SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૧ મો] દ્વારકાને દાહ અને કૃષ્ણનું અવસાન [૪૦૯ બહાર નીકળી શક્યો નહીં. તે વખતે તૈપાયન દેવે આવીને કહ્યું કે “અરે રામ કૃષ્ણ! તમને આ શો મેહ થયે છે? મેં તમને પૂર્વે કહ્યું હતું કે–તમારા બે વિના બીજા કોઈને અગ્નિમાંથી મેલ થવાનો નથી, કારણ કે મેં તેને માટે મારૂં મહા તપ વેચી દીધું છે, અર્થાત નિયાણાવટે નિષ્ફળ કરી નાખ્યું છે.” તે સાંભળીને તેમનાં માતા પિતા બોલ્યાં-“હે વત્સ! હવે તમે ચાલ્યા જાઓ, તમે બે જીવતા રહેશે તે બધા યાદવે જીવતાજ છે, માટે હવે વધારે પુરૂષાર્થ કરે નહીં; તમે તે અમને બચાવવા માટે ઘણું કર્યું, પરંતુ ભવિતવ્યતા બળવાનું અને દુર્લય છે. અમે અભાગીઆઓએ પ્રભુની પાસે દીક્ષા લીધી નહીં, તે હવે અત્યારે અમે અમારા કર્મનું ફળ ભેગવશું.' તેમણે આ પ્રમાણે કહ્યું તે પણ જ્યારે રામ કૃષ્ણ તેમને મૂકીને ગયા નહીં, ત્યારે વસુદેવ, દેવકી અને રોહિણીએ કહ્યું કે અત્યારથી અમારે ત્રિજગદ્ગુરૂ શ્રી નેમિનાથનું જ શરણ છે, અમે ચતુર્વિધ આહારનાં પચખાણ કરીએ છીએ, અને શરણેછુ એવા અમે અહંત, સિદ્ધ, સાધુ અને અહં તકથિત ધર્મનું શરણ અંગીકાર કરીએ છીએ. અમે કેઈના નથી અને કોઈ અમારૂં નથી.” આ પ્રમાણે આરાધના કરીને તેઓ નવકાર મંત્રના ધ્યાનમાં તત્પર થયા, એટલે દ્વૈપાયને તેમની ઉપર અગ્નિના મેઘની જેમ અગ્નિ વર્ષા, જેથી તે ત્રણે તત્કાળ મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. પછી રામ અને કૃષ્ણ નગરીની બહાર નીકળી જીર્ણોદ્યાનમાં ગયા, અને ત્યાં ઉભા રહીને બળતી દ્વારકાપુરીને જોવા લાગ્યા. દ્વારકાની અંદર અગ્નિવડે બળવાથી માણેકની દીવાલ પાષાણુના ખંડની જેમ ચૂર્ણ થતી હતી, ગશીર્ષચંદનના સ્તંભ પલાલની જેમ ભસ્મ થતા હતા, કીલ્લાના કાંગરાઓ તડ તડ શબ્દ કરતા તુટી પડતા હતા, અને ઘરનાં તળીઓ ફક્ ફ, શબ્દ કરતાં ફુટતાં હતાં. સમુદ્રમાં જળની જેમ અગ્નિની જવાળાઓમાં જરા પણ અંતર હતું નહીં. પ્રલય કાળમાં જેમ સર્વત્ર એકાણું થઈ જાય તેમ સર્વ નગરી એકાનળરૂપ થઈ ગઈ હતી. અગ્નિ પિતાની જ્વાળારૂપ કરથી નાચતે હતે, પિતાના શબ્દથી ગર્જના કરતું હતું, અને વિસ્તાર પામતા ધુમાડાના મિષથી નગરજનરૂપ માછલાની ઉપર જાણે જાળ પાથરતો હોય તે દેખાતો હતો. આ પ્રમાણેની દ્વારકાની સ્થિતિને જોઈને કૃષ્ણ બળભદ્રને કહ્યું, “નપુંસક જેવા મને ધિક્કાર છે કે હું તટસ્થ રહીને આ મારી નગરીને બળતી જોઉં છું. આર્ય બંધુ! જેમ આ નગરીની રક્ષા કરવાને હું સમર્થ નથી, તેમ તેને જોવાને પણ હું ઉત્સાહ રાખતા નથી. માટે કહે, હવે આપણે કયાં જઈશું? કેમકે સર્વત્ર આપણું વિરોધી રાજાઓ છે.” બળભદ્ર બેલ્યા ભાઈ! આ વખતે આપણું ખરા સગા સંબંધી, બાંધવ કે મિત્ર પાંડજ છે, માટે તેમને ઘેર જઈએ.” કૃણે કહ્યું, “આર્ય! મેં પ્રથમ તેમને દેશનિકાલ કર્યા હતા, તે તે અપકારની લજજાએ આપણે ત્યાં શી રીતે જઈશું?” રામ બેલ્યા-બસપુરૂષો પોતાનાં હૃદયમાં ઉપકારને જ ધારણ કરે છે, તેઓ નઠારા સ્વપ્નની જેમ કદિ પણ અપકારને તે સંભારતાજ નથી. હે જાતા! આપણે અનેકવાર સત્કાર કરેલા એવા પાંડવો કૃતજ્ઞ હોવાથી આપણી પજા કરશે, C - 52 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy