SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧ છટ્ટો કર્મગ્રંથ વિવેચન - પરમાત્મા શ્રી તીર્થંકરદેવની અમૃતમય વાણી સાંભળીને શ્રી ગણધર ભગવંતો તે વાણીને શાસ્ત્રરૂપે ગૂંથે છે. જેને દ્વાદશાંગી કહેવાય છે. તે દ્વાદશાંગીમાં બારમું અંગ દૃષ્ટિવાદ છે. તેના ઝરણા સ્વરૂપ (અંશભૂત) આ ગ્રંથ છે. કારણ કે બારમું જે દૃષ્ટિવાદ અંગ છે. તે પરિકર્મ, સૂત્ર, ચૂલિકા, પૂર્વગત અને પૂર્વાનુયોગ એમ પાંચ પ્રસ્થાનમય છે. તેમાં પૂર્વગતમાં ૧૪ પૂર્વે આવેલાં છે. તેમાંના અગ્રાયણી નામના બીજા પૂર્વમાં ૧૪ વસ્તુઓ છે. તેમાંની પાંચમી વસ્તુમાં ૨૦ પ્રાભૂત છે. તે ૨૦ પ્રાભૂતમાં ચોથું ‘કર્મપ્રકૃતિ’ નામનું પ્રાભૂત છે. તેમાં ૨૪ અનુયોગદ્વારો છે. તેમાં બંધોદયસત્તાના પ્રકરણનું એક અનુયોગદ્વાર છે. તેનો આ સંક્ષેપ છે. તેથી સંપૂર્ણ દૃષ્ટિવાદ રૂપ મહાસાગરના બિંદુ રૂપ આ સપ્તતિકા ગ્રંથ છે. ચૂર્ણિમાં કહ્યું છે કે - 'तत्थ चोद्दसहं पुव्वाणं बीयाओ अग्गेणीयपुव्वाओ, तस्स वि पंचवत्थूओ, तस्स वि वीसपाहुडपरिमाणस्स कम्मपगडिणामधेज्जं चउत्थं पाहुडं तओ नीणियं, चउवीसाणुओगदारमइयमहण्णवस्सेव एगो बिंदू' ૨ આ ગ્રંથ બંધ - ઉદય અને સત્તા પ્રકૃતિઓના સ્થાનોના સંક્ષેપરૂપ છે. એટલે કે બંધસ્થાનક - ઉદયસ્થાનક અને સત્તાસ્થાનકોના સમન્વયને સમજાવતો અતિશય સંક્ષેપ છે. આત્માની સાથે કાર્યણવર્ગણાના સ્કંધોનો લોહાગ્નિની જેમ સંબંધ થવો તે બંધ. વિપાકને પામેલાં કર્મોને અનુભવવાં તે ઉદય. બાંધેલાં અથવા સંક્રમથી આવેલાં કર્મોનું આત્માથી છૂટા ન પડવું તે સત્તા. બે-ત્રણ-ચાર આમ વધારે પ્રકૃતિઓની જે સાથે વિચારણા કરવી તે સ્થાન. બંધને આશ્રયી જે સ્થાન તે બંધસ્થાનક. ઉદયને આશ્રયી જે સ્થાન તે ઉદયસ્થાનક અને સત્તાને આશ્રયી જે સ્થાન તે સત્તાસ્થાનક. આ ત્રણેનો સમન્વય કરવારૂપે (સાથે સાથે સમજાવવા રૂપે) સંક્ષેપાત્મકપણે જે પ્રતિપાદન કરવું. સમ્યક્ પ્રકારે વિભાગ કરવો. તે સ્વરૂપે આ ગ્રંથ રચાયો છે. આ ત્રણે સ્થાનોનો ઘણો વિસ્તારાર્થ તો તે કર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાભૂતમાં છે. તેનો આ તો અત્યન્ત સંક્ષેપ માત્ર જ છે. આ સંક્ષેપ હોવા છતાં મહાન અર્થવાળો છે. જેમ જેમ તેમાં ઉંડા ઉતરીએ તેમ તેમ તેમાં ઘણા ગૂઢાર્થો રહેલા જણાય છે. આ વાત તો આ સંક્ષેપ ભણવાથી અને સાંભળવાથી જ સમજાશે. આ ગ્રંથમાં કહેલી ભંગજાળને સમજતાં ઘણા પંડિત પુરુષો પણ માથુ ખંજવાળતા ઉદ્વેગ પામતા જોવાય છે. તેને છોડી દેતા પણ દેખાય છે. માટે ભલે આ સંક્ષેપ છે. તો પણ મહાર્થ છે. પ્રશ્ન જે કર્મપ્રકૃતિ નામના પ્રાભૂતમાંથી આ સંક્ષેપ લેવામાં આવ્યો છે, તે કર્મપ્રકૃતિ નામનું પ્રાભૂત કેવું છે ? ઉત્તર - સિદ્ધ પદોવાળું છે. એટલે કે તેમાં કહેલાં પદો અને તેનો એકે એક ભાવ નિર્દોષપણે પંકાયેલ, નિર્દોષપણે પ્રસિદ્ધિ પામેલ, અર્થાત્ અચલિત સ્વરૂપવાળો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy