SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૩ ]. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૭૭ સતીપણાથી અને આહુતીપણાથી સંતુષ્ટ થયેલા દેવતાએ સદા તેની સાનિધ્યમાં રહે છે, તેથી અરણ્યમાં પણ તેણીનું કુશળ થાય છે. પૂર્વે એના હુંકારા માત્રથી આ સાર્થવાહને સાથ ચાર લેકેથી બચી ગયે હતો. એનાથી બીજે શે વધારે પ્રભાવ હોય?” કેવળી ભગવંત આ પ્રમાણે કહેતા હતા તેવામાં કઈ મહદ્ધિક દેવ ત્યાં આવ્યા. તે કેવળીને વંદના કરી મૃદુ વાણી વડે દવદંતી પ્રત્યે બે –“હે ભદ્ર! આ તપોવનમાં હું કુળપતિને ક૫૨ નામે એક શિષ્ય હતો, જે તપના તેજથી ઘણો દુરાસદ હતો. વળી હું હમેશાં પંચાગ્નિને સાધતો હતો તોપણ તે તપોવનના તાપસ મને પૂજતા નહીં, તેમ વચનથી પણ અભિનંદન આપતા નહીં, તેથી ક્રોધરૂપ રાક્ષસથી આવિષ્ટ થયેલે હું તે તપવનને છોડી ઉતાવળો અન્યત્ર જવા ચાલે. ચાલતાં ચાલતાં ઘાટા અંધકારવાળી રાત્રી પડી, તે વખતે પણ ત્વરાથી ચાલતો એ હું અકસ્માત કેઈ હાથી જેમ મોટી ખાડામાં પડી જાય તેમ ગિરિકંદરામાં પડી ગયે. તે ગિરિના પાષાણુ સાથે અથડાતાં જીણું છીપના પડીઆની જેમ મારા બધા દાંત સહસ્ત્ર પ્રકારે વિશીર્ણ થઈ ગયા, અર્થાત્ તેના કટકે કટકા થઈ ગયા. દાંતના પડવાથી પીડાતુર થઈને હું ત્યાં સાત રાત્રી સુધી પડ્યો રહ્યો, પણ દુઃસ્વપ્નની જેમ તાપસે એ તો મારી વાર્તા પણ કરી નહીં. જ્યારે હું તેના સ્થાનમાંથી નીકળ્યો ત્યારે ઘરમાંથી સર્ષ નીકળી જવાની જેમ તે તાપસેને ઊલટું વિશેષ સુખ થયું હતું, તેથી તે તાપસની ઉપર સળગતો અગ્નિની જે મને દુઃખાનુબંધી ક્રોધ ઉત્પન્ન થયા. પછી જાજવલ્યમાન ક્રોધથી દુર્મનવાળે હું મૃત્યુ પામી આજ તાપસવનમાં મેટે વિષધર (સર્પ) થયે. એક વખતે તમને કરડવાને માટે હું ફણા વિસ્તારતો દેડ, એટલે તમે મારી ગતિને અટકાવનાર નવકારમંત્ર ભણ્યા. જ્યારે મારા કર્ણમાં નવકારમંત્રના અક્ષરો પડયા, એટલે જાણે સાણસે પકડા હેઉં તેમ હું તમારી તરફ કિંચિત્ પણ ચાલી શક્યો નહીં. પછી શક્તિરહિત થઈને મેં એક ગિરિગુહામાં પ્રવેશ કર્યો, અને ત્યાં રહીને દર્દર વિગેરે જેનું ભક્ષણ કરી જીવવા લાગે. હે પરમ આહુતી! એક વખતે વરસાદ વરસતો હતો ત્યારે તમે તાપસેને ધર્મ કહેતા હતા, તેમાં મેં સાંભળ્યું કે “જે પ્રાણી છવહિંસા કરે છે તે નિરંતર સંસારમાં ભમે છે અને મરૂભૂમિના પાંચની જેમ નિરંતર દુઃખ પામ્યા કરે છે. તે સાંભળીને મને વિચાર થયો કે “હું પાપી સર્પ તો હંમેશાં જીવહિંસામાંજ તત્પર છું, તે મારી શી ગતિ થશે?' આવી રીતે વિચાર કરી તર્ક વિતર્ક કરતાં ફરી મને યાદ આવ્યું કે “આવા તાપસ મેં કઈ ઠેકાણે જોયેલા છે. તે વખતે જ મને નિર્મળ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી જાણે ગઈ કાલેજ કરેલું હોય તેમ પૂર્વ ભવનું મારૂં સર્વ કૃત્ય સાંભરી આવ્યું, એટલે ઉછળતા તરંગવાળા નીકના જળની જેમ મને અક્ષય વૈરાગ્ય ઉત્પન્ન થયો, તેથી મેં તત્કાળ વયમેવ અનશનવત ગ્રહણ કર્યું. ત્યાંથી મૃત્યુ પામીને હું સૌધર્મદેવલેકમાં દેવતા થયો. તપના કલેશને સહન કરનારા પ્રાણીઓને મોક્ષ પણ કર નથી. હે દેવી? હું કુસુમસમૃદ્ધ નામના વિમાનમાં કુસુમપ્રભ નામે દેવ થયો છું, અને તમારા પ્રસાદથી સ્વર્ગનાં સુખ ભેગવું છું. જે તમારાં ધર્મવચન મારા કાનમાં પડ્યાં ન હતા તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy