SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૬ ] રામ કૃષ્ણ પાંડવાદિને વિવાહ [ ૩૪૧ તે વખતે નારદે કહ્યું, · વત્સ ! આ તારા પિતાની દ્વારકાપુરી આવી, જેને કુબેરે રત્નોથી નિમીને પછી ધનવડે પૂરી દીધી છે.’ પ્રશ્ન એલ્યે ‘મુનિવય’! તમે ક્ષણવાર આ વિમાનમાં અહીજ રહેા, હું નગરીમાં જઈ કાંઈક ચમત્કાર કરૂં.' નારદે તે સ્વીકાર્યું. પછી પ્રધુમ્ન આગળ ચાલ્યે. ત્યાં તો સત્યભામાના પુત્રના વિવાહની જાન આવતી તેણે જોઈ, એટલે પ્રધુસ્ને તેમાંથી કન્યાને હરી લીધી અને જ્યાં નારદ હતા ત્યાં મૂકી. નારદે કહ્યું, ‘વત્સે ! ભય પામીશ નહીં, આ પણુ કૃષ્ણનો પુત્રજ છે.' પછી પ્રશ્ન એક વાનરને લઈને વનમાં ગયે, અને વનપાળકોને કહ્યું કે ‘આ મારો વાનર ક્ષુધાતુર છે, માટે તેને ફળાદિક આપે.” વનપાળકા ખેલ્યા ‘ આ ઉદ્યાન - ભાનુકકુમારના વિવાહને માટે રાખેલુ છે, માટે તારે કાંઈ પણ એલવું કે માગવું નહી.' પછી પ્રદ્યુમ્ર ઘણા દ્રવ્યથી તેમને લેાભાવીને તે ઉદ્યાનમાં પેઠા, અને પેાતાના માયાવી વાનર પાસે બધું ઉદ્યાન ફળાદિકથી રહિત કરાવી નાખ્યું. પછી એક જાતિવ ત અશ્વ લઈ વિણક બનીને તૃણુ વેચનારની દુકાને ગયા, અને પેાતાના અશ્વને માટે તે દુકાનદાર પાસે ઘાસ માગ્યું; તેઓએ પણ વિવાહકાર્યનું કારણ બતાવીને ના પાડી, એટલે તેમને દ્રવ્યથી લેાભાવી વિદ્યાખળે સ તૃણુ વગરનુ` કરી દીધું. તેવીજ રીતે સ્વાદિષ્ટ જળવાળાં જે જે સ્થાના હતાં તે પ્રધાં જળરહિત કરી દીધાં. પછી પેતે અશ્વક્રીડા કરવાને સ્થાનકે જઈ અશ્વને ખેલાવવા લાગ્યું. તે અશ્વ ભાનુકે જોયા. એટલે તેની પાસે જઈ પૂછ્યું કે ‘આ અશ્વ કાને છે ?' પ્રદ્યુમ્ને કહ્યુ', ‘એ મારા અશ્વ છે.’ ભાનુકે આદરથી કહ્યું, ‘આ અશ્વ મને આપશે? જે તમે માગશે! તે મૂલ્ય હું આપીશ.' પ્રદ્યુમ્ને કહ્યું કે ‘ પરીક્ષા કરી હ; નહિ તો હું રાજાના અપરાધમાં આવું.' ભાનુકે તે વાત કબુલ કરી અને પરીક્ષા કરવા માટે તે અશ્વ ઉપર પેાતે બેઠા. પછી અશ્વની ચાલ જોવાને માટે તેને ચલાવતાંજ અવે ભાનુકને પૃથ્વી પર પાડી નાખ્યા. પછી નગરજનોએ જેનુ' હાસ્ય કરેલ છે એવે પ્રધુમ્ર મેંઢા ઉપર બેસી કૃષ્ણની સભામાં આવ્યે અને સ` સભાસદોને હસાવવા લાગ્યા. વળી ક્ષણવારે બ્રાહ્મણુ થઈ અધુર સ્વરે વેદ ભણુતો દ્વારિકાના ચૌટામાં અને શેરીએ શેરીએ ભમવા લાગ્યા, માર્ગોમાં સત્યભામાની એક કુબ્જા દાસી મળી, એટલે તેને ખરૂની લતાની જેમ વિદ્યાથી સરળ અગવાળી કરી દીધી. તે દાસી પ્રદ્યુમ્નના પગમાં પડીને ખેલી કે ‘તમે કયાં જામે છે ?’ એટલે પ્રધુમ્ર બેન્ચે, જ્યાં ઇચ્છા પ્રમાણે ભેાજન મળે ત્યાં જાઉં છું.' દાસી એટલી ‘ ચાલે! સત્યભામા દેવીને ઘેર, પુત્રના વિવાહને માટે તૈયાર કરેલા મેઇફ વિગેરે તમને યથારૂથિ આપીશ.' પછી પ્રધુમ્ર કુબ્જાની સાથે સત્યભામાને ઘેર આવ્યે. તોરદ્વાર (મૂળદ્વાર પાસે તેને ઊભેા રાખી કુખ્ત સત્યભામાની પાસે ગઈ, એટલે સત્યભામાએ પૂછ્યું કે ‘તું કાણુ છે?” દાસી ખાલી ‘હુ કુબ્જા છું,' સત્યભામાએ કહ્યું કે ‘તને આવી સરળ કેણે કરી ?' એટલે દાસીએ તે બ્રાહ્મણના વૃત્તાંત કહ્યો. સહ્ભામાએ પૂછ્યુ કે ‘તે બ્રાહ્મણ કયાં છે?' દાસી ખેાલી કે‘હુ· તેને તોરણદ્વાર પાસે ઊભા રાખી તમારી પાસે આવી છુ.' એટલે તે મહાત્માને અહીં' લાવ' એમ સત્યભામાએ આજ્ઞા આપી, તેથી દાસી વેગથી દોડી જઇને તે કપટી બ્રાહ્મણને તેડી લાત્રી. તે * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy