SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ છટ્ટો કર્મગ્રંથ ગાથા : ૫૮-૫૯ ૨૦૩ અન્ય આચાર્યોના મતે ઉપશમશ્રેણીમાં ૭૨ ઉદયભાંગા અને ક્ષપક શ્રેણીમાં ૨૪ ઉદયભાંગા હોય, જ્યારે ગ્રંથકાર, ચૂર્ણિકાર અને વૃત્તિકારના મતે બન્ને શ્રેણીમાં માત્ર ૨૪ જ ઉદયભાંગા હોય છે. તે પ્રમાણે સત્તાસ્થાનનો સ્વયં વિવેક કરી લેવો. અનિવૃત્તિબાદર સંપરાયે બંધસ્થાનકાદિ एगमट्ट = ૧ બંધસ્થાનક, ૧ ઉદયસ્થાનક અને ૮ સત્તાસ્થાનક નવમા ગુણઠાણે હોય છે. ૧ યશનામ કર્મનું બંધસ્થાનક છે. ૧ બંધભાંગો છે. ૩૦ નું ફક્ત એક જ ઉદયસ્થાનક છે તે ૩૦ ના ઉદયે ગ્રંથકારાદિના મતે પ્રથમ સંઘયણના ૨૪ ઉદયભાંગા, અને અન્ય આચાર્યોના મતે ત્રણે સંઘયણના મળીને ૭૨ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાનક ૯૩, ૯૨, ૮૯, ૮૮ તથા ક્ષપકશ્રેણીમાં નામકર્મની ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થાય, ત્યારબાદ ૮૦, ૭૯, ૭૬, ૭૫, આમ કુલ ૮ સત્તાસ્થાનક હોય છે. તેનો સંવેધ આ પ્રમાણે છે બીજા-ત્રીજા સંઘયણના ૨૪ + ૨૪ = ૪૮ ઉદયભાંગા માત્ર ઉપશમશ્રેણીમાં જ સંભવે છે. તેથી તે ૪૮ ઉદયભાંગામાં ૯૩, ૯૨, ૮૯, ૮૮ એમ ૪ સત્તાસ્થાનક હોય છે. (જિનનામનો જે ભવમાં બંધ ચાલુ કરે તે પ્રથમભવમાં પણ પહેલું જ સંઘયણ હોય છે. આવો મત લઈએ તો આ ૪૮ ઉદયભાંગામાં માત્ર ૯૨ - ૮૮ એમ બે જ સત્તાસ્થાન હોય છે. એમ જાણવું. કારણ કે ૯૩ - ૮૯ માં જિનનામની સત્તા છે. અને જિનનામની સત્તાવાળાને જિનનામ અવશ્ય બંધાય જ છે. હવે જિનનામ જો બંધાય તો પહેલું જ સંઘયણ હોય માટે બીજા-ત્રીજા સંઘયણના ભાંગામાં ૯૩ - ૮૯ ની સત્તા ન હોય.) પ્રથમ સંઘયણ સંબંધી જે ૨૪ ઉદયભાંગા છે. તેમાંના ૨૩ ઉદયભાંગામાં ઉપશમશ્રેણી આશ્રયી ૯૩, ૯૨, ૮૯, ૮૮ એમ ચાર સત્તાસ્થાન હોય છે. પરંતુ ક્ષપકશ્રેણી આશ્રયી ૧૩નો ક્ષય કર્યા પહેલાં ૯૨-૮૮ અને ૧૩ નો ક્ષય કર્યા પછી ક્ષપકશ્રેણીમાં ૭૯ ૭૫ એમ બે સત્તાસ્થાન વધારે હોય છે તેથી ૨૩ ભાંગામાં ૬ સત્તાસ્થાન થાય છે અને સર્વ શુભ પ્રકૃતિવાળા ૧ ઉદયભાંગામાં ઉપશમશ્રેણી આશ્રયી અને ક્ષપકશ્રેણીમાં ૧૩ નો ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી ૯૩, ૯૨, ૮૯, અને ૮૮ એમ ૪ સત્તાસ્થાનક જાણવાં. અને ૧૩ નો ક્ષય કર્યા પછી સામાન્ય કેવલી થનારને આશ્રયી ૭૯ ૭૫, અને તીર્થંકર કેવલી થનારને આશ્રયી ૮૦-૭૬ મળીને કુલ ૮ સત્તાસ્થાન હોય છે. . Jain Education International . ગતિને અપ્રાયોગ્ય ૧ નો બંધ, ૧ બંધભાંગો, ૩૦ નું એક ઉદયસ્થાન, ૭૨ (અથવા ૨૪) ઉદયભાંગા, ૪૮ ઉદયભાંગે ૪ સત્તાસ્થાન, ૨૩ ઉદયભાંગે ૬ સત્તાસ્થાન, અને સર્વ શુભવાળા ૧ ઉદયભાંગામાં ૮ સત્તાસ્થાન જાણવાં. તેથી ૪૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy