SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૮મું નામે પુત્ર થયા. પૂર્વ ભવના ક્રમથી તેઓ શ્રાવકધર્મ પાળવા લાગ્યા. એક વખતે મહેંદ્ર નામે એક મુનિ ત્યાં સમવસર્યા, તેમની પાસેથી ધર્મ સાંભળીને અર્હદાસે દીક્ષા લીધી. પૂર્ણભદ્ર અને માણિભદ્ર તે માહેંદ્ર મુનિને વાંદવા જતા હતા, ત્યાં માર્ગમાં એક કુતરીને અને ચાંડાળને જઈને તેમની ઉપર તેઓને નેહ ઉત્પન્ન થયે, તેથી તેઓએ મહર્ષિ પાસે આવી નમીને પૂછયું કે “આ ચાંડાળ અને કુતરી કોણ છે કે જેને જેવાથી અમને નેહ ઉપજે છે? મુનિ બેલ્યા “તમે પૂર્વ ભવમાં અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બ્રાહ્મણ હતા, તે વખતે સામદેવ નામે તમારા પિતા અને અગ્નિના નામે તમારી માતા હતી, તે સેમદેવ મૃત્યુ પામીને આ ભરતક્ષેત્રમાં આવેલા શંખપુરમાં જિતશત્રુ નામે રાજા થયે, જે સદા પરીમાં આસક્ત હતે. અગ્નેિલા મૃત્યુ પામીને તેજ શંખપુરમાં સેમભૂતિ નામના બ્રાહ્મણની રૂકમિણું નામે સી થઈ. એક વખતે રૂકમિણી પિતાના ઘરના આંગણામાં ઊભી હતી, તેવામાં તે માગે નીકળેલા જિતશત્રુ રાજાના જોવામાં આવી; તત્કાળ તે રાજા કામવશ થઈ ગયે, તેથી સમભૂતિ ઉપર કાંઈક ગુન્હો મૂકી રાજાએ તે સ્ત્રીને પોતાના અંતઃપુરમાં દાખલ કરી. તેના વિરહથી પીડિત સમભૂતિ અગ્નિમાં મગ્ન હોય તેમ દુખે રહેવા લાગ્યું. રાજા જિતશત્રુ તે સ્ત્રીની સાથે એક હજાર વર્ષ સુધી ક્રીડા કરી મૃત્યુ પામીને પહેલી નરકમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળે નારકી થશે. ત્યાંથી નીકળીને હરિણ થયે; તે ભવમાં શીકારીએ મારી નાખતાં મરણ પામીને તે માયાકપટી એ શ્રેષ્ઠીપુત્ર થયે; ત્યાંથી મરણ પામીને માયાના પેગથી હાથી થશે. તે ભવમાં દેવગે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી અઢાર દિવસનું અનશન પાળી મૃત્યુ પામ્ય, અને ત્રણ પલ્યોપમ આયુષ્યવાળે વિમાનિક દેવતા થયા. ત્યાંથી રવીને તે આ ચાંડાળ થાય છે અને પેલી રૂકમિણી અનેક ભવમાં પરિભ્રમણ કરીને આ કુતરી થઈ છે, તેથી (પૂર્વ ભવનાં તમારાં માતા પિતા હેવાથી) તેની ઉપર તમને નેહ ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે પિતાના પૂર્વ ભવને વૃત્તાંત સાંભળી તે પૂર્ણભદ્ર અને માણિભદ્રને જાતિ મરણજ્ઞાન થયું. પછી તેએાએ તે ચાંડાળને અને કુતરીને પ્રતિબંધ આપે, જેથી તે ચાંડાળ એક માસનું અનશન કરી મૃત્યુ પામીને નંદીશ્વર દ્વીપમાં દેવતા થયે, અને કુતરી પ્રતિબોધ પામી અનશન કરી મૃત્યુ પામીને શંખપુરમાં સુદર્શના નામે રાજપુત્રી થઈ. ફરીવાર પાછા માહેંદ્ર મુનિ ત્યાં આવ્યા, ત્યારે અર્હદાસના પુત્રોએ ચાંડાળ અને કુતરીની ગતિ વિષે પૂછયું, એટલે તેમણે તે બંનેની થયેલી સદ્ગતિને વૃત્તાંત કહી સંભળાવ્યું. તેઓએ શંખપુર જઈ રાજપુત્રી સુદર્શનને પ્રતિબંધ આપે, જેથી તે દીક્ષા લઈને મૃત્યુ પામી દેવકે ગઈ પૂર્ણભદ્ર અને માણિભદ્ર ગૃહસ્થ ધર્મ પાળી મૃત્યુ પામીને સૌધર્મદેવલેકમાં ઇદ્રના સામાનિક, દેવતા થયા. ત્યાંથી વી હસ્તિનાપુરમાં વિશ્વકસેન રાજાના મધુ અને કૈટભ નામે બે પુત્રો થયા. પેલે નંદીશ્વર દેવ ત્યાંથી ચ્યવી ચિરકાળ ભવભ્રમણ કરી વટપુર નગરમાં કનકપ્રભ નામે રાજા થયે. સુદર્શના ૧ ઇંદ્રની સરખી ઋદ્ધિવાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy