SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ O OO OOO (10) O CTOBER (૧) પહેલું વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે કેઈપણ નિરપરાધિ ત્રસ (હાલતા ચાલતા) જીવને ઇરાદાપૂર્વક સંક૯પીને, વિનાકારણ જાણી જોઇને મારવાની બુદ્ધિએ મારવા નહિ-બીજાને બચાવવા પ્રયત્ન કરવો. પાંચ અતિચાર ટાળવા : (દલ ન લાગે તેની કાળજી રાખવી). (૧) તીવ્ર કેધથી મરી જશે તેની પણ દરકાર કર્યા વગર મનુષ્ય તથા પશુ પક્ષીને બાંધવા–મારવા, (૨) વિના પ્રજને કે ધના આવેશથી ચામડી છેવી. (૩) જનાવરો કે મનુષ્ય ઉપર તેમની શકિત ઉપરાંત ભાર ભરે કે કાર્ય કરાવવું. (૪) મરણ થાય તેવા મર્મ સ્થાનમાં પ્રહાર કરવો. (૫) નિશ્રામાં રહેલા મનુષ્ય તથા જનાવરને ભૂખ્યાં રાખવાં. (૨) બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત ક પાંચ મોટા જૂઠાને ત્યાગ કરો :(૧) કન્યા સંબંધી – સગપણ વિવાહાદિક, રૂપ, ઉંમર, ગુણ કે આદત સંબંધી જૂઠું બોલવું નહિ. સલાહ માગે તે “ભાઈ, આમાં તે તમારે જિંદગી નિભાવવાની છે. માટે તમને ઉચિત લાગે તેમ કરી, પરંતુ જૂઠું કાંઈ બોલવું નહિ (૨) પશુ સંબંધી:- ગાય-ભેંસ વગેરે ચેપમાં જાનવરનાં દૂધ, ઉંમર, વેતર કે આદત સંબંધમાં જૂઠું નહિ. (૩) ભૂમિ સંબંધી-જમીન, ખેતર, મકાન, દુકાન, વાડી વગેરેમાં સામાન માટે અથવા કેસમાં નુકશાન પહોંચાડવા જૂઠું બોલવું નહિ. (૪) થાપણ સંબંધી - પારકા નાણું–વસ્તુઓ મૂકી ગયા તે એળવવા નહિ. (૫) જૂઠી સાક્ષી સંબંધી:- બીજાને નુકસાન કરે એવી જૂઠી સાક્ષી પૂરવી નહિ. કોઈને દેહાંત શિક્ષા થતી હોય તે પ્રસંગે જયણું. પાંચ અતિચાર જાણવા ને ટાળવા :(૧) સહસાકાર - ઉતાવળે સ્વભાવે વગર વિચારે કલંક આપવું અને મામિક વચન બોલવું નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001084
Book TitleGruhastha Dharmana Bar Vrato Pustika 6
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1980
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy