SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ તેઓએ દાખવેલી દાખલારૂપ તટસ્થતાને કારણે. આ તટસ્થતા એટલે પેઢીના પૈસાની સાચવણીની ખાખતમાં જ્યારે પણુ ોખમ ઊભું થયું લાગે ત્યારે મારા-તારાપણાના કાઈ પણુ જાતને ભેદ થવા ન પામે એવી આદશ તટસ્થતા. પેઢીના પૈસાના જાણે કે અજાણે અથવા તા સ ંજોગવશાત્ દુરુપયેાગ કરનાર વ્યક્તિએ પાતાના સાથીદાર હોય કે બીજી ગમે તે વ્યક્તિએ-એમની સામે જરૂરી કાયદેસરનાં પગલાં ભરવામાં આ તટસ્થતા સાર્થક થતી. કચારેક તા એવું પણ બનતુ કે પેઢીના પૈસાના ગમે તે કારણે દુરુપયોગ કરનાર વ્યક્તિ પેઢીના વહીવટમાં મુખ્ય સ્થાન ધરાવતી હોય અથવા તા જૈન સમાજમાં ગમે તેવુ' માલા ભર્યુ” સ્થાન ધરાવતી હાય અને તેની સામે કામ કેવી રીતે લેવુ' તેમાં ધર્માંસ'કટ ઊભું’ થતું હાય, આવા અગ્નિપરીક્ષાના પ્રસંગે પણ પેઢીના સંચાલકોએ મક્કમતાથી કામ લેવામાં જરાય ઢીલાશ દાખવી નથી. આવા પ્રસંગેા અ'ગે એટલ' જ કહેવુ પૂરતુ ગણાવું જેઈ એ કે પેઢીને ઓછામાં ઓછુ વેઠવાના વખત આવે તે રીતે પેઢીના સંચાલકો (વહીવટદાર પ્રતિનિધિએ) દ્વદેશી, શાણપણ અને ઠરેલપણાથી નિર્ણય કરતા રહ્યા છે. આ તા મે' પેઢીની અર્થવ્યવસ્થાની સામાન્ય રૂપરેખા આપી ગણાય એટલે એના કેટલાક દાખલા જોવાથી એની વિશેષ પ્રતીતિ થઈ શકશે એમ સમજી કેટલાક દાખલા અહી નીચે આપવામાં આવે છે : રખેાપાની રકમની સર્વસંમતિથી ફેરબદલી આ ગ્રંથના પહેલા ભાગના ૨૪૪મા પાને ‘રખેાપાની રકમતી માફી’ એ મથાળા નીચે મે' આ પ્રમાણે લખ્યુ હતુ. : રખાપાની રકમની માફી : : સને ૧૯૪૮માં ભારતમાં દેશી રાજ્યે સ્વતંત્ર ભારતમાં ભળી ગયાં અને એ જ અરસામાં સૌરાષ્ટ્ર સરકારની રચના થઈ, એટલે એ સરકારના પહેલા મુખ્યપ્રધાન શ્રી ઉછરંગભાઈ ઢેખરે રખાપાની આ રકમ લેવાનુ' 'ધ કર્યું'. એટલે પછી શત્રુ જયની યાત્રા ઉપર કોઈ પણ જાતના સરકારી લાગા, કર કે હકરૂપે પ્રતિબંધ રહેવા ન પામ્યા, અને આ મહાતીર્થની યાત્રા સર્વથા કરમુક્ત ખની ગઈ. હવે જ્યારે રખાયા નિમિત્તે કાઈ પણ જાતની રકમ સરકારને નિયમિત રીતે ભરવાની ન રહી એટલે પછી વાર્ષિક રૂ. ૬૦,૦૦૦/ની વ્યાજની ઉપજ માટે જે ભડાળ એકત્ર કરવામાં આવ્યુ હતુ. તેને સ્વતંત્ર જુદા ફૅડરૂપે ન રાખતાં પેઢીહસ્તકના સાધારણ ખાતાની ૨કમ સાથે ભેળવી દેવામાં આવ્યુ. જ્યારે આ કર સૌરાષ્ટ્ર સરકારે માફ કર્યાં, ત્યારે પેઢીના પ્રમુખપદે શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ હતા. તેઓ ઈચ્છત તે। આ કરની ચૂકવણી માટે એકત્ર કરેલી રકમ ગમે તે ખાતામાં ટ્રસ્ટીમ’ડળની સમતિથી પેઢી હસ્તફ લઈ જઈ શકત, પણ તેઓ તદુરસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy