SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬] પ્રથમ સ્થાન આપવામાં આવ્યું. ત્યારથી પંચનમસ્કારને અનુસરી સામાન્ય રીતે અરિહંતન પ્રથમ વંદના કરવામાં આવે છે. નમસ્કાર-વંદના સ્વરૂપમાં પાંચ પદ ક્રમે કેવી રીતે આવ્યાં હશે તેનો વિચાર કરીએ તો કાંઈક આવું બન્યું હશે એમ માની શકાય–તીર્થસ્થાપના થઈ ન હોય ત્યાં સુધી તો સિદ્ધો જ વંદનીય ઠરે છે. તે પ્રમાણે તીર્થકર જ્યારે દીક્ષા લે છે ત્યારે માત્ર સામાન્ય સિદ્ધને જ નમસ્કાર કરે છે. પણ તીર્થંકરની ઉપસ્થિતિમાં અરિહંત-તીર્થંકર મહત્ત્વ પામે એ સ્વાભાવિક છે. અને જ્યારે તેઓ નિર્વાણ પામે ત્યારે સિદ્ધકોટિમાં ગણાય. છતાં, ભલે તે સિદ્ધ થઈ ગયા હોય તોપણ, આસન ઉપકારી હોવાથી તેમને અરિહંત તરીકે જ યાદ કરવામાં આવે. આ પ્રકાર આપણે “લોગસ્સ” સૂત્રમાં જોઈએ છીએ. અને તેનું અનુસરણ અન્ય અનેક પ્રાચીન મંગલાચરણમાં પણ જોવા મળે છે. જ્યારે આ પ્રકારે અરિહંત અને સિદ્ધ બન્ને વંદનીય ઠર્યા ત્યારે અમુક સમય સુધી સિદ્ધને પરંપરા પ્રમાણે પ્રથમ યાદ કરી પછી જ અરિહંતને યાદ કરવાનું બન્યું હોય, પણ પછી એ ક્રમ બદલાઈને અરિહંત અને સિદ્ધરૂપે અરિહંત તથા સર્વ સિદ્ધ એમ સિદ્ધમાં સર્વનો સમાવેશ કરી વંદનાક્રમમાં પ્રથમ અરિહંત અને પછી સિદ્ધ-આ ક્રમ ઈસ્વીસન પૂર્વમાં પ્રચલિત થઈ ગયો હતો તેમ ખારવેલના શિલાલેખથી જાણવા મળે છે. પણ આનો અર્થ એમ તો ન જ લઈ શકાય કે તે કાળે પણ માત્ર આ એક જ ક્રમ હતો. વંદના એ વ્યક્તિની રુચિનો પ્રશ્ન છે. તેથી ગ્રંથના પ્રારંભમાં વંદના લખવાની અને ન લખવાની અને લખવામાં પણ કોઈ નિશ્ચિત સર્વસંમત એવા ક્રમ વિના લખવાની પ્રથાનાં દર્શન ઘણું લાંબા સમય સુધી થાય છે. તોપણ એટલું તો નક્કી થઈ શકે કે અરિહંતને સિદ્ધની પહેલાં વંદના કહેવાની પણ પ્રથા ઈસ્વીસન પૂર્વમાં પ્રચલિત થઈ ગઈ હતી, જે આગળ જતાં પંચપરમેષ્ટિમંગલરૂપે સ્થિર થઈ જ્યારે તીર્થંકર પણ ન હોય ત્યારે તેમની પરંપરાના રક્ષક આચાર્ય અને પછી ઉપાધ્યાય–આ બન્નેનું મહત્વ વધે. પણ તેઓ વંદનાકોટિમાં આવે તે જ સાથે પ્રવચન યા શાસન જે લિપિમાં લખાયેલ હોય તે લિપિ પણ આદરણીય બને અને તે કારણે જ પ્રવચન કે શાસનના રક્ષક તરીકે તેમનું મહત્વ ગણાય. રક્ષણય કરતાં રક્ષકનું મહત્વ હંમેશાં વિશેષ ગણાતું આવ્યું છે તે ક્રમે પ્રવચન કે શાસન કે લિપિને સ્થાને તેના ધારકો-રક્ષક આચાર્ય અને ઉપાધ્યાય જ વંદનીય રૂપે મહત્વ પામ્યા અને તેમને પંચનમસ્કારમાં સ્થાન મળ્યું અને પ્રવચન વગેરે ગૌણ બન્યાં. છેવટે સંયતોમાંથી માત્ર સામાન્ય સાધુ જ બાકી રહેતા હતા, તેમને પણ ખરી રીતે તો શ્રાવકોની દષ્ટિએ, પણ છેવટે સર્વની દષ્ટિએ વંદનામાં સ્થાન મળ્યું–આવો કંઈક ક્રમ પંચનમસ્કારની ઘટનામાં હશે એમ માની શકાય. નમસ્કારસૂત્ર–પંચપરમેષ્ઠિનમસ્કારમંત્ર–ના કર્તા કોણ, એની ચર્ચાનું ઉત્થાન આવશ્યકસૂત્રની નિર્યુક્તિમાં સર્વપ્રથમ જોવા મળે છે. પ્રથમ અધ્યયન સામાયિક નામે છે. એટલે પ્રથમ પ્રશ્ન એ થયો કે એ સામાયિક અધ્યયન કોણે કહ્યું? શા માટે કહ્યું? એ પ્રસંગે આચાર્ય ભદ્રબાહુએ સ્પષ્ટ કર્યું છે કે – तित्थकरो किं कारण भासति सामाइयं तु अज्झयणं । तित्थकरणामगोत्तं बद्धं मे वेदितव्वं ति ॥ ५२६॥ तं च कधं वेतिजति अगिलाए धम्मदेसणादीहि । बज्झति तं तु भगवतो ततियभवोसक्कइत्ताणं ॥ ५२७ ॥ ૩૭. ખારવેલનો શિલાલેખ, જે ઈ. સ. પૂર્વેનો છે, તેમાં પ્રથમ અરિહંતને નમરકાર છે, પછી સિદ્ધને, એટલે તે પહેલાં આ પ્રથા શરૂ થઈ હશે. વળી, તેમાં આ બંને જ નમરકાર છે તે પણ ધ્યાન દેવા જેવી વાત છે. અશોકના શિલાલેખોના પ્રારંભમાં નમસ્કાર નથી એની નોંધ લેવી જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy