SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ગ હું મા] શ્રી અરિષ્ટનેમિના વૃત્તાંત [ ૩૮૫ “ હું જગન્નાથ ! સર્વ વિશ્વના ઉપકારી, જન્મથી બ્રહ્મચારી, દયાવીર અને રક્ષક એવા તમને અમારા નમસ્કાર છે. હું સ્વામિન! ચાપન દિવસે શુકલધ્યાનથી તમે ઘાતીકમના ઘાત કર્યાં, તે અમારા ભાગ્યચેાગે ઘણું જ સારૂં' થયું છે. હે નાથ ! તમે કેવળ યદુકુળનેજ શેાભાવ્યું છે એમ નથી, પશુ કેવળજ્ઞાનના આલેાકથી સૂર્યરૂપ એવા તમે ત્રલેાકને પણ Àાલાવ્યુ' છે. હે પ્રભુ! આ સંસારસાગર કે જે અપાર અને અસ્તાગ' છે તે તમારા પ્રસાદથી ગાઢણુ માત્ર ઊંડા અને ગાયનાં પગલાં જેટલા જ વિસ્તારવાળા થઈ જાય છે. હું નાથ! સનું. હૃદય લલનાઓનાં લલિત ચરિત્રથી ભેદાય છે, પણ આ જગતમાં તમે એક જ તેનાથી અભેદ્ય અને વજાના જેવા હૃદયવાળા રહ્યા છે. બીજુ' કાઈ તેવું નથી. હું પ્રભુ ! તમને વ્રત લેવામાં નિષેધ કરનારી જે ખંધુઓની વાણી થઈ હતી, તે અત્યારે તમારી આ સમૃદ્ધિ જોવાથી પશ્ચાત્તાપને માટે થાય છે. તે વખતે દુરાગ્રહી વગથી અમારા ભાગ્યમળે જ તમે સ્ખલિત થયા નહી. તે બહુ સારૂ થયુ. હવે જગતના પુણ્યથી જેને અસ્ખલિત કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલુ છે એવા તમે અમારી રક્ષા કરે. હું દેવ! જ્યાં ત્યાં રહેલા અને જેમ તેમ કરતા એવા પણ અમારા હૃદયમાં તમે રહેજો, ખીજાની અમારે કાંઈ જરૂર નથી. ” આ પ્રમાણે સ્તુતિ કરીને ઇંદ્ર અને કૃષ્ણ વિરામ પામ્યા. પછી પ્રભુએ સર્વ ભાષાને અનુસરતી વાણી વડે ધર્માં દેશના આપવાના આરબ કર્યાં. “ સવાઁ પ્રાણીઓને લક્ષ્મી વિદ્યુતના વિલાસ જેવી ચપળ છે. સંચાગ છેવટે વિયેાગને જ પ્રાપ્ત કરાવનારા તથા સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા દ્રવ્ય જેવા છે, યૌવન મેઘની છાયા જેવુ' નાશવ'ત છે અને પ્રાણીઓનું શરીર જળના પરપાટા જેવુ' છે; તેથી આ અસાર સંસારમાં ખીજુ કાંઈપણ સાર નથી, માત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પાળવુ, એજ સાર છે. તેમાં તત્ત્વ ઉપર જે શ્રદ્ધા, તે સમ્યગદર્શીન કહેવાય છે, યથા તત્ત્વને બેધ તે જ્ઞાન કહેવાય છે અને સાવધ ચેાગની વિરતિ તે મુક્તિનુ કારણ ચારિત્ર કહેવાય છે. તે ચારિત્ર મુનિઓને સર્વાત્મપણે અને ગૃહસ્થાને દેશથી હાય છે. શ્રાવક યાવજ્જીવિત દેશ ચારિત્રમાં તત્પર, સર્વ સાધુઓને ઉપાસક અને સ`સારના સ્વરૂપને જાણનાર હાય છે. શ્રાવકે ૧ મદિરા, ૨ માંસ, ૩ માખણુ, ૪ મધુ, ૫-૯ પાંચ પ્રકારનાં ઉખરાદિ વૃક્ષનાં ફળ, ૧૦ અન’તકાય (કંદમૂળ), ૧૧ અજ્ઞાત (અજાણ્યાં) ફળ, ૧૨ રાત્રિભાજન, ૧૩ કાચા ગારસ (દૂધ, દહીં, છાશ )ની સાથે મળેલુ દ્વિદળ, ૧૪ પુષ્પિતભાત, ૪ બે દિવસ વ્યતીત થયેલુ દહી' અને કેહી ગયેલુ. અન્નપ –એ સવ' અલક્ષ્ય ના ત્યાગ કરવા. ૧. તાગ ન આવે એટલે ઊડી. ૨. કાચા—ગરમ કર્યાં વિનાના. ૩. દ્વિદળ જેની એ કાડ થાય એવા મગ, અડદાદિ કઠોળ પદાથ, તેની દાળ, લોટ વિગેરે. ૪ વાશી અન્ન-ભાત શટલી વિગેરે. ૫. ચળિત રસ-કાળ વ્યતીત થયેલ મીઠાઈ વિગેરે. ૬-આમાં ગણાવેલાં ૧૪ ઉપરાંત ૧ હિમ (બરક્ર), ૨ કરા, ૩ સર્વ પ્રકારનું વિષ, ૪ કાચી માટી, મીઠું વિગેરે, ૫ તુચ્છ ફળ, કે સંધાનક—મેળ અથાણું વિગેરે, છ હુ ખીજ, અને 2 વેંગણુ—મેળવતાં ખાવીશ અભક્ષ્યા સમજવાં C - 49 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy