SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠશ્રી અમીચંદજીને આવેલું સ્વપ્ન શેઠશ્રી અમીચંદજીને પૂજ્ય મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજ ઉપર ઘણી આસ્થા, તેથી ઝવેરી બજારમાં જવા પહેલાં ભૂલેશ્વર લાલબાગમાં બિરાજમાન ગુરુદેવને હમેશાં દર્શન વંદન કરી, કામધંધે લાગવાનો નિયમ હતો. પોતાના ધર્મપત્નીની ભાવનાને મૂર્તસ્વરૂપ આપવા વાલકેશ્વરમાં અત્યારની જે જગ્યા છે તે જ જગ્યા, જિનમંદિર માટે શેઠશ્રી અને સ્વજનોએ પસંદ કરી યથાસમયે મેઘનાદ મંડપથી ઓળખાતું એક મજલાવાળું શિખરબંધી, ભવ્ય જિનમંદિર પોતાના ખર્ચે તૈયાર કરાવ્યું પણ મૂલનાયક તરીકે પ્રાચીન પ્રતિમાજી ક્યાંથી લાવવાં? તેની શેઠ-શેઠાણી ચિંતા કરતાં હતાં, ત્યાં એક મંગલ રાતે શેઠશ્રી અમીચંદજીને શાસનદેવે સ્વપ્ન આપ્યું. સ્વપ્નમાં અત્યારે જે મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન છે તેમનાં જ દર્શન કરાવ્યાં અને સાથે જણાવ્યું કે “આ ભગવાન ખંભાતના એક જિનમંદિરના ભોંયરામાં છે. તમે ખંભાત જાવ અને એ જ ભગવાનને તમારા બંધાવેલા દેરાસરમાં બિરાજમાન કરો.” સ્વપ્નની સફળતા અને પ્રતિષ્ઠા આવું સુંદર સ્વપ્ન આવવાથી શેઠશ્રીના હર્ષની સીમા રહી નહીં. શેઠાણી પણ રાજી છું ૬ થયાં. શેઠે પૂજ્ય મોહનલાલજી મહારાજને સ્વપ્નની વાત કરી અને પ્રતિષ્ઠાનાં મુહૂર્ત બાબતમાં પૂછ્યું. ગુરુદેવે કહ્યું કે, “સબ અચ્છા હો જાયેગા.' ગુરુદેવના આશીર્વાદ લઈ શેઠ બજારમાં ગયા, ત્યાં એકાએક ગુરૂદેવે તેડું મોકલ્યું. શેઠ ગુરુદેવ પાસે આવ્યા. પૂજ્ય ગુરુદેવે આજ્ઞા કરી આજે જ ખંભાત જાવ અને ત્યાંના સંઘપતિ જે મૂર્તિઓ આપે તે લઈને મુંબઈ તરફ પ્રયાણ કરો. શેઠને ગુરુદેવ ઉપર અનન્ય શ્રદ્ધા એટલે તેઓ ખંભાત ગયા અને સુશ્રાદ્ધ ? સંઘપતિ નગરશેઠ શ્રી પોપટભાઈને મળ્યા. તેમની સાથે રહીને બે ચાર દેરાસરનાં દર્શન કરતાં કે કરતાં એક દેરાસરના ભોંયરામાં, જે મૂર્તિ સ્વપ્નમાં જોઈ હતી તે જ મૂર્તિ જોઈ. શેઠ ખૂબ કે જ પ્રસન્ન થયા. નગરશેઠ પાસે માગણી કરી. આ પ્રતિમા આપવાનું નગરશેઠશ્રીને મન ન કે હતું પણ શેઠશ્રી અમીચંદભાઈએ લાભાલાભનાં કારણે સમજાવ્યાં એટલે છેવટે સંમત થયા છે અને તુરત જ તે પ્રતિમાજીને મુંબઈ લાવવામાં આવ્યાં. શાસનદેવે આપેલું સ્વપ્ન સફળ છે થયું અને વિ. સં. ૧૯૬૦ના માગસર સુદિ છઠના દિવસે પૂ૦ ગુરૂદેવ શ્રી મોહનલાલજી કે મહારાજની પુણ્ય નિશ્રામાં શેઠશ્રી અમીચંદજીબાબુએ, તેમનાં ધર્મપત્ની શેઠાણી શ્રી કુંવરબાઈ કે તથા તેમના કુટુંબીજનો સાથે રહીને ઘણું ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક ભવ્ય મહોત્સવ સાથે કે પ્રતિષ્ઠા કરી. પહેલા મજલે મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા શ્રી અમીચંદજીબાબુના ર્ડ સુપુત્ર શ્રી દોલતચંદજી તથા શ્રી સીતાપચંદજીએ કુટુંબ સાથે રહીને કરી છે. - આ મંદિર ભારત સરકારના પર્યટન ખાતાએ મુંબઈમાં જોવાલાયક સ્થળોમાં દાખલ કરેલ હોવાથી દર વરસે હજારો પ્રવાસીઓ આ મંદિરના દર્શનાર્થે આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001020
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1982
Total Pages556
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Philosophy, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy