SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પર્વ ૮ મું એવા નામથી વિખ્યાત થયું. ભક દેવતાઓએ વતાઢયગિરિની ગુફામાં રાખીને તેનું પ્રતિપાલન કર્યું. આઠ વર્ષને થતાં તેને તે દેએ પ્રાપ્તિ વિગેરે બધી વિદ્યાઓ શીખવી. તે વિદ્યાના પ્રભાવથી તે આકાશગામી થયેલ છે. એ નારદ મુનિ આ અવસર્પિણીમાં નવમાં થયા છે અને તે ચરમશરીરી છે. આ પ્રમાણે ત્રિકાળજ્ઞાની સુપ્રતિષ્ટ નામના મુનિએ આ નારદ મુનિની ઉત્પત્તિ પૂર્વે મને કહી હતી. એ પ્રકૃતિથી કલહપ્રિય છે; અવજ્ઞા કરવાથી તેને કેપ ચઢે છે, તે એક ઠેકાણે રહેતા નથી અને સર્વ ઠેકાણે પૂજાય છે.” એક વખતે કંસે નેહથી વસુદેવને મથુરા આવવા માટે બોલાવ્યા, એટલે દશાર્ણપતિ સમુદ્રવિજયની આજ્ઞા લઈને તે મથુરામાં ગયા. એક સમયે જીવયશા સહિત બેઠેલા કસે વસુદેવને કહ્યું કે “મૃત્તિકાવતી નામે એક મોટી નગરી છે. ત્યાં દેવક નામે રાજા છે. તે મારા કાકા થાય છે. તેમને દેવકન્યા જેવી દેવકી નામે પુત્રી છે. તેને તમે ત્યાં આવીને પરણે. હું તમારો સેવક છું, માટે મારી આ પ્રાર્થનાનું તમે ખંડન કરશે નહીં.” આ પ્રમાણે દાક્ષિયનિધિ દશમા દશાઈ વસુદેવને કહ્યું, એટલે તે તેણે કબુલ કર્યું અને કંસની સાથે ત્યાં જવા ચાલ્યા. મૃત્તિકાવતીએ જતા માર્ગમાં નારદ મળ્યા, એટલે વસુદેવે અને કંસે વિધિથી તેમની પૂજા કરી, નારદે પ્રસન્ન થઈને પૂછયું “તમે ક્યાં જાઓ છે?' વસુદેવ બોલ્યા- આ મારા સુહુ કંસની સાથે તેમના કાકા દેવકરાજાની કન્યા દેવકીને પરણવા જાઉં છું.' નારદ બેલ્યા“આ કાર્ય કંસે સારૂં આરંભ્ય, કેમકે વિધાતા નિર્માણ કરે છે, પણ યોગ્યની સાથે ચોગ્ય જોડવામાં તે અપંડિત છે (તે તો મનુષ્યજ જેડે છે). જેમ પુરૂમાં તમે રૂપથી અપ્રતિરૂપ છે, તેમ સ્ત્રીઓમાં તે દેવકી પણ અપ્રતિરૂપ છે. તમે ઘણી ખેચરકન્યાઓને પરણ્યા છે, પણ એ દેવકીને જોશો એટલે પછી તે બધી અસાર લાગશે. હે વસુદેવ! આ ગ્ય સંગમાં તમને કયાંથી પણ વિધ્ર નહિ થાય. હું પણું જઈને દેવકીને તમારા ગુણ કહું છું.” આ પ્રમાણે કહી નારદ સત્વર ઉડીને દેવકીને ઘેર ગયા. દેવકીએ તેમની પૂજા કરી એટલે નારદે આશીષ્ય આપી કે “તારા પતિ વસુદેવ થાઓ.” દેવકીએ પૂછયું, “તે વસુદેવ કયું? નારદ બોલ્યા- “તે યુવાન એવા દશમા દશાઈ છે અને વિદ્યાધરની કન્યાઓને અતિ પ્રિય છે. વધારે શું કહું? દેવતાઓ પણ જેના રૂપને તુલ્ય નથી એવા તે વસુદેવ છે.' આ પ્રમાણે કહીને નારદમુનિ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. નારદની આવી વાણીથી વસુદેવે દેવકીના હૃદયમાં પ્રવેશ કર્યો. વસુદેવ અને કંસ અનુક્રમે મૃત્તિકાવતી નગરીએ આવી પહોંચ્યા. વિવેકી દેવક રાજાએ વસુદેવની અને કંસની પૂજા કરી. પછી અમૂલ્ય આસન પર બેસાડીને આગમનનું કારણ પૂછયું. કંસે કહ્યું, “કાકા! તમારી દુહિતા દેવકી આ વસુદેવને અપાવવા આવ્યો છું. મારા ૧ છેલ્લા શરીરવાળાએજ ભવમાં મોક્ષે જનારા હેવાથી હવે બીજે શરીર નહીં ધારણ કરનારા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy