SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧૦ મ ] લવણાંકુશ લીધેલી દીક્ષા [ ૧૭૩ રૂદન કરવા લાગ્યા. કૌશલ્યાદિક માતાએ પુત્રવધૂઓની સાથે અશ્વ પાડતી સતી વારંવાર મૂર્છા પામીને કરૂણુસ્વરે આક્રંદ કરવા લાગી. પ્રત્યેક માગે, પ્રત્યેક ગૃહે અને પ્રત્યેક દુકાને આકંદ પ્રવર્તવાથી સર્વ રસને હરનાર કાઢેત થઈ રહ્યું. તે વખતે લવણે અને અંકુશે નમસ્કાર કરી રામભદ્રને કહ્યું કે-“અમારા આ લઘુપિતાનું મૃત્યુ થતાં અમે અત્યારે સંસારથી અત્યંત ભય પામ્યા છીએ. આ મૃત્યુ સર્વને અકસ્માત પ્રાપ્ત થાય છે, માટે સર્વ પુરૂષાએ મૂળથી પરલેકને માટે તત્પર રહેવું જોઈએ. માટે હે પિતા! અમને દીક્ષા લેવાની આજ્ઞા આપો. આ લઘુપિતા લક્ષમણ વિના હવે અમારે ઘરમાં રહેવું જરાપણ યુક્ત નથી.” આ પ્રમાણે કહી લવણે અને અંકુશે રામને નમીને અમૃતષ મુનિની પાસે દીક્ષા લીધી, અને અનુક્રમે તે બને મોક્ષે ગયા. ભાઈના મરણથી અને પુત્રના વિયોગથી રામ વારંવાર મૂછ ખાઈ મેહથી આ પ્રમાણે કહેવા લાગ્યા-“હે બાંધવ! મેં હમણાં તમારું કાંઈપણ અપમાન કર્યું નથી, તે છતાં તમે અકસ્માત આવું મૌન કેમ ધારણ કર્યું છે? હે ભાઈ! તમે આમ કર્યું એટલે મને મારા પુત્રોએ પણ છોડી દીધું. માણસોને સે છીદ્રો પડવાથી તેમાં સેંકડો ભૂત પેસે છે.” આ પ્રમાણે ઉન્મત્તની જેમ બેલતા રામને જોઈ વિભીષણાદિક એકઠા મળી તેમની પાસે આવી ગદ્ગદૂ સ્વરે કહેવા લાગ્યા–“હે પ્રભુ! તમે જેમ વીર પુરૂમાં વીર છે, તેમ ધીર પુરૂમાં પણ ધીર કહેવાઓ છે, તેથી આવું લજજાકારી અધેય છેડી છે, હવે તે લેકપ્રસિદ્ધ અને સમયને યેગ્ય એવું લક્ષ્મણનું જે ઔદ્ધદેહિક કૃત્ય, તે અંગસંસ્કારપૂર્વક કરવું જોઈએ.” તેમનાં આવાં વચન સાંભળી રામ કેપથી હઠને ફરકાવતા બેત્યા–“અરે દુર્જને ! હજુ મારે ભાઈ લક્ષમણ તે જીવે છે, તે છતાં તમે આવું વચન કેમ બેલે છે? બંધુ સહિત તમારા સર્વેનું અગ્નિદાહપૂર્વક મૃતકાર્ય કરવું જોઈએ, આ મારો ભાઈ તે દીર્ધાયુષ્ય થાઓ. હે ભાઈ! હે વત્સ! હે લક્ષમણ! હવે શીધ્ર બેલે, તમારા ન બોલવાથી આ દુને પ્રવેશ કરે છે, તમે બહુ વખતથી મને શા માટે ખેદ ઉપજાવો છો ? અથવા હે ભાઈ! આ દુજનેની સમક્ષ તમારે કેપ કરવો ઉચિત નથી.” આ પ્રમાણે કહી લમણને ખભા ઉપર લઈ રામ ત્યાંથી બીજે ચાલ્યા. કેઈવાર લક્ષ્મણના શબને સ્નાનગૃહમાં લાવી રામ પિતાની મેળે સ્નાન કરાવતા, પછી સ્વહસ્તે ચંદનનું વિલેપન કરતા, કોઈવાર દિવ્ય ભેજન મંગાવી, ભેજનથી પાત્ર પૂરીને તે લક્ષ્મણના શબની પાસે મૂકતા, કેઈવાર પોતાના ઉત્સંગમાં લઈ તેના સુખપર વારંવાર ચુંબન કરતા, કેઈવાર વસ્ત્ર ઓઢાડી શય્યા ઉપર સુવાડતા, કોઈવાર પતે બોલાવીને પોતે જ સામે પ્રત્યુત્તર આપતા અને કઈવાર પિતે જ સંવાહક થઈ તેના અંગને મર્દન કરતા. આ પ્રમાણે નેહમાં ઉન્મત્તપણે બીજુ સર્વ કામ ભૂલી જઈને વિકળપણાથી ચેષ્ટા કરતા. રામને છ માસ નીકળી ગયા. રામ આવા ઉન્મત્ત થઈ ગયા છે એ ખબર સાંભળી ઈંદ્રજિતના તથા સુંદર રાક્ષસના પુત્રો અને બીજા બેચરશત્રુઓ પણ રામને મારવાની ઈચ્છાથી રામની પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy