SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૯]... પ્રદેશોનો સ્પર્શ ન હોઈ તે તે પ્રદેશમાં સિદ્ધોનું “થાન” થયું કહેવાય નહિ. આથી ઉપપાતસ્થાન સિદ્ધોને છે નહિ. સમુઘાત પણ સિદ્ધજીવોને સંભવતો નથી. કારણ, તે સકર્મ જીવોને હોય છે; સિદ્ધ તો અકર્મ છે-કર્મ રહિત છે. તેથી સિદ્ધના સમુઘાતસ્થાનનો વિચાર પણ અસ્થાને છે. આમ માત્ર સ્વસ્થાન-સિદ્ધિસ્થાન જ સિદ્ધજીવોને સંભવતું હોઈ તેનો જ વિચાર સિદ્ધના જીવન વિષે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે એકેન્દ્રિય જીવો સમગ્ર લોકમાં પ્રાપ્ત થાય છે. પણ જ્યારે આમ કહીએ છીએ ત્યારે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ એક વ્યક્તિની વાત નથી પણ સમગ્રભાવે–સામાન્ય રૂપે એકેન્દ્રિય જાતિની છે. વળી, સમગ્ર લોકમાં પ્રાપ્ત થાય છે એમ કહીએ છીએ ત્યારે પણ તે જીવનાં ત્રણે સ્થાનોની જુદી જુદી દૃષ્ટિ રાખી નથી, પણ ત્રણે સ્થાનો સમગ્રભાવે સમજવાનાં છે. હીન્દ્રિય જીવો સમગ્ર લોકમાં નહિ પણ તેના અસંખ્યાતમા ભાગમાં છે. એ જ બાબત ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયને પણ લાગુ પડે છે. પંચેન્દ્રિય વિષે તેમનું સ્થાન લોકના અસંખ્યાતમાં ભાગમાં કહ્યું છે. અને સિદ્ધ લોકાઢે છે. તે પણ લોકનો અસંખ્યાત ભાગ જ સમજવો જોઈએ. જીવભેદો કચાં હોય (૧) બાદરપૃથ્વીકાયિક પર્યાપ્ત (૧૪૮) ત્રણે લોકમાં સ્વસ્થાન પ્રાપ્ત થાય છે. અપર્યાપ્ત (૧૪૯). (૨) સૂક્ષ્મપૃથ્વીકાયિક પર્યાપ્ત-અપર્યાપ્ત (૧૦) (૩) બાદરઅષ્ઠાયિક , , (૧૫૧-૨) (૪) સૂક્ષ્મઅપકાયિક ,, , (૧૫૩) ૩, સત્ર ૧૫૦, ૧૫૩, ૧૫૬, ૧૫૯, ૧૬૨ માં “વોયખરિયાવ off” કથા છે. ૪. પંચેન્દ્રિય વિષે જે નિર્દેશ છે (સત્ર ૧૬૧) તે સામાન્ય પંચેન્દ્રિય વિષે છે એમ ટીકાકાર જણાવે છે. અને તે યોગ્ય છે. કારણ, તે પછી નારક, તિર્યંચપદ્રિય, મનુષ્ય અને દેવો વિષે પથક નિર્દેશ છે. પરંતુ આ સત્રમાં એક અસંગતિ જણાય છે તે એ કે મનુષ્યસૂત્ર ૧૭૬માં—“સમુદા સવજીદ” એમ કહ્યું છે. તેથી તેને અનુસરીને પ્રસ્તુત સૂત્ર ૧૬૬માં પણ તેમ જ હોવું જોઈએ, પણ તેમ નથી અને “સમુધાન હોયરસ મનમા” એમ છે. આ અસંગતિ દુર કરવા માટે ટીકાકારે મનુષ્યસત્ર (૧૭૬)માં સમુઘાણી સવો આ સૂત્રપાઠની ટીકામાં ટિસમુદ્યામયિકૃત્ય એમ ખુલાસો કર્યો છે. આથી એમ લાગે છે કે પંચેન્દ્રિયસૂત્ર (૧૬૬)માં મધેનરમાને એમ જે જણાવ્યું છે તે છાત્રથિક સમુદ્ધાતને લક્ષીને જ છે. કેવલિસમુઘાતનો વિષય અલ્પ હોવાથી ૧૬૬મા સૂત્રમાં તેની વિવક્ષા કરી નથી. પખંડાગમમાં (પુ૭, સૂ૦ ૧૧-૧૨, પૃ. ૩૧૦-૧૧) આ વિષયનાં બે સૂત્રો જુદાં કર્યાં છે. તે ઉપરથી પણ એમ સમજાય છે કે પ્રાચીન પરંપરામાં છાઘસ્થિક સમુધાતને લક્ષીને જ આ વસ્તુ કહેવામાં આવતી હશે. ૫. સિદ્ધશિલા અથવા ઈમામ્ભારા પૃથ્વીનું વર્ણન તથા સિદ્ધોનું સ્વરૂપ, તેમનું સુખ અને તેમની જઘન્યાદ અવગાહના વિષે મૂળમાં સુંદર નિરૂપણ છે, તે સૂત્ર ર૧૧માં જોઈ લેવું. ૬. પ્રસ્તુતમાં માત્ર રવસ્થાનની નોંધ લીધી છે. કારણ, ખરી રીતે તે જ કાયમી હોઈ તેનું સ્થાન વિચારણીય છે. ઉપપાત અને સમાધાતસ્થાન તો કદાચિક છે તેથી મળમાં તેનો નિર્દેશ છતાં પ્રસ્તુત સુચીમાં તેનો નિર્દેશ કર્યો નથી. વળી, સમુદૂષાતપદ (૩૬) અને પુત્કાતિપદ (૬)ના કન્નોદ્વાર (સુત્ર-૬૩૯-૬૬૫)માં તે બાબતોનું વિશેષ વિવરણ છે જ. ૭, પ્રસ્તુતમાં સામાન્ય નિર્દેશ કર્યો છે. એટલે કે ઊર્વ, અધઃ અને તિર્યશ્લોકમાં ગમે ત્યાં સમગ્રમાં કે અંશમાં તે પ્રાપ્ત થતા હોય તો તે ત્રણે લોકમાં છે એમ સામાન્ય નિર્દેશ કર્યો છે. વિગતે જાણવા માટે મૂળ જેવું. ૮. મૂળમાં નિર્દેશ છે કે જે સ્થાન પર્યાપ્તનાં છે અપર્યાપ્તનાં પણ તે જ છે, જુઓ સત્ર ૧૪૯ આઈ. ૫. ક. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy