SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૯ મું મૃત્યુ પામી. બંને ભાઈઓએ માતપિતાનું મૃતકાર્ય કર્યું અને અનુક્રમે હરિશ્ચન્દ્ર મુનિના બોધથી બને શંકરહિત થયા. પછી કર્મઠ' એ કમઠ રાજકાર્યમાં જોડાયે, કેમકે “હમેશાં પિતા મૃત્યુ પામતાં યેષ્ઠ પુત્ર ધુરંધર થાય છે.” નાનો ભાઈ મરૂભૂતિ સંસારની અસારતાને જાણીને સંન્યાસી જેમ ભોજનથી વિમુખ થાય તેમ વિષયથી વિમુખ થયું, અને સ્વાધ્યાય તથા પૌષધ વિગેરેની વિધિમાં તત્પર થઈને અહોરાત્ર પૌષધાગારમાં રહેવા લાગ્યા. ત્યાં “ગુરૂ પાસે સર્વ સાવધ ગની વિરતિ સ્વીકારીને હું તેમની સાથે ક્યારે વિહાર કરીશ?' એવી બુદ્ધિ મરૂભૂતિને હમેશાં થતી હતી. એકલે પડેલો કમઠ તે સ્વચ્છેદી, પ્રમાદરૂપ મદિરાથી ઉમાદી, સદા મિથ્યાત્વથી મહિત અને પરસ્ત્રીમાં તથા ઘતમાં આસક્ત થયે. મરૂભૂતિની સ્ત્રી વસુંધરા નવ યૌવનવતી હોવાથી જગમ વિષવલ્લીની જેમ સર્વ જગતને મોહકારી થઈ પડી, પરંતુ ભાવયતિ થયેલા મરૂભૂતિએ તે જળથી મરૂસ્થળની લતાની જેમ સ્વપ્નમાં પણ તેને સ્પર્શ કર્યો નહી. અહર્નિશ વિષયની ઈરછાવાળી વસુંધરા પતિને સંગ ન મળવાથી પિતાનું યૌવન અરયમાં માલતીના પુષ્પની જેમ નિષ્ફળ માનવા લાગી. પ્રકૃતિથી જ સ્ત્રીલંપટ એ કમઠ વિવેકને છોડી દઈ ભ્રાતૃવધૂને વારંવાર જોઈ જોઈને અનુરાગથી બોલાવવા લાગ્યો. એક વખતે વસુંધરાને એકાંતમાં જઈને કમઠે કહ્યું કે “હે સુબ્રુ! કૃષ્ણ પક્ષમાં ચંદ્રલેખાની જેમ તમે પ્રતિદિન કેમ ક્ષય પામે છે? તમે કદિ લજજાથી ન કહો, તથાપિ તમારું દુઃખ મારા જાણવામાં આવ્યું છે. હું ધારું છું કે મારે અનુજ ભાઈ મુગ્ધ અને નપુંસક છે, તે જ તેનું કારણ છે.” આવું પોતાના જેઠનું અમર્યાદ વચન સાંભળી જેનાં વસ્ત્ર અને કેશ છુટી ગયાં છે એવી વસુંધરા ધ્રુજતી ધ્રુજતી નાસવા લાગી; એટલે કમઠે પછવાડે દેડીને તેને પકડી લીધી અને કહ્યું કે “અરે મુગ્ધા! અને આવી બીક કેમ રાખો છો ? આ તમારો શિથિલ થયેલે સુંદર કેશપાશ સારી રીતે બાંધી લે, અને વસ્ત્ર સમાં કરે.” આ પ્રમાણે કહીને એ ઈચ્છતી નહોતી તે પણ કમઠ પિતે તેને કેશપાશ અને વસ્ત્ર સમાં કરવા લાગ્યું. ત્યારે વસુંધરા બેલી કે “તમે જયેષ્ઠ થઈને આ શું કરે છે? તમે તે વિશ્વભૂતિ (શ્વસુર ) ની જેમ મારે પૂજ્ય છે. આવું કાર્ય તમને અને મને બન્નેને ઉભય કુળમાં કલંકને માટે છે.” કમઠ હસીને બે કે “હે બાળે! મુગ્ધપણાથી આવું બેલે નહીં અને તમારા યૌવનને ભેગ વગર નિષ્ફળ કરે નહી. હે મુગ્ધાક્ષિ! મારી સાથે વિષયસુખ ભેગ. તે નપુંસક મરૂભૂતિ તમારે શા કામને છે કે અદ્યાપિ તમે તેને સંભારે છે? શાસ્ત્રમાં કહ્યું છે કે-જે પતિ નાસી જાય, મરી જાય, દીક્ષા લે, નપુંસક હોય અથવા વટલી જાય તેએ પાંચ આપત્તિમાં સ્ત્રીઓએ બીજો પતિ કરવો.” આ પ્રમાણે કહીને પ્રથમથી જ ભેગની ઈચ્છાવાળી વસુંધરાને તેણે આગ્રહથી પોતાના મેળામાં બેસાડી અને અમર્યાદપણુવડે તેની લજજા છેડાવી દીધી. પછી કામાતુર કમઠે તેને ચિરકાળ રમાડી. ત્યારથી તેનો નિત્ય એકાંતમાં રત્યુત્સવ થવા લાગ્યો. ૧ કર્મ–ક્રિયામાં સ્થિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy