SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ બેહેરે એ ડુંગર ઉપર કેટલાક બગાડ કરે છે અને દેવલે પછવાડેનાં લેયરો ભાગીને ખુલાં કરી નાખે છે. શીવાય એ ઉતારામાંથી જેણે શાવકનાં માણશેને કાહાટી મેલાં છે. અને વલી પાલીતાણું તરફથી ભાવનગરના રસ્તા ઉપર ચાકીએ મુકેલી છે તે મુસાફરોને રોકે છે તથા ઝાડે લે છે. જે આ વાત ખરી હેય તે ઘણી ગેરવાજબી છે કેમકે ડુંગર બાબતના કામની હજુ તજવીજ ચાલે છે દરમીઆન કાંઈ નવું નહીં થવું જોઈએ. જેને ઉપર પ્રમાણે કાંઈ કરવામાં આવશે તે તે આપના નામને ઘણું નુકસાનકારક થસે વાતે આપે દરબારી માંણસોને સખત હુકમ કર જોઈએ કે છેવટ ફેસલો થતાં સુધી કાંઈ પણ નવીન નહીં કરતાં જેવી સ્થીતી છે તેવી રાખી શાવકોના હકેને કઈ રીતે ભંગ કર્યો સાબીત થસે તે આપની પાસેથી શખત જવાબ લેવામાં આવશે. તા. ૨૫ અગષ્ટ સને ૧૮૭૫ “ દુલેરાય વીદ રૂગનાથરાય મું. રાજકેટ. દફતરદાર “(Signed) J. B. Peile P. A. Kattyawar" ધમની લાગણી દુભવતાં મેળાઓ : જ્યારે ગિરિરાજ ઉપરની જમીનની માલિકીના હક અંગે પાલીતાણું રાજ્ય અને જિન કેમ વચ્ચે મોટે વિવાદ ઊભે થયો હતો અને એ વિવાદના નિકાલ માટે અંગ્રેજ સરકાર તરફથી સવિસ્તર તપાસ ચાલી રહી હતી, એ અરસામાં જ, જાણે પાલીતાણા રાજ્ય ગિરિરાજ ઉપરના પિતાના માલિકીહકને સાબિત કરવા માગતું હોય એ રીતે, સને ૧૮૭૬ ના ઓગસ્ટ મહિનાની ૧૯મી તારીખે એણે ગિરિરાજ ઉપર ટેડ અને ભંગી સહિત હલકી કેમને મેળો ભરવાની યેજના તૈયાર કરી હતી. અને એ પ્રમાણે મેળો ભરાયે પણ હતું. જે ભૂમિના કણ કણને જૈન સંઘ પવિત્ર માનતે હોય એ ભૂમિ ઉપર ભૂતકાળમાં ક્યારેય ન ભરાયે હેય એ મેળે ભરાય એથી જૈન સંઘની ધાર્મિક લાગણીને ઘણો આઘાત પહોંચે, એ બીજાઓની જેમ પાલીતાણાના દરબારશ્રી પણ સમજતા જ હતા. છતાં એમણે આ પગલું સમજપૂર્વક ભર્યું હતું. પણ આવી અઘટિત ઘટનાની સામે જે પિતે મૌન ધારણ કરે ને જે કંઈ બન્યું તેને બરદાસ્ત કરી લે તે ભવિષ્યમાં એનું પુનરાવર્તન થયા વગર ન જ રહે. અને જે એમ થાય તે તીર્થાધિરાજ શત્રુંજયની પવિત્રતા અને મહત્તા જોખમાયા વગર ન જ રહે તે, સમસ્ત જૈન સંઘ તથા તેના માવડીઓ તેમજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી બહુ જ સ્પષ્ટ રીતે સમજતાં હતાં. એટલે એની સામે એણે તત્કાલ પગલાં ભરીને દાદ માગવા માટે હેલવાડ પ્રાંતના આસિસ્ટન્ટ પિલિટીકલ એજન્ટ મિ. જે. હન્ટરને તા. ૨૮-૮-૧૮૭૬ ના રોજ, કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટ મિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy