SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩૭]... लोमाहारा एगिदिया उ नेरइयसुरगणा चेव । सेसाणं आहारो लोमे पवखेवओ चेव ।। ओयाहारा मणभक्विणो य सम्वे वि सुरगणा होति । सेसा हवंति जीवा लोमे पक्खेवओ चेव ॥ અંતિમ બે ગાથાઓ મુદ્રિત સૂત્રકૃતાંગનિર્યુક્તિમાં મળતી નથી. પ્રસ્તુત પદના બીજા ઉદ્દેશામાં ૧૩ કારોની અપેક્ષાએ (૧૮૬૫) જીવો આહારક છે કે અનાહારક, આ બે વિકલ્પોની ચર્ચા કરી છે. આમાં આહારના પ્રથમ ઉદ્દેશમાં નિર્દિષ્ટ આહારના ભેદોની કોઈ ચર્ચા નથી (૧૮૬૬-૧૯૦૭). પણ વિશેષતા એ છે કે તેમાં આહારક અને અનાહારક એ પદોને આધારે જ ભગોની રચના કરીને તે તે જીવમાં કેટલા ભંગો લાભ તેનું નિરૂપણ કર્યું છે. ઉત્કૃષ્ટ છ ભંગોની રચના માટે જુઓ સૂ૦ ૧૮૮૦; આ રચનાનો આધાર એકવચન-બહુવચન છે. તીજા “સંસી' દ્વારમાં ટીકાકારે શંકા-સમાધાન કર્યું છે તેની નોંધ લેવી જરૂરી છે. સંસી એટલે સમનસ્ક. વિગ્રહગતિમાં જીવને મન તો હોતું નથી, તો પછી વિગ્રહગતિમાં અનાહારક જીવને સંસી કેમ કહેવાય ? આનું રપષ્ટીકરણ કર્યું કે જીવ વિગ્રહગતિમાં હોય છે ત્યારે સંગી જીવના આયુકર્મની વેદના કરતો હોવાથી તેને સંસી કહી શકાય-ભલેને તેને મન ન હોય (પૃ. ૫૧૪). બીજી શંકા એ છે કે નરયિક, ભવનપતિ અને વાનમંતરને અસંસી કેમ કહ્યા (૧૮૧૮[૨],૧૮૮૦)? ઉત્તર આપ્યો છે કે એ ત્રણેયમાં ઉત્પન્ન થનારા જીવ અસંસીમાંથી પણ મરીને આવે છે તે અપેક્ષાએ તેમને અસંસી કહી શકાય (૫૦ ૫૧૪). ૨૯, ૩૦ અને ૩૩ મા “ઉપયોગ, પશ્યત્તા, અવધિ પદો : જીવોનો બોધવ્યાપાર પ્રજ્ઞાપના સૂત્રમાં જીવોના બોધવ્યાપાર અથવા જ્ઞાનવ્યાપાર વિષે ત્રણ પદોમાં ચર્ચા છેઃ ઉપયોગ પદ ૨૯ મું, પસ્થત્તા પદ ૩૦ મું અને અવધિપદ ૩૩ મું. એટલે એ ત્રણેને અહીં એકસાથે લીધાં છે. આચારાંગ સૂત્રમાં—“જે માયા સે વિન્નાયા, ને વિનાયા સે સવાશે જેમાં વિજ્ઞાનરૂ માયા આચારાંગસુત્ર, પ. ૫; સૂત્ર ૧૬૫. सम्वे सरा नियति, तक्का जत्थ न विजइ। मई तत्थ न गाहिया। ओए अप्पइछाणस्स खेयन्ने । से न दीहे, न हस्से, न वट्टे, न तंसे, न चउरंसे, न परिमंडले, न किण्हे, न नीले, न लोहिए, न हालिद्दे, न सुकिले, न सुरभिगंधे, न दुरभिगंधे, न तित्ते, न कडुए, न कसाए, न अंबिले, न महुरे, ન , ન મ૩, ને ગુરુ, ન દુ", ન સીઇ, ન ફળે, ન નિ, ને સુય, ન લાક, ન રહે, न संगे, न इत्थी, न पुरुसे, न अन्नहा, परिन्ने सन्ने उवमा न विज्जइ । अरूवी सत्ता अपयस्स पयं नस्थि । से न सद्दे न रूवे न गंधे न रसे न फासे-इच्चेयावंति-त्ति बेमि ।। આચારાંગસુત્ર, પ. ૬. સૂત્ર ૧૭૦–૧૭૧. સારાંશ કે આમાં એ વિજ્ઞાતા છે. તેમાં કોઈ પણ પ્રકારના રસ, રૂપ આદિ નથી. તે અરૂપી હોવા છતાં સત્ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy