SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્તિ મહારાણીનો રોગ મટાડ્યો હતો તે જોતાં યશોભદ્રસૂરિનો આચાર્યકાલ વિક્રમની દશમી સદીના ત્રીજા ચરણ એટલે સં.૯૭૫ સુધી સંગત બને એમ ‘જૈન ધર્મકા મૌલિક ઇતિહાસ' દર્શાવે છે. એ નોંધપાત્ર છે કે બીજા શિષ્ય શાલિભદ્રસૂરિ પણ સં.૯૭૦માં આચાર્ય બની ચૂક્યા છે. બલિભદ્રસૂરિ જુદા પડ્યા અને એમનાથી હટ્યુંડી/હસ્તિકુંડી-ગચ્છ શરૂ થયો. ત્યાં એમને વાસુદેવસૂરિ નામ મળ્યું. આ કારણે બીજા શિષ્ય શાલિ(ભદ્ર)સૂરિ યશોભદ્રને પાટે આવ્યા. ૩. શાલિ(ભદ્ર)સૂરિ : તે ચૌહાણવંશના હતા. સૂરિપદ સં.૯૭૦, ૪. સુમતિસૂરિ. ૫. શાંતિસૂરિ. ૬. ઈશ્વરસૂરિ. ૭. શાલિસૂરિ : સં.૧૧૮૧. હ : ૨૩૫ ૮. સુમતિસૂરિ. ૯. શાંતિસૂરિ : સં.૧૨૫૯(૧૨૨૯)માં શીસોદિયા ઓસવાળ બનાવ્યા. સં.૧૨૮૮માં માદંડી(માદ્રી)માં શાંતિનાથની પ્રતિષ્ઠા કરનાર ખંડેરક ગચ્છાચાર્ય શાંતિસૂરિ (જૈ.સા.ઇ. પૃ.૩૮૯-૩૯૦, પાદટીપ ૪૦૪) આ હોઈ શકે. ૧૦. ઈશ્વરસૂરિ : આબુમાં લૂણગવસહીમાં પ્રતિષ્ઠા સં.૧૨૪૫ કે ૧૨૯૧. ૧૧. શાલિસૂરિ. ૧૨. સુમતિસૂરિ. ૧૩. શાંતિસૂરિ. ૧૪, ઈશ્વરસૂરિ. ૧૫. શાલિસૂરિ. ૧૬. સુમતિસૂરિ. ૧૭. શાંતિસૂરિ : સંભવતઃ એમના રાજ્યકાળમાં નીચેના ઈશ્વરસૂરિએ એમની કૃતિઓ રચી, સં.૧૫૬૧ અને ૧૫૬૪. ‘સાગરદત્ત રાસ’ના કર્તા શાંતિસૂરિ આ હોવાનું માનવામાં આવ્યું છે (જૈ.ગૂ.ક, ૧,૧૯૬-૯૭) પરંતુ એ તો પોતાને આમદેવસૂરિશિષ્ય કહે છે. ૧૮. ઈશ્વરસૂરિ : એમનું અપરનામ દેવસુંદર હતું. ‘લિલતાંગચિરત્ર' (સં. ૧૫૬૧) અને ‘શ્રીપાલ ચોપાઈ' (સં.૧૫૬૪) શાંતિસૂરિના પ્રસાદથી રચી હોવાનું પણ પોતે શાલિસૂરિના શિષ્ય હોવાનું એ કહે છે. તેથી એ શિષ્ય શાલિસૂરિના હોય, શાંતિસૂરિના રાજ્યકાળમાં આ કૃતિઓ રચી હોય અને એમના પછી પાટે આવ્યા હોય એવો સંભવ છે. શાલિસૂરિ-સુમતિસૂરિ-શાંતિસૂરિ-ઈશ્વરસૂરિશિ. ધર્મસાગરશિ. ચોથાની ‘આરામનંદન ચોપાઈ' સં.૧૫૮૭ની મળે છે તે આ જ ઈશ્વરસૂરિ સંભવે છે. એમણે નાડલાઈમાં સં.૧૫૯૭માં ઋષભદેવની પ્રતિષ્ઠા કરી હતી. એમની સંસ્કૃત-ગુજરાતી કૃતિઓ માટે જુઓ ભા.૧, પૃ.૨૧૯-૨૨ તથા ૪૯૪. સાંડેરગચ્છ સં.૧૬૩૬ અને ૧૬૪૦ (ભા.૧, ૧૭૬), સં.૧૬૫૨ (ભા.૩, ૧૧૮) તથા સં.૧૮૬૮માં (ભા.૫, ૧૫૪) લખાયેલી પ્રતો મળે છે. સમય જતાં સાંઢેરગચ્છ તપાગચ્છમાં ભળી ગયો છે. નાગેન્દ્ર/નાગિલ/નાયલગચ્છ પટ્ટાવલી (૧) ૧. વીરસૂરિ : એમણે મંડલપતિ ચચ્ચિગને સં.૧૦૮૦માં દીક્ષા આપી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001038
Book TitleJain Gurjar Kavio Part 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages387
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy