SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૭ ] શાંબ પ્રદ્યુમ્ન વિવાહ–જરાસંધ વધ [૩૫૧ હતે, એટલે શબે ભ્રકુટી ચડાવીને બીવરાવ્યું, જેથી તે નાસી ગયે. તેણે આવીને સત્યભામાને તે વાત કહી, પણ સત્યભામાએ માની નહીં; પછી પિતાની જાતે ત્યાં આવી જોયું, તે શાબકુમારને ત્યાં બેઠેલે દીઠે. શબે સાપન માતાને પ્રણામ કર્યા, એટલે સત્યભામા કપ કરીને બેલી-અરે નિર્લજજ! તને અહીં કેવું લાગ્યું છે?” શાંબ બહયે “માતા! તમે જ મને હાથ પકડીને લાવ્યાં છે અને આ નવાણું કન્યાઓની સાથે મારે વિવાહ પણ તમે જ કરાવ્યો છે. આ વિષે બધા દ્વારિકાના લેકો મધ્યસ્થ (સાક્ષી) છે.” આ પ્રમાણે કહ્યું, એટલે સત્યભામાએ ત્યાં આવતા નગરજનેને પૂછવા માંડયું. તેઓએ કહ્યું કે “દેવી ! કેપ કરે નહીં. અમારી નજરે તમે શાબને હાથ પકડીને દ્વારિકામાં લાવ્યા છે અને તેને જ આ કન્યાઓ સાથે તમે વિવાહ કરાવ્યો છે.” આ પ્રમાણેની લેકની સાક્ષી સાંભળી સત્યભામા “અરે તું કપટી, કપટીને પુત્ર, કપટીને કનિષ્ઠ ભાઈ અને કપટી માતાને પુત્ર છે, તેથી તું મને કન્યારૂપે છળી ગયો છે.” આ પ્રમાણે કહીને રોષથી ચાલી ગઈ પછી કૃષ્ણ સર્વ લેકોની સમક્ષ તે કન્યાઓને શાબની સાથે પરણાવી અને જાંબવતીઓ માટે ઉત્સવ કર્યો. પછી શાંબ વસુદેવને નમસ્કાર કરવાને ગયે. ત્યાં તેણે કહ્યું “તાત! તમે ચિરકાળ પૃથ્વીમાં ભમી ઘણી સ્ત્રીઓ પરણ્યા હતા અને હું તે પૃથ્વીમાં ભમ્યા વગર એક સાથે સે કન્યાઓ પર, તેથી મારામાં અને તમારામાં આ પ્રત્યક્ષ અંતર છે!” વસુદેવ બે હે વત્સ! તું કુવાન દેડકા જેવો છે. પિતાએ નગરીની બહાર કાઢ્યો, તોપણ તું પાછા આવ્યું, તેથી માનવજિત એવા તને ધિક્કાર છે! અને હું તો ભાઈ એ કિંચિત્ અપમાન કર્યું એટલે વીરવૃત્તિથી નગરમાંથી નીકળી સર્વે ઠેકાણે અખલિતપણે ભમી અનેક કન્યાઓને પર, અને પછી અવસરે મળેલા તેજ બંધુઓએ આદરથી પ્રાર્થના કરી એટલે હું પાછો ઘેર આવ્યું છે, તારી જેમ પિતાની મેળે પાછો આવ્યો નથી.” આવો તેમને ઉત્તર સાંભળી પિતાના પૂજ્ય વસુદેવને પિતે પ્રથમના વાક્યોથી તિરસ્કાર કર્યો છે એમ જાણી શાંબ અંજલિ જેડી પ્રણામ કરીને પિતામહ પ્રત્યે બે “હે પિતામહ! મેં અજ્ઞાનથી અને બાળચેષ્ટાથી કહ્યું તે ક્ષમા કરજે, કેમકે તમે તે ગાવડે લેકેત્તર છે.” અન્યદા કેટલાએક ધનાઢ્ય વણિકે મોટાં કરિયાણું લઈ યવનદ્વીપથી જળમાગે ત્યાં આવ્યા. તેઓએ બીજાં કરિયાણ દ્વારિકામાં વેચ્યાં, પણ રત્નકંબળ વેચ્યાં નહીં. વિશેષ લાભની ઈચ્છાથી તેઓ રાજગૃહીપુરે ગયા. ત્યાંના વ્યાપારીઓ આગળ થઈને તેમને મગધેશ્વરની દુહિતા છવયશાને ઘેર લઈ ગયા. તે રત્નકંબળ તેમણે જીવ શાને બતાવ્યાં કે જે ઉષ્ણકાળમાં શીત, શીતકાળમાં ઉષ્ણુ અને ઘણું કોમળ રૂવાંટીવાળાં હતાં. જીવયશાએ તે રત્નકંબળનું અધું મૂલ્ય કર્યું એટલે તેઓ પોકારીને બેલ્યા કે “અરે! આમ અધું મૂલ્ય આપવાનાં હત તે અમે દ્વારિકા છેડીને અહીં શા માટે આવીએ?” જીવયશાએ પૂછ્યું, “એ દ્વારિકા નગરી કેવી છે અને ત્યાં રાજા કેણ છે?' વ્યાપારી બોલ્યા “સમુદ્ર આપેલા સ્થાનમાં એ દ્વારિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy