SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું મૃણાલની જેમ જેદી નાખ્યાં. ઘણા વખત સુધી યુદ્ધ કરીને પછી શત્રુતપ રાજાએ મહાનેમિ ઉપર એક શક્તિ નાખી. તે જાજવલ્યમાન શક્તિને જોઈ બધા યાદવ ક્ષેભ પામી ગયા. તે શક્તિના મુખમાંથી વિવિધ આયુધ ધરનારા અને ક્રૂર કર્મ કરનારા હજાર કિંકર ઉત્પન્ન થઈ મહાનેમિની સામે આવ્યા. એ વખતે માતલિએ અરિષ્ટનેમિને કહ્યું કે “હે સ્વામિન ! ધરણંદ્ર પાસેથી રાવણે મેળવી હતી તેમ આ શક્તિ એ રાજાએ તપ કરીને બલીંદ્ર પાસેથી પ્રાપ્ત કરેલી છે, તે શક્તિ માત્ર વજથી જ ભેદાય તેવી છે.' એમ કહીને નેમિકુમારની આજ્ઞાથી તે સારથિએ મહાનેમિના બાણમાં વજને સંક્રમિત કર્યું, તેથી મહાનેમિએ તે વાવાળું બાણ નાખીને તે શક્તિને પૃથ્વી પર પાડી નાખી. પછી તે રાજાને રથ અને અમરહિત કરી દીધે, અને બાકીના છ રાજાઓનાં ધનુષ્યને ફરીને છેદી નાખ્યાં. એવામાં રૂફમિ બીજા રથમાં આરૂઢ થઈને પાછા નજીક આવ્યું, એટલે માનવંતમાં અગ્રેસર શત્રુતપ વિગેરે સાત અને રૂકમિ સુદ્ધાં આઠે રાજાઓ એકઠા થઈ મહાનેમિની સાથે યુદ્ધ કરવા લાગ્યા. રૂકમિ જે જે ધનુષ્ય લે તેને મહાનેમિ છેદી નાખવા લાગ્યા; એવી રીતે તેનાં વિશ ધનુષ્ય છેદી નાખ્યાં. પછી તેણે મહાનેમિ ઉપર કીબેરી નામે ગદા નાખી, તેને મહાનેમિએ અન્ય»થી ભરમ કરી દીધી. પછી યુદ્ધમાં બીજાની અપેક્ષાને નહીં સહન કરનારા રૂમિએ મહાનેમિની ઉપર લાખો બાણેને વર્ષનારૂં વૈચન નામનું બાણ નાખ્યું. મહાનેમિએ માહેંદ્ર બાણથી તેનું નિવારણ કર્યું અને એક બીજા બાણથી રૂમિના લલાટમાં તાડન કર્યું. તે ઘાથી વિધુર થયેલા રૂમિને વેણુદારી લઈ ગયે, એટલે તે સાતે રાજાએ પણ મહાનેમિથી ઉપદ્રવિત થઈને સત્વર નાશી ગયા. સમુદ્રવિજયે શ્રમરાજાને, સ્વિમિતે ભદ્રકને અને અક્ષેભ્ય પરાક્રમવાળા અક્ષેત્યે વસુસેનને જીતી લીધું. સાગરે પુરમિત્ર નામના શત્રુરાજાને યુદ્ધમાં મારી નાખે. હિમવાન જેવા સ્થિર હિમવાને ધૃષ્ટદ્યુમ્નને ભગ્ન કર્યો. બળવડે ધરણંદ્ર જેવા ધરણે અન્વષ્ટક રાજાને અને અભિચંદ્ર ઉદ્ધત શતધન્વા રાજાને મારી નાખ્યો. પૂરણે દ્રુપદને, સુનેમિએ કુંતિભેજને, સત્યનેમિએ મહાપદ્મને અને દઢનેમિએ શ્રીદેવને હરાવી દીધું. આવી રીતે યાદવવીએ ભગ્ન કરેલા શત્રુરાજાએ સેનાપતિના પદ ઉપર સ્થાપિત થયેલા હિરણ્યનાભને શરણે ગયા. અહીં વિર એવા ભીમ અને અર્જુને તેમજ મહા પરાક્રમી રામ (બળભદ્ર)ને પુત્રોએ મેઘ જેમ બગલાને નસાડે તેમ ધૃતરાષ્ટ્રના પુત્રને નસાડી મૂક્યા. પડતાં એવાં અર્જુનનાં બાણથી દિશાઓમાં અંધકાર થઈ ગયો અને તેના ગાંડીવ ધનુષ્યના ઘેર નિષથી બધું વિશ્વ વિધુર થઈ ગયું. ધનુષ્યને આકર્ષણ કરી વેગથી પુષ્કર શર સંધાન કરતા તે વીરનું એક બીજા બાણની યોજનાનું કાંઈ પણ અંતર આકાશમાં રહેલા દેવતાઓ પણ જોઈ કે જાણે શક્તા નહતા. પછી દુર્યોધન, કાશી, ત્રિગત, સબલ, કપિત, રેમરાજ, ચિત્રસેન, જયદ્રથ, સૌવીર, જયસેન, શૂરસેન અને સેમકે એ સર્વ એકઠા મળી ક્ષત્રિય વ્રતને તજી દઈને અર્જુન સાથે યુદ્ધ કરવા આવ્યા. શકુનિ સાથે સહદેવ, દુઃશાસન સાથે ભીમ, ઉલકની સાથે નકુલ, શલ્યની સાથે યુધિષ્ઠિર, દુર્મર્ષણ વિગેરે છ રાજાઓની સાથે સત્યકિ સહિત દ્રૌપદીના પાંચ પુત્રો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy