SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા આ પગરખાં પ્રકરણ અંગે, એ પ્રકરણની પહેલાં બનેલા નીચેના પગરખાં કાઢવા -પહેરવા અંગેના બનાવોની માહિતી મેળવવી ઉપગી તેમજ રસપ્રદ બની રહેશે– (૧) તા. ૩-૧૧-૧૮૯૨ ની એક ટૂંકી નોંધ ઉપરથી જાણવા મળે છે કે, તે દિવસે ગોહિલવાડ પ્રાંતના પિલિટીકલ એજન્ટ લેફ. કર્નલ જે. એસ. આચ્છી ગિરિરાજ ઉપર ગયા હતા. તે વખતે પેઢી તરફથી એમને ચામડાના બૂટ કાઢીને કંતાનનાં મેજા પહેરવાની વિનંતી કરવામાં આવી હતી. તે વખતે દરબારી ગુમાસ્તા શ્રી છોટાલાલે એમને આ વિનંતીને સ્વીકાર કરતા અટકાવ્યા હતા. પરંતુ મિ. આબીએ મિ. છોટાલાલની વાત ધ્યાનમાં ન લેતાં, પિતાના ચામડાના બુટ કાઢી નાખ્યા હતા.૩૫ (૨) તા. ૧૩-૨-૧૮૬ ના રોજ પાલીતાણું રાજ્યના માજી ફોજદાર મુખજીની ટ્રકમાં જેડા પહેરીને ફર્યા હતા અને તેમણે આપણા માણસોને ધમકાવ્યા હતા. (૩) તા. ૧૮-૧૧-૧૮૭ ના રોજ ભાવનગર ખાતેન (રેલવે એન્જિનિયર મિ. સિમ્સ સાહેબના દીકરા મિ. અરીસ સાહેબ તથા તેમના એક સાથીદાર–એમ બે યુરેપિયન સદગૃહસ્થ, તેમની મડમ સાથે ગિરિરાજ ઉપર દેરાસરે જેવા ગયા હતા, તેમની પાલીતાણા રાજ્યના પિલીસ સુપ્રિ. શ્રી ફાજલ મહમદ હતા. આ ચારેય યુપિયનો દરબારના મહેમાન હતા. તેઓ ઈંગારશા પીરની બારીએ પહોંચ્યા ત્યારે ડુંગરના ગુમાસ્તા દામજીભાઈએ એમને ચામડાનાં પગરખાં કાઢીને કંતાનનાં મોજાં પહેરવા વિનંતી કરી. પણ એ વિનંતી ધ્યાનમાં લીધા સિવાય, ચામડાના બૂટ ઉપર કંતાનનાં મોજા પહેરીને તેઓ ગઢની અંદર દેરાસરમાં ફર્યા. પગરખાં પ્રકરણ અંગે ઉપર જે કંઈ સવિસ્તર માહિતી આપવામાં આવી છે તે ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે, આ તીર્થની પવિત્રતા સાચવવા માટે, એની સુરક્ષા કરવા માટે અને એના નાનામોટા કોઈપણ હક્કને જરાપણુ ક્ષતિ પહોંચવા ન પામે એ માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તેમ જ સમગ્ર જૈન સંઘ ઝીણું-મેટી તમામ બાબતમાં કેટલો સજાગ અને પ્રયત્નશીલ રહેતો હતો. ચામડાના પટ્ટાનું પ્રકરણ : સને ૧૯૦૫ના ઓગસ્ટ મહિનામાં પગરખાં પ્રકરણ અંગે સમાધાન થયું તે પછી થોડાક જ વખતે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ ગિરિરાજ ઉપર ગયા હતા. પણ ગઢના પ્રવેશદ્વારની પાસે જ પેઢીના માણસોએ એમને ચામડાને પટ્ટો કાઢી નાખવાની ફરજ પાડી હતી. પણ પછી તરત જ આ બાબતમાં ભૂલ થયાનું પેઢીના જાણવામાં આવતાં પટ્ટો પાછા આપવામાં આવ્યું હતું. અને સાથે સાથે આવી ભૂલ થવા બદલ માફી પણ માગવામાં આવી હતી. એટલે એ મામલે આગળ વધ્યા ન હતા. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy