SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીના કાર્યક્ષેત્રને થયેલા વિસ્તાર પ. પૂ. કલ્યાણસાગરજી મહારાજ સાહેબનો સંવત ૨૦૪૧ ના આસો વદ ૮ ને લખેલે આ મતલબનો પત્ર નીચે પ્રમાણે છે: શાન્તિસાગરજી અંગે પૂછાવ્યું. તેઓ મૂળ ઈડરના વતની હતા. પ. પૂ. પરમ ઉપકારક મુ. શ્રી રવિસાગરજી મ. સા. અત્યુત્તમ ચારિત્રપાત્ર, આદર્શ તપત્યાગ અને ઉત્તમ કેટિના ક્રિયાશીલ મુનિવર હતા. તેમની પાસે સ્વરૂપચંદભાઈએ દીક્ષા અંગિકાર કરેલ. શાસ્ત્રોનું વાંચન પણ બહોળા પ્રમાણમાં કરેલ. પાછળથી શાસ્ત્રવિપરીત પ્રરૂપણ કરવાથી તેમને સમુદાય બહાર કરવામાં આવેલ. દેવશાના પાડાની બાજુમાં રહેતા હતા. પ્રાયઃશેષ જીવન ત્યાં પૂર્ણ કર્યું હતું. “તમેએ પૂછાવેલ પ. પૂ. મુ. શ્રી રવિસાગરજી મ. સા. પ. પૂ. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા.ના દાદાગુરૂજી હતા. એ જ પ. પૂ. રવિસાગરજી મ. સા. ના શાન્તિસાગરજી શિષ્ય હતા. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી લેખક જયભિખુ અને પાદરાકર પત્રક ૧૮૦ માં પ. પૂ. રવિસાગરજી મ. સા. અને શાંતિસાગરજી અંગેનું લખાણ છે. ત્યાંથી જવાથી વિશેષ માહિતી મળશે.” * આ પત્રમાં સૂચવ્યા પ્રમાણે યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પુસ્તકના પૃ. ૧૮૦ ઉપર આ અંગે જે માહિતી આપવામાં આવી છે તેમાંથી નોંધપાત્ર વિગત આ પ્રમાણે છેઃ “શ્રી સ્વરૂપચંદના પ્રથમ પત્ની ગુજરી ગયાં હતાં, ને બીજી વારનાં તેમનાં સગપણ પણ થયાં હતાં. પણ આ તીવ્ર વૈરાગી જીવે એ કમળપુષ્પની કેદને કાપીને દિક્ષાને સ્વીકાર કર્યો......ધીરે ધીરે તેઓને મત એ થયો, કે “જૈન શાસ્ત્રાનુસારે હાલતા સાધુઓ ધર્મક્રિયા બરાબર કરતા નથી ને પછી એમની દષ્ટિ પરિવર્તન પામી. વિ. સં. ૧૯૩૦માં તેઓ શ્રીમદ્દ રવિસાગરજી મહારાજથી જુદા પડ્યા. દશકા બાદ એમણે સાધુને વેશ તજી દઈ એક ઉપાશ્રયમાં શેષ જીવન ગાળ્યું.” આવે જાહેર એકરાર કરે તે એ એકરાર કરનારની મનની નિખાલસતા અને પાપભીરુતા સૂચવે છે એમ કહેવું જોઈએ. આ પછી એમણે પિતાની સ્થાવર મિલક્ત તરીકે પિતાના ઉપાશ્રયને ઉલ્લેખ કર્યો છે તેમ જ જંગમ મિલકત તરીકે પુસ્તકે, વાસણ-કુસણુ થા રોકડ રકમની વિગતે આપ્યા વગર કેવળ મેઘમ ઉલ્લેખ કર્યો છે. અને પોતાના વસિયતનામાના અમલ માટે આઠ ટ્રસ્ટીઓનાં નામ આપેલ છે જે નીચે મુજબ છે: (૧) શા. મૂળચંદભાઈ હઠીસીંગ (૨) શા. રણછોડભાઈ જેઠા (૩) શા છોટાલાલ લલ્લુભાઈ (૪) શા. જેસીંગભાઈ સાંકળચંદ (૫) શા. ચુનીલાલ સાંકળચંદ (૬) શા. માલસીભાઈ ભેજરાજ (૭) શા. પીતાંબરદાસ જરાજ (૮) શા. પ્રેમચંદભાઈ કેશવલાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy