉદીરણા જ હોવા છતાં ભિન રીતે ઓળખાવવા માટે “આગાલ” કહેવાય છે. આ રીતે ઉદય-ઉદીરણા-અને આગાલ દ્વારા પહેલી સ્થિતિ વિપાકોદયથી ભોગવે છે. તે કાલે આ જીવ મિથ્યાષ્ટિ કહેવાય તથા તે જ કાલે અંતરકરણની સ્થિતિમાં રહેલાં (૭૬ થી ૧૦૦ માં રહેલાં) દલિકોને ત્યાંથી ઉમેરીને પહેલી-બીજી એમ બન્ને સ્થિતિમાં નાખે છે અને અંતરકરણની ભૂમિને શુદ્ધ કરવાનું કામ કરે છે. વળી તે જ વખતે અંતરકરણની ઉપરની સ્થિતિનો (૧૦૧ થી ૧૦૦૦) ઉપશમના કરણ વડે ઉપશમ પણ કરે છે. એટલે કે પાણી છાંટેલી માટીને ઘણ વડે કુટ્ટી કુટ્ટીને જેમ નિઃસ્પંદ કરાય તેમ બીજી સ્થિતિમાં રહેલ દલિકોને એવાં ઉપશમાવી દેવામાં આવે છે કે તે ઉદય-ઉદીરણા આદિ કરણો માટે અસાધ્ય બને. રાખથી ઢાંકેલા અગ્નિની જેમ શાન્ત કરે. આ રીતે (૧) પ્રથમ સ્થિતિને અનુભવતો, (૨) અંતરકરણના દલિકોને ખાલી કરતો, અને (૩) બીજી સ્થિતિને ઉપશમાવતો આમ ત્રણે કામ એકી સાથે કરતો કરતો આ જીવ પહેલી સ્થિતિની ૨ આવલિકા બાકી રહે ત્યાં સુધી આગળ જાય છે. પ્રથમ સ્થિતિ એ આવલિકા બાકી રહે ત્યારે મિથ્યાત્વમોહનીયની ગુણશ્રેણી અને આગાલ અટકે છે. પણ શેષ કર્મોની ગુણશ્રેણી ચાલુ રહે છે તથા પ્રથમ સ્થિતિ જ્યારે એક આવલિકા માત્ર જ બાકી રહે છે ત્યારે મિથ્યાત્વ મોહનીયના સ્થિતિઘાત-રસઘાત અને ઉદીરણા અટકે છે. પણ શેષ કર્મોના સ્થિતિઘાતાદિ ચાલુ રહે છે. તથા મિથ્યાત્વમોહનો બંધ અને ઉદય આમ આ બે જ પ્રક્રિયા આ છેલ્લી આવલિકામાં પણ ચાલુ રહે છે. પહેલી સ્થિતિમાં જ્યાં સુધી આ પ્રક્રિયા ચાલે છે ત્યાં સુધીમાં તો અંતરકરણની ભૂમિ શુદ્ધ (દકિકરહિત) થઈ જાય છે અને બીજી સ્થિતિ લગભગ ઉપશાન્ત થઈ જાય છે. માત્ર પ્રતિસમયે નવું નવું બંધાતું એવું જે કર્મદલિક આવે છે તે જ સમયગૂન બે આવલિકા અનુપશાન્ત રહે છે. આમ કરતાં કરતાં પ્રથમ સ્થિતિની બાકી રહેતી આ એક આવલિકાનો અન્તિમ સમય જ્યારે આવે છે ત્યારે મિથ્યાત્વમોહનો બંધ-ઉદય સમાપ્ત થાય છે. પહેલી સ્થિતિ પૂર્ણ થાય છે. બીજી સ્થિતિ ઉપશાન્ત થઈ જાય છે. છેલ્લા કાલમાં બંધાયેલું ૧ સમયજૂન ૨ આવલિકા પ્રમાણ જે મિથ્યાત્વનું દલિક છે. તે જ અનુપશાન્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy