SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ ર સ ૧૧ મો. ૪૪૪૪ ત દ્વારકાનો દાહ અને કૃષ્ણનું અવસાન એક વખતે દેશનાને અંતે વિનયવાન કૃષ્ણ નમસ્કાર કરી અંજલિ જેડીને શ્રી નેમિનાથ ભગવંતને પૂછયું-“ભગવાન ! આ દ્વારકાનગરીને, યાદને અને મારે શી રીતે નાશ થશે? તે કઈ બીજા હેતુથી બીજાવડે થશે કે કાળના વશથી સ્વયમેવ થશે?' પ્રભુ બેલ્યા-શૌર્યપુરની બહાર એક આશ્રમમાં પરાસર નામે કઈ પવિત્ર તાપસ રહે છે. કેઈ વખત તેણે યમુના દ્વીપમાં જઈને કઈ નીચ કુળની કન્યા સેવી, તેનાથી તેને કૈપાયન નામે એક પુત્ર થયું છે. બ્રહ્મચર્યને પાળનાર અને ઇન્દ્રિયનો દમન કરનાર તે દ્વૈપાયન ઋષિ યાદવના નેહથી દ્વારકાના સમિપ ભાગમાં રહેશે, તેને કઈ વાર શાંબ વિગેરે યદુકુમારે મદિરાથી અંધ થઈને મારશે, તેથી ક્રોધાંધ થયેલે તે દ્વૈપાયન યાદવ સહિત દ્વારકાને બાળી નાખશે, અને તમારા ભાઈ જરાકુમારથી તમારે નાશ થશે.” પ્રભુનાં આવાં વચન સાંભળીને “અરે! આ જરાકુમાર આપણા કુળમાં અંગારારૂપ છે.” એમ સર્વ યાદ હૃદયમાં ક્ષોભ પામીને તેને જોવા લાગ્યા. જરાકુમાર પણ તે સાંભળીને વિચારવા લાગ્યું કે “શું હું વાસુદેવને પુત્ર થઈને ભાઈને ઘાત કરનાર થાઉં? માટે પ્રભુનું વચન સર્વથા અન્યથા કરવાને હું પ્રયત્ન કરૂં.' આ વિચાર કરી પ્રભુને નમીને તે ત્યાંથી ઉડ્યો, અને બે ભાથાં તથા ધનુષ્યને ધારણ કરી કૃષ્ણની રક્ષા કરવાના વિચારથી (પિતાથી તેનો વિનાશ ન થાય તેટલા માટે) વનવાસને અંગીકાર કર્યો. દ્વૈપાયન પણ જનતિથી પ્રભુનાં વચન સાંભળી દ્વારકા અને યાદવની રક્ષાને માટે વનવાસી થયે. કૃષ્ણ પણ પ્રભુને નમીને દ્વારકાપુરીમાં આવ્યા અને મદિરાના કારણથી અનર્થ થશે એમ ધારીને મદિરાપાન કરવાને સર્વથા નિષેધ કર્યો. કૃષ્ણની આજ્ઞાથી સમીપના પર્વત પર આવેલા કદંબ વનની મધ્યમાં કાદંબરી નામે ગુફાની પાસે અનેક શિલાર્ક ની અંદર ઘરની પાળના જળની જેમ દ્વારકાના લેકે પૂર્વે તૈયાર કરેલા બધી જાતના મઘ લાવી લાવીને નાખવા લાગ્યા. એ સમયે સિદ્ધાર્થ નામના સારથીએ શુભ ભાવ આવવાથી બળદેવને કહ્યું, “આ દ્વારકાનગરીની અને યાદવકુળની આવી દશાને હું શી રીતે જોઈ શકીશ? માટે મને પ્રભુના ચરણને શરણે જવા દે કે જેથી હું ત્યાં જઈને હમણાં જ વત ગ્રહણ કરૂં. હું જરા પણ કાળક્ષેપ સહન કરી શકું એમ નથી.” બળદેવ નેત્રમાં અશ્રુ લાવીને બેલ્યા- “હે અનઘ! હે જાત! તું તે યુક્ત કહે છે, પણ હું તને છોડવાને અસમર્થ છું, તથાપિ તને વિદાયગીરી આપું છું; પણ જે તું તપસ્યા કરીને દેવ થાય તે પછી જ્યારે મારે વિપત્તિને સમય આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy