SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આઠ કિની પેઢીને ઈતિહાસ ત્રણેય ઈડરના વતની હતા, અને એમના ચોરાઈ ગયેલા માલની કિંમત અનુક્રમે રૂ. ૯/રૂ. ૧૦૫/- અને રૂ. ૪૮૫૦/- થતી હતી. આમાંની પહેલી બે વ્યક્તિઓએ તે પિતાના શાઈ ગયેલા માલની રકમનું વળતર મેળવવા કશે પ્રયત્ન કર્યો હોય એવું જાણવા મળતું નથી. પણ શ્રી રાયચંદ પ્રેમચંદ પિતાના ચોરાઈ ગયેલા માલની કિંમત આશરે પાંચેક હજાર રૂપિયા જેટલી થવા જતી હોઈ તેમણે તેનું વળતર મેળવવા સત્વરે પ્રચના હાથ ધર્યો હતે. અને એમાંથી આ પ્રકરણ પાલીતાણા રાજ્ય અને શ્રાવક કેમ વચ્ચે સારા એવા વિખવાદનું કારણ બન્યું હતું અને છેક અઢી વર્ષ કરતાં પણ વધુ સમય બાદ ચેરાઈ ગયેલા માલની રકમના વળતરરૂપે એનો નિકાલ આવ્યો હતો. એની મુખ્ય મુખ્ય વિગતે આ પ્રમાણે છે: માલ ચોરાઈ ગયાની ફરિયાદ પાલીતાણા રાજ્યને મળ્યા પછી તેની પિલીસે પગી ઓની મદદથી પગેરું શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમાં એમને ન તે ગેરેના સગડ મેળવવામાં અથવા ન તે ચોરાઈ ગયેલ મુદ્દામાલ શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ પ્રયત્નને અંતે તેઓ પાપડને એક કરંડિયે અને ઘરેણાંની કેટલીક ખાલી ડબીઓ જેવી સામાન્ય ચીજો જ શોધી શક્યા હતા કે જેની કિંમત રૂ. ૫-૧૦ જેટલી માંડ થતી હતી. બીજી બાજુ દરબારશ્રી એ વાત સારી રીતે જાણતા હતા કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને પાલીતાણા રાજ્ય વચ્ચે થતા રહેલ રખપાના કરાને મુખ્ય હેતુ યાત્રિકોના જાનમાલનું રક્ષણ કરવાને અને કેઈ પણ યાત્રિકને માલ ચોરાઈ જાય તે રાજ્ય તરફથી એનું ગ્ય વળતર મળી રહે એવી ગોઠવણ કરવાને જ હતો. એટલે સ્વાભાવિક રીતે જ આ થોરીથી ને ખાસ કરીને શ્રી રાયચંદ પ્રેમચંદની રૂ. ૪૮૫૦/જેટલી મોટી રકમની ચેરીથી રાજ્ય ઉપર એના બદલામાં મોટી રકમનું વળતર આપવાની જવાબદારી આવી પડે એવી સ્થિતિ હતી. આ જવાબદારી પિતા ઉપર ન આવી પડે એ કેઈક માર્ગ શોધવાનો પ્રયત્ન રાજ્ય તરફથી થાય એ પણ સ્વાભાવિક જ હતું. આ પ્રયત્નને અંજામ એ આવ્યું કે રાજયે, સંઘ સાથે અમદાવાદથી વાવિયા તરીકે આવેલ રાણીપના ચારેય કેળી ભાઈએ ઉપર ચારીનું તહોમત મુકીને એમને ગિરફતાર કર્યા હતા અને દરેકને બે બે વર્ષની સજા અને રૂ. પ૦૦- ને દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા કરી હતી. જેમને ગુનેગાર માનવામાં આવ્યા હતા તેમને દરેકને બે બે વર્ષની કેદની સજા કરવા ઉપરાંત દરેકની પાસેથી ૫૦૦/- રૂ. જેવી રકમને દંડ કરવાની પાછળ રાયે કંઈક નવાઈ ઉપજાવે એ એ વિચાર કર્યો હતું કે આ રીતે દંડની રૂ. ૨૦૦૦/- જેટલી રકમ આવે તે ચેરીના વળતર તરીકે આપી દેવી. આ જેલવાસ દરમિયાન રાજ્ય તરફથી એ ચારે ય જણની એવી કનડગત કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy