SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ...[8]... 33 दुवासंगं गणिपिडगं चोदसपुव्विस्स सम्मसुतं, अभिण्णदसपुत्रिस्स सम्मसुतं, तेण परं भिण्णेसु भयणा । ' તે ઉપરથી પણ કહી શકાય કે ‘પૂર્વો’ને સભ્યશ્રુતના માપદંડ તરીકે સ્વીકાર્યાં તે જો પૂર્વેનું અસ્તિત્વ જ ન હોય તો કેમ બને? આચાર્ય હરિભદ્ર, શીલાંક અને અન્ય ટીકાકારોને મતે શ્રુતકેવલી અને ચતુર્દશપૂર્વી સમાન જ છે; અર્થાત્ ચતુર્દશપૂર્વી હોય તેનાથી જીતની કોઈ જ વાત અજ્ઞાત રહેતી નથી, એવું તે બન્નેનું મંતવ્ય છે—“ન ચતુર્વંશપૂર્વનિઃ પ્રજ્ઞાવનીય નિશ્ચિત્ મવિવિતમસ્તિ” પ્રાપના,હરિભદ્રવૃત્તિ, પૃ૦ ૧૮; શીલાંક આચારાંગટીકા, પત્ર ૧૮૩, ૧૮૫; પ્રજ્ઞાપના, મલયગિરિવૃત્તિ, પત્ર ૭ર. વ્યવહારભાષ્યમાં જણાવ્યું છે કે પૂર્વકાળે ચતુર્દશપૂર્વીને ગીતાર્થ માનવામાં આવતા, પણ હવે જે પ્રકલ્પર હોય તે ગીતાર્થ છે-ઉદ્દેશ ૩, ગાથા ૧૭૩. આ પણ તો જ અને જો કોઈ કાળે પૂર્વનું અસ્તિત્વ અને મહત્ત્વ સ્વીકૃત હોય. પ્રજ્ઞાપનાટીકામાં મલયગિરિ ગૌતમ ગણધરને ચતુર્દશપૂર્વી કહે છે (પત્ર ૭ર). વળી, કલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના ચતુર્દશપૂર્વધારી શિષ્યોની સંખ્યા આપવામાં આવી છે—કલ્પસૂત્ર (શ્રીપુણ્યવિ૦ સંપા॰) ૦ ૧૩૭, પરંતુ દ્વાદશાંગધર શિષ્યોની સંખ્યા નથી આપી, તે પણ બતાવે છે કે શ્રુતધર તરીકે પૂર્વધરોનું મહત્ત્વ હતું. તે જ પ્રમાણે ભગવાન પાર્શ્વ આદિના પણ ચતુર્દશપૂર્વધરોની સંખ્યા (સ્૦ ૧૫૭, ૧૬૬ આદિ) આપવામાં આવી છે, પણ અંગધારીઓની નથી આપી. આથી પણ એ વાત તો નક્કી થઈ જ શકે છે કે પૂર્વ ' નામે કોઈ શાસ્ત્ર હતાં જ. · » કલ્પસૂત્રમાં જ નહિ પણ જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિમાં પણ ઋષભદેવના ચતુર્દશપૂર્વીઓની સંખ્યા આપવામાં આવી (સ્૦ ૩૧) છે. નંદીથેરાવલીમાં નાગાર્જુનાચાર્યની પ્રશસ્તિમાં (ગા૦ ૩૫) તેમને કાલિકશ્રુત(અંગ)ના અને પૂર્વના ધારક કહ્યા છે. તેથી સિદ્ધ થાય છે કે કાલિક૧ ૧ અર્થાત્ અંગથી પૂર્વનું પાર્થક્ય હતું. નંદી(સ્૦ ૭૮)માં ગમિકને દષ્ટિવાદ અને અગમિકને કાલિક-જેમાં શેષ ૧૧ અંગો વગેરે છે–કહ્યું છે તેથી તે બન્નેનું પાર્થક્ય સિદ્ધ છે. ચતુઃશરણપ્રકીર્ણકની નીચેની ગાથા દ્વાદશાંગધર કરતાં ચૌદપૂર્વધરનો ઉલ્લેખ જુદો કરે છે તે પણ તેનું સ્વાતન્ત્ય સિદ્ધ કરે છે ઃઃ 'चउदस-दस नवपुवी दुवालसिक्कारसंगिणो जे अ । जिण कप्पाहालंदिअ परिहारविसुद्धिसाहू य || ३३॥ અનુયોગના ભાષા-વિભાષા-વાતિક જેવા ભેદોની વ્યાખ્યાપ્રસંગે આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે કે જે સૂત્રપદોની અનેક પ્રકારે વ્યાખ્યા, તે વિભાષા. આ વિભાષા કરવામાં ચતુર્દશપૂર્વી સમર્થ છે, પણ સર્વપ્રકારે વ્યાખ્યા, જે વાતિક કહેવાય છે, તે તો કેવળી જ કરી શકે (આવશ્યકચૂર્ણિ, પત્ર ૧૧૫), (ગા૦ ૩૫). ભગવાન મહાવીરના ગણધર ગૌતમને ચતુર્દશપૂર્વી કહેવામાં આવ્યા છે, પરંતુ ભગવાનના ગણધર સિવાયના અન્ય શિષ્યો વિષે ભાગ્યે જ ચૌદ પૂર્વના અધ્યયનનો ઉલ્લેખ મળે છે. લગભગ બધા જ વિષે...' સામાદ્યનાથાનું દ્વારસ અંશાતૢ—એમ માત્ર અગિયાર અંગ ભણ્યાનો ઉલ્લેખ મળે છે.૧૨ આથી વિરુદ્ધ, આપણે જોયું તે પ્રમાણે, ભગવાન મહાવીર પૂર્વેના તીર્થંકરોના શિષ્યો ૧૧. વાહિશ્રુતમાચારાદ્દિનન્તાહાર્િ॰ ટૉ॰, પૃ૦ ૬૯. ૧૨ ભગવતી સ્॰, ૯૩, ૩૮૨, ૩૮૫, ૪૧૮; વિપાકસૂત્ર, ૩૩; જ્ઞાતા૦, સૂ૦ ૨૮, ૧૦૫; અનુત્તરો॰, ૩ ઇત્યાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy