SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ મગ ૨ ને] શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર [ ૨૪૧ ખાલાવ્યા પણ તે પુત્રી કાઈ રાજાને વરી નહીં, તેથી આવેલા રાજાઓએ ક્રોધથી એકઠા થઈ ને તેની સાથે સગ્રામ સ્માર, પણ તેણે એકલાએ સવે રાજાએને જીતી લીધા; એટલે તે સર્વે રાજાઓ નાસી ગયા. તેમાં કેટલાક કેાઈ ગિરિમાં પેસી ગયા, કેટલાક અરણ્યમાં જઈને સંતાયા અને કેટલાક જલાશયમાં ભરાઈ રહ્યા, તેએમાંથી અમે એ તાપસ થઈ ને ચાલી નીકળ્યા. અમે વૃથા ભુજધારી નપુસકેાને ધિક્કાર છે!” તેમને આ પ્રમાણે વૃત્તાંત સાંભળી વસુદેવે તેમને જૈનધમ ના બેષ કર્યાં, એટલે તેએએ જૈન દોક્ષા લીધી. પછી વસુદેવ શ્રાવસ્તી નગરીએ ગયા. ત્યાં ઉદ્યાનમાં ત્રણ દ્વારવાળું એક દેવગૃહ તેમના જોવામાં આવ્યું. તેના મુખદ્વારને ખત્રીશ અગલા (ભૂંગળ) હતી, તેથી તે રસ્તે પ્રવેશ કરવા મુશ્કેલ હતો; એટલે પડખેના દ્વારથી તેમણે અંદર પ્રવેશ કર્યાં. ત્યાં તેમણે એક મુનિની, એક ગૃહસ્થની અને એક ત્રણ પગવાળા પાડાની પ્રતિમા જોઈ. પછી ‘આ શું?' એમ તેણે એક બ્રાહ્મણને પૂછ્યું, એટલે તે એલ્યુ‘અહી. જિતશત્રુ નામે રાજા હતો. તેને ભૃગધ્વજ કરીને પુત્ર થયા હતો. તે નગરમાં કામદેવ કરીને એક શ્રેણી રહેતો હતો. એક વખતે તે શેઠ નગર બહાર પેાતાના ગેાષ્ઠ (પશુશાળા)માં ગયા. ત્યાં તેના દંડક નામના ગેાવાળે શેઠને કહ્યું કે શેઠજી! આ તમારી મહિષીના પાંચપાડા પૂર્વે મેં મારી નાખ્યા છે; આ છઠ્ઠો પાડા ઘણા ભદ્રિક આકૃતિવાળા આવ્યા છે, અને જ્યારથી તે જન્મ્યા છે ત્યારથી ભયથી કંપતો અને નેત્રને ચપળ કરતો તે મારા ચરણમાં નમ્યા કરે છે, તેથી દયાવડે મેં તેને માર્યાં નથી, તમે પણ આ પાડાને અભય આપે. આ પાડા કેાઈ જાતિસ્મરણવાળા છે' આ પ્રમાણે ગેાવાળે કહ્યુ', એટલે તે શેઠ દયા લાવીને પાડાને શ્રાવસ્તી નગરીમાં લઈ ગયા. શેઠે રાજાની પાસે તેના અભયને માટે માગણી કરી, એટલે રાજાએ પણ તેને અભય આપીને કહ્યું કે, આ પાડા આખી શ્રાવસ્તી નગરીમાં સ્વેચ્છાએ ભમ્યા કરેા.' એક વખતે રાજકુમાર મૃગધ્વજે તે પાડાના એક પગને છેદી નાખ્યા. તે જાણી રાજાએ તે કુમારને નગરની અહાર કાઢી મૂકયા. કુમારે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તે પાડો પગ છેદાયા પછી અઢારમે દિવસે મૃત્યુ પામી ગયેા અને કુમાર મૃગધ્વજને ખાવીશમે દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવ, અસુર, રાજા અને અમાત્યે તેમને વંદન કરવા આવ્યા. દેશનાને અંતે જિતશત્રુ રાજાએ પૂછ્યુ કે ‘ તમારે તે પાડાની સાથે શું બૈર હતું ?' મૃગધ્વજ કેવળી ખેલ્યા 6 “ પૂર્વ* અશ્વગ્રીવ નામે એક અધ ચક્રવત્તી થયેા હતો, તેને હરિશ્મથ્રુ નામે એક મંત્રી હતો. તે કૌલ (નાસ્તિક) હતો, તેથી ધર્મની નિંદા કરતા હતો અને રાજા આસ્તિક હાવાથી સદા ધર્મોનું પ્રતિપાદન કરતો હતો. આ પ્રમાણે હાવાથી તે રાજા અને મંત્રી વચ્ચે દિવસાનુદિવસ વિરાધ વધવા લાગ્યા. તે બન્નેને ત્રિપૃષ્ટ અને અચલે માર્યાં, જેથી મૃત્યુ પામીને સાતમી નરકે ગયા. નરકમાંથી નીકળીને તે બન્ને ઘણા ભવમાં ભમ્યા. તેમાંથી અશ્વગ્નીવ તે ા હું તમારો પુત્ર થયા અને શ્મિક્ષુ મંત્રી પાડા થયા. પૂના વૈરથી મેં તેના પગ C - 31 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy