SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૦ ] દ્રોપદીનું પ્રત્યાહરણ અને ગજસુકુમાલ વિગેરેનું ચરિત્ર [૪૦૧ એકવાર માર્ગે પૈડાના ચીલામાં જળ વહેતું હતું તેને ડાબે પગે રોકી રાખ્યું હતું. એકવાર એક ઘડાની અંદર માખીઓ પેસી ગઈ, પછી તે ઘડાનું મોટું ડાબા હાથ વડે બંધ કરીને ઘણીવાર સુધી ગણગણાટ કરતી તે માખીઓને મેં પૂરી રાખી હતી.” બીજે દિવસે કૃષ્ણ સભાસ્થાનમાં આવી સિંહાસન પર બેસીને રાજાની આગળ બેલ્યા કે “હે રાજાઓ! વીર કુવિંદનું ચરિત્ર પિતાના કુળને ચગ્ય નથી, અર્થાત અધિક પરાકમવાળું છે.” પછી કૃષ્ણને “ઘણું છો” એમ બોલતા રાજાઓ તે સાંભળવાને સાવધાન થયા. એટલે કૃષ્ણ આ પ્રમાણે કહ્યું કે, “જેણે ભૂમિશથી બદરીના વૃક્ષ પર રહેલા રાતી ફણાવાળા નાગને મારી નાખ્યો હતો તે આ વીર ખરેખર ક્ષત્રિય છે, ચક્રથી ખેડાયેલી અને કલુષ જળને વહન કરતી ગંગાનદી જેણે પિતાના વામ ચરણથી ધરી રાખી તે આ વીર કુવિંદ ખરેખર ક્ષત્રિય છે, અને જેણે ઘટનગરમાં રહેનારી ઘોષ કરતી મોટી સેનાને એક વામ કરથી પૂરી રાખી તે આ વીર કવિંદ ખરેખર ક્ષત્રિય છે. તેથી ખરેખર પુરૂષવ્રતધારી આ વીરક મારે જામાતા થવાને ગ્ય છે.” આ પ્રમાણે સભાજનેને કહીને કૃષ્ણ તે વીરકને કહ્યું, “તું આ કેતુમંજરીને ગ્રહણ કર.” વીરે તેમ કરવાને ઈચ્છયું નહીં, એટલે કૃષ્ણ ભ્રકુટી ચડાવીને કહ્યું; જેથી તત્કાળ કે,મંજરીને પરણીને તે પિતાને ઘેર લઈ ગયે. કેતુમંજરી તેને ઘેર શય્યા પર બેસી રહેવા લાગી અને બિચારો વીરક રાત દિવસ તેની આજ્ઞામાં વર્તવા લાગે. એક વખતે કૃષ્ણ વરકને કહ્યું કે, “કેતુમંજરી તારી આજ્ઞામાં વર્તે છે?” ત્યારે તે બે કે – હું તેની આજ્ઞામાં વતું છું' કૃણે કહ્યું કે જે તારૂં બધું કામ તેની પાસે નહીં કરાવે તે તને કારાગૃહમાં નાખીશ.” કૃષ્ણના આશયને જાણી લઈ વીર ઘેર આવ્યા, અને તેણે કેતુમંજરીને કહ્યું, “અરે સ્ત્રી! તું કેમ બેસી રહે છે, વસ્ત્ર વણવાને માટે પાન તૈયાર કર.” કે,મંજરી ક્રોધ કરીને બોલી કે “અરે કેળી! તું શું મને નથી ઓળખતો?” તે સાંભળી વીરકે દેરડીવડે કેમંજરીને નિઃશંક થઈને માર માર્યો, જેથી તે રેતી રેતી કૃષ્ણની પાસે ગઈ અને પિતાના પરાભવની વાર્તા કહી સંભળાવી. ત્યારે કૃષ્ણ કહ્યું કે “હે પુત્રી! તે સ્વામીપણું છોડીને દાસીપણું માગી લીધું છે, હવે હું શું કરું?” તે બેલી“પિતા! તે અદ્યાપિ પણ મને સ્વામીપણું આપો. કૃષ્ણ બેલ્યા કે “હવે તે તું વીરકને સ્વાધીન છે, મારે સ્વાધીન નથી.” પછી જ્યારે કેતુમંજરીએ અતિ આગ્રહથી કહ્યું, ત્યારે કૃષ્ણ વીરકને સમજાવી કે,મંજરીને રજા અપાવીને શ્રી નેમિપ્રભુ પાસે તેને દીક્ષા લેવરાવી. એક વખતે કૃણે બધા (૧૮,૦૦૦) સાધુઓને દ્વાદશાવર્ત વંદના કરવા માંડી, એટલે બીજા રાજાએ તે થોડા થોડા મુનિઓને વાંદવાથી નિર્વેદ પામીને બેસી ગયા, પણ કૃષ્ણના અનુવર્તનથી પેલા વીર વણકરે તે સર્વ સાધુઓને દ્વાદશાવતી વંદના કરી. પછી કૃષ્ણ પ્રભુને કહ્યું કે “સર્વે મુનિઓને દ્વાદશાવતી વંદના કરવાથી આજે મને જેટલે શ્રમ થયે છે એટલે C - 51 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy